SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ “શું માણસનું ભલું માણસ કરશે ?” “હા, માણસ જ કરશે. તમારા હાથ જ તમારા મોંને કોળિયો આપી શકશે. તમારું ભલું તમારા વૃદ્ધો કરશે, વડીલો કરશે, વિચક્ષણો કરશે અને તમે પોતે કરશો. વાદળમાં વસનાર નહીં કરે.” “અહા, કેવી મીઠી વાણી ! અમારા અંતરના ગહનતમ ગવરમાંથી જાણે ભીરુતાને - ભયને દૂર ભગાડી નાખે છે. પણ અમે, અમે કોણ ? શુદ્રાતિશુદ્ર ! સ્વામી, અહંતાની એવી વાણી અમારી પાસે ઉચ્ચારાવશો મા ! અમને પાપમાં પાડશો નહીં, હે દેવતા ! અમારાં દુઃખ ભારે છે, જીવવું દુષ્કર બન્યું છે.” “જિજીવિષને કોઈ મારી શક્યું નથી. તમે જીવવા ઇચ્છતા હશો તો તમને જિગુષને રોળવાની કોઈની તાકાત નથી. પ્રયત્નવાન પુરુષાર્થીનો પરાજય સંભવતો જ નથી.” શબ્દોમાં સંજીવની હતી, અપૂર્વ સંગીત હતું. યુગલિકો નતમસ્તક ઊભાં જ રહ્યાં. યુવાને પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું “આ ભૂમિને વિશેથી શું કલ્પવૃક્ષો ઓછાં થઈ ગયાં છે ? શું મદ્યાંગ વૃક્ષ તમને મધુ આપતાં નથી ?” “ના સ્વામી ! વસૂકી જવા આવેલી ધેનુની જેમ કદી કદી આપે છે તોપણ અલ્પ, વિરસ !” અને દીપશિખા ને જ્યોતિવૃક્ષો શું હવે પ્રકાશ વેરતાં નથી ?' “વેરે છે, પણ સ્વાર્થભ્રષ્ટ સ્નેહીની જેમ - ઉષ્મા વગરનો. એનાથી કામ કેમ સરે ?” “આહાર પૂરો પાડનારાં ચિત્રરસવૃક્ષો ને પાત્ર પૂરાં પાડનાર ભૂતાંગવૃક્ષોએ પણ શું તમને મદદ આપવાથી ઇન્કાર ભણ્યો છે ?” હા નાથ !” • “અને અનગ્નવૃક્ષ પણ વસ્ત્રો આપવાની ના ભણે છે ?” “ના તો કોઈ ભણતું નથી, પણ દાન ન દેવાની ઇચ્છાવાળા લોભીની જેમ નિરર્થક આંટાફેરા ખવડાવે છે.” "ત્યારે સૂર્યાગવૃક્ષો હવે સંગીત પણ છેડતાં નહીં હોય. ચિત્રાંગવૃક્ષો ફૂલમાળ પણ રચતાં નહીં હોય.” સ્વામિન્ ! ખાવા-પીવાના સાંસા હોય ત્યાં, સંગીત ને ફૂલમાળને કોણ જય હો વૃષભધ્વજનો! ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy