SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ વિરોધી લેખાશે.’ શ્રદ્ધાવંત કુળસમૂહે પ્રભુના વાક્યને શિરસાવંદ્ય ગણ્યું. ઘણા આ વાતમાં ઊંડા ઊતરી ન શક્યાં -- ન સમજ્યાં, પણ પૃથ્વીનાથની અનેક વાતો એવી હતી, કે જે પહેલાં નહોતી સમજાઈ અને પછી સારી લાગી હતી. “આ નિર્ણય મેં બહુ વિચારને અંતે કર્યો છે, અને એનો અમલ મેં રાજા દેવયશની પુત્રી વૃષભશ્રીને ભરત માટે માગીને કર્યો છે. આજથી તમારા યુગલિક ધર્મનું સર્વથા નિવારણ થાય છે. એક માતાનાં ભરત ને બ્રાહ્મી આજથી આ બાબતમાં જુદાં.” “અને બાહુબલી અને સુંદરી પણ ?” પાસે બેઠેલા ભરતે ઊભા થઈને પિતાને પ્રશ્ન કર્યો. “અવશ્ય. એ તો સ્વયંસિદ્ધ વસ્તુ છે.’ “તો પિતાજી, ભરત અને સુંદરી સાથે રહી શકે ?' “અવશ્ય. અને બ્રાહ્મી અને બાહુબલી પણ તેવી જ રીતે સાથે રહી શકે.’’ “યથાર્થ છે. પિતાજી ! મને પણ સુંદરી ગમે છે; નાનપણથી ગમે તેમ તોય તેના તરફ મારું આકર્ષણ છે. બ્રાહ્મી તો ઊંડો વિચાર કરનારી, કંઈક ચીતર્યા કરનારી, ઠંડા માટલા જેવી છે.” ભરતે લાગ જોયો. એણે પોતાના મનની વાત કહી દીધી. “પણ, પિતાજી ! હું...” સુંદરીનો મિષ્ટ અવાજ સંભળાયો. પણ પૃથ્વીનાથે એ વેળા પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું હતું, એટલે એ કોમળ અવાજ ઘનગર્જના જેવા સ્વરમાં ડૂબી ગયો. છતાંય સુંદરીના સુંદર મુખ પર કંઈક અણગમતી રેખાઓ દેખાતી હતી. બ્રાહ્મી તો પોતાની નવી લિપિને આંગળીઓ વતી પૃથ્વી પર ઉતારી રહી હતી. બોલાય તેવું લખાય ને લખાય તેવું બોલાય’ એ મહાન કોયડાને ઉકેલવા એ સતત મથ્યા કરતી હતી. સભાજનો, મારી વાત તમારે માટે નવી હશે, કંઈક અસ્પષ્ટ પણ હશે; છતાં અનુભવે એ સુખદ જણાશે. જીવનસુખનાં બારેબારણાં તમારે માટે ઉઘાડાં, પણ પિતા-પુત્રી, માતા-પુત્ર ને ભાઈ-બહેનના સંયોગ-સંબંધનો નિષેધ.” પૃથ્વીનાથે પોતાની વાત સમજાવતાં કહ્યું : ૨૦૪ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy