SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કયું પ્રાણી આવે છે ? ન સમજાય તેવો આ સંકેત હતો. અંધાર-ઓળાઓ ભારે ચીજ ઉપાડીને, પાછળના હલ્લાથી બચવા વનરાજિનો આશ્રય લેતા હતા. હવે એમનો કાળ નજીક હતો. એ કાળથી બચવા ઓળાઓ બે ભાગમાં વહેંચાઈ ગયા. અંધકાર એમને આશ્રય આપી રહ્યો. ઐરાવતની ચીસોથી વનપ્રદેશ ગર્જી રહ્યો હતો. સુયોધની ગદા ભયંકર રીતે ઘૂમી રહી હતી. અને સામેની દિશામાંથી જાણે આંધી આવી રહી હોય તેવો અવાજ નજીક ને નજીક આવી રહ્યો હતો. આખરે ભેટંભેટા થઈ ચૂક્યા. સુયોધની ગદાએ કેટલાયને ભૂમિશાયી કરી નાખ્યા. ધનુર્ધર કુમારે પણ પરાક્રમમાં પાછી પાની કરી નહીં; પણ જેને માટે તેઓ આવ્યા હતા, તે ક્યાં ? “સુયોધ, અડધા બીજે માર્ગે વળ્યા લાગે છે'. સુયોધ ફરીથી જોરથી ધૂણ્યો જાણે ઝંઝાવાતે પોતાના વેગની દિશા બદલી. એણે હાડ કંપાવે તેવો ભયંકર ચિત્કાર કર્યો; હવા સૂંઘી ને દિશા બદલી. ફરી સુયોધ અને ઐરાવતની સરસાઈ ચાલી. કુમારની આંખો અંધકારને ભેદતી હતી. એણે ફરીથી ભયંકર સિંહનાદ કર્યો. વાઘને સામે જોઈ ગાય જેમ ગરદન ઢાળી દે, એમ દૂર દૂર જતા ઓળાઓ થથરી ઊઠ્યા. એમણે ઉપાડેલો બોજ જમીન પર ગબડી પડ્યો. સનન કરતું તીર આવ્યું : એક, બે ને ત્રણ ! ભાગનારાઓ ભાગતા હતા, છતાં પડકારની પેલી પારથી આવતા ભયંકર અવાજ તરફ વધુ લક્ષ આપી રહ્યા હતા. થોડી વારમાં એક ઊંચા પહાડ પરથી ભયંકર વાદળ ઊતરી આવતું જણાયું. નાસનારાઓએ હર્ષની કિકિયારી કરી, અને પહાડની બાજુની ઉપત્યકામાં છુપાવા યત્ન કર્યો. એક બાજુ પોતે, વચ્ચે પેલું વાદળ ને પેલી તરફ કુમાર અને સુયોધ અંધાર-ઓળાઓની આ યોજના સફળ થવાની તૈયારીમાં હતી; પણ સનસનાટ આવતાં તીરોએ કોઈની પણ શરમ ન રાખી. આ પ્રદેશ પર આમ હવામાં શસ્ત્ર ચાલ્યાં આવે ને માનવીને વીંધે એ નવી વાત હતી. ઓળાઓ એક પછી એક પડતા જતા હતા. એક ઊંચા પડછંદ ઓળાએ કહ્યું : ૮૨ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy