SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ “જીવનમાં જય તરફ શ્રદ્ધા રાખો ને યત્ન કરો.” “માનવમાત્ર તરફ બંધુત્વ ને સહૃદયતા ધરાવો.” “સા નિખાલસ જીવન જીવવાની કળા શીખો.” (સત્ય ને અહિંસા) “ભયથી નહિ – પ્રેમથી નીતિ–શીલ જાળવો." વેજ્ઞાનિકો માટે પણ આ જીવન અભ્યાસને યોગ્ય છે. નૃવંશશાસ્ત્ર પ્રાણવિદ્યા ને વિકાસવર્ધનની સુંદર કથાઓ દસ્તાવેજી રૂપમાં અહીં પડેલી છે, પણ એને શોધવા માટે સહૃદયતા જોઈએ. એક તરફ પલ્યોપમ ને સાગરોપમ પર અશ્રદ્ધા ધરાવનાર ને બીજી તરફ પૂરી શ્રદ્ધાથી પૃથ્વીનું આવરદા પચાસ કરોડ જેટલાં વર્ષનું સ્વીકારનાર, માનવઉત્પત્તિની ૧ કરોડ ૨૦ લાખ વર્ષની સમય-કલ્પનાને સ્વીકારનાર, આજના જીવનવિકાસની અવધિ દસ લાખ વર્ષની આંકનારે એટલું સ્વીકારવું જ પડશે કે કોઈક મહાકલ્પના ને મહાગણિત પર જ આ બધું નિર્ભર છે; આપણને પ્રત્યક્ષ તો કંઈ નથી જ એટલે નવું કે જૂનું બધું વિવેકની દૃષ્ટિથી નિહાળવાની જરૂર છે. વળી એટલું યાદ રાખવું જોઈએ કે ધર્મ એ ધર્મ છે. કેટલાક દીવાનાઓ એમાંથી વિમાન, અણુબૉબ કે બીજી સિદ્ધિઓ શોધે છે. તેઓ ભૂલે છે, કે ધર્મ એ ભૂગોળ નથી, ખગોળ નથી, નથી ઇતિહાસ કે નથી જ્યોતિષ. ધર્મશાસ્ત્ર એ બધાંનો ઉપયોગ જરૂરી કર્યો છે, પણ પોતાની રીતે. ધર્મ એ ધર્મ હોય ને ભૂગોળ ન પણ હોય, તો તેમાં કશી હાનિ નથી. દર્શનનું મૂળ લક્ષ્ય વિશ્વનું ગુપ્ત રહસ્ય દર્શાવવાનું હોય છે. જ્યારે ધર્મનું લક્ષ્ય માનવી માટે સાચાં સુખ-શાંતિનો માર્ગ અને તે દ્વારા કલ્યાણ તરફ દોરી જવાનું હોય છે, ભગવાન ઋષભદેવનું ચરિત્ર ધર્મ અને દર્શનનાં તત્ત્વોને બરાબર ન્યાય આપે છે. આજે કે મવંતરી પહેલાંના કાળમાં માનવીને કેમ સુખી કરવો, એ જ એક પ્રશ્ન સહુથી વધુ મોટો ને ગંભીર રહ્યો છે. અને તેથી જ માટે સ્વીકારાયું છે, કે કોઈ પણ કળા જીવનના આનંદને અનુલક્ષીને હોવી જોઈએ ને કોઈ પણ આનંદ આત્મોકર્ષનો સાધક હોવો ઘટે. એ કલા ને આનંદનું અહીં દિગ્દર્શન છે. બાકી તો ભૂતકાળની ગમે તેવી મોટી વસ્તુ વર્તમાન કે ભાવિને ન ઘડતી હોય તો એની કશી કિંમત નથી; પછી એ દર્શન હોય, વિદ્યા હોય, શસ્ત્ર હોય કે શાસ્ત્ર હોય. આ કૃતિ આપણા વર્તમાન ને ભાવિ વિષે ઘણું માર્ગદર્શન આપે છે. સહૃદય વાચક જરૂર શોધી લે ! આ નવલ ઘટનાત્મક કરતાં વર્ણનાત્મક વિશેષ થઈ છે, એટલે ઘટનાપ્રિય વાચકની કદાચ કસોટી થશે : પણ ચરિત્રને ન્યાય આપવા માટે વર્ણન જરૂરી હોવાથી તેમ કરવું અનિવાર્ય હતું, તેની વાચક નોંધ લે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy