SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ત્યાગ કર્યો છે. આ તો બાહ્ય વસ્તુઓ થઈ. પણ તેમણે અંતરથી દેહની મમતાનો પણ ત્યાગ કર્યો છે. તેઓ શોધમાં નીકળ્યા છે– આત્માના અમૃતની; માનવને–તમામ જીવોને અલૌકિક શાંતિ ને સુખ મળે તેની.” “આપણાં સુખ, દુઃખથી વ્યાપ્ત છે. આપણો જન્મ, મૃત્યુની સાથે સંકળાયેલો છે. આપણાં હૃદય ને મન સ્વાર્થથી પીડિત છે. આપણને સંસારની સમૃદ્ધિ ભેગી કરવાનો લોભ છે; સારામાં સારી વસ્તુ ભોગવવાનો આપણને શોખ છે; અને એથી ભારે કલહ મચેલો રહે છે. - “શાસન એમણે સ્થાપ્યું છે. સબળ નિર્બળને ન પડે એ એમનો આરંભ છે, એ ભંગ કરે એને માટે એમણે શિક્ષાના પ્રકાર રચ્યા છે. આ વધ, બંધ ને ઘાતની શિક્ષા કરવા છતાં માણસ સ્વાર્થ પાછળ ઘેલો બને છે. સારું કરવા તરફ એની સ્વયંભૂ રુચિ નથી. આ માટે તેઓએ પોતાના જીવન દ્વારા બતાવ્યું કે સાચું જીવન પારકા માટે જીવવામાં છે. સમૃદ્ધિના સંગ્રહ કરતાં સમૃદ્ધિનું દાન ઉત્તમ છે. આવા ભગવાન અંગરાગ ને મોજશોખ વધારનારી તમારી વસ્તુઓને ગ્રહણ કરે ખરા ? એ તો ગૃહહીન છે; લઈને કયાં મૂકે ?'' હે શ્રેયાંસ, તમારી આ વાત સાચી લાગે છે, પણ તમે શી રીતે જાણ્યું કે ભગવાનને ઇક્ષુરસનો ખપ છે ? " “ભાઈઓ, એ મારા મહદ્ભાગ્યની બીના છે. જ્યારે કોઈ સુંદર કાર્ય થવાનું હોય છે ત્યારે મંગળ સંકેત થયા જ કરે છે. ગઈ રાતના શેષકાળમાં મારા પિતાજીને સ્વપ્ન આવ્યું કે એક મહાન યોદ્ધો શત્રુઓથી ઘેરાઈ ગયો છે, અને હું એને મદદ કરી શત્રુઓનો પરાભવ કરવામાં સહાયભૂત બનું છું. એ યોદ્ધા તે ભગવાન પોતે.” “કુમાર; તમારી એ વાત બરાબર નથી. પૃથ્વીનાથનો કોઈ શત્રુ નથી; એ તો અજાતશત્રુ છે.” કેટલાક બોલ્યા. “પૃથ્વીનાથની વાણીને સદા સાંભળનારા તમે કાં ભૂલો કે ભગવાને નમો અરિહંતાણં' નો મંત્ર આપ્યો છે. એના મર્મને પ્રકાશ કરતાં એમણે શું કહ્યું હતું ? એમણે બે જાતના અરિ બતાવ્યા હતા : એક સગી આંખે દેખાતા ને બીજા નરી આંખે ન દેખાતા. એ ક્ષુધાપિપાસારૂપી દેહ-શત્રુઓથી પ્રભુ ઘેરાઈ ગયા હતા. મેં ઇક્ષુરસ આપી તેમાંથી એમને મુક્ત કર્યા” “શ્રેયાંસ, તને ધન્ય છે ! તેં તારા પિતામહના ઉપદેશને જીવનમાં યથાર્થ રીતે ઉતાર્યો છે. હવે અમને આગળ કહે, ભગવાન વિશેની કોઈ પણ, કેવી મેં તો ડોલતો ડુંગર દીઠો જો ૨૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy