SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આભારદર્શન પ્રસંગે સહુથી પ્રથમ અને સ્વનામધન્ય પંડિતવર્ય શ્રી સુખલાલજીનું નામ યાદ આવે છે. મારી રીતે લખેલાં પચીસ-પચાસ પાનાં મેં જ્યારે તેમની સમક્ષ વાંચી સંભળાવ્યાં ત્યારે ભારે હર્ષ સાથે ને દિશાદર્શક સૂચનો સાથે તેઓએ મારી ભાવનાસૃષ્ટિને સત્કારી, મને ઉત્તેજિત કર્યો. જો એ વિચક્ષણ જ્ઞાનવારિધિએ મને આટલો સત્કાર ન આપ્યો હોત તો આ પચાસ પાનાંઓમાંથી ૩૫૦ પાનાં જેટલી આ નવલકથા ન નીપજી હોત. આ ઉપરથી કોઈ એમ ન માને કે મારી આ સંપૂર્ણ કૃતિને તેઓએ સત્કારી છે. કારણ કે પચાસેક પાનાં લખાયાં પછી તેઓશ્રીને હું આગળનું લખાણ વંચાવી શક્યો નથી. અંતે મારી કલમનો ને મારા ભાગ્યનો પણ મારે આભાર માનવો રહ્યો કેચોવીશ તીર્થકરોમાંના મારા પ્રિય જે અઢી તીર્થકરો (ભગવાન ઋષભદેવ, ભગવાન મહાવીર ને કાંઈક ભગવાન નેમનાથી તેમાંથી એકના જીવનને રજૂ કરી શકું છું. જોકે આ નવલકથા ભગવાન ઋષભદેવના જ્ઞાનથી વળી થંભે છે; પણ ખરી રીતે નવલકથાની દૃષ્ટિએ વાર્તા ત્યાં પૂરી થાય છે. પછી મોક્ષપ્રાપ્તિ સુધી કંઈ ખાસ વિશિષ્ટ બનાવ નથી, છતાં જે કંઈ શેષ રહેશે તે આ નવલકથાના બીજા ભાગ તરીકે ‘ચક્રવર્તી ભરતદેવ’ અને ‘ભારત-બાહુબલી'માં આવી જાય છે. ગુરુપૂર્ણિમા, વિ. સં. ૨૦૦૩ – જયભિખ્ખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy