________________
ચાલો, આજ્ઞા એ આજ્ઞા.” પહેરેગીરે કહ્યું.
આનું જ નામ જડભરત !” સહુ ગ્રામવાસીઓ બબડ્યા. હવે તો બધા બરાબર ફસાણા હતા. આજ્ઞાનું પાલન કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નહોતો.
હાથમાં તેલનું છલોછલ પાત્ર લઈને પેલો ખેડૂત આગળ ચાલ્યો. પાછળ ગ્રામવાસીઓ તેને અનુસર્યા !
રે ખેડૂત બકુલ ! કાંઈ તારું દુર્ભાગ્ય !
છલકાતું તેલનું કચોળું લઈને, સ્થિર ડગે, નિશ્ચળ મને, જીવની જેમ જાળવીને ખેડૂત બક ચાલ્યો. એની અયોધ્યા આજ ખારી બની ગઈ. પણ આખરે એ સહીસલામત રાજદરબારે પહોંચ્યો ખરો ! દરબારમાં પ્રવેશ કરતાં જ ચક્રવર્તી ભરતદેવ સામેથી દોડતા આવ્યા અને એને ભેટી પડ્યા !
“અરર ! જોજો, મારા કચોળામાંથી તેલનું ટીપું ન પડે, નહિ તો મારો જીવ જશે. પાછળ રાક્ષસ જેવો તમારો જડ સેનિક નાગી તલવારે ઊભો છે!” ખેડૂત બકુલ બોલ્યો.
કંઈ ચિંતા નહિ, બકુલ ! આમ આવ.' કહી, બકુલને છાતીસરસો ચાંપી, ભરતદેવે કચોળું આવું ફેંકી દીધું, અને એને લઈ જઈને સિંહાસન પર બેસાડ્યો.
સામાન્ય રીતે આવો વ્યવહાર અયોધ્યાના મહારથીઓને ન રુચે, પણ છેલ્લા કેટલાક સમયથી ભરતદેવના વ્યવહારમાં જડત્વ આવ્યું હતું. આંખનું કાજળ ગાલે ઘસવા જેવી એમની ક્રિયાઓ થતી. હૃદય સૌનું દાઝતું, પણ જીભ કોઈથી ખોલી શકાતી નહિ !
ખેડૂત બકુલનું અભિવાદન કરી, કુશળ સમાચાર પૂછતાં ભરતદેવ બોલ્યા : ‘કેમ, સુંદર એવી અયોધ્યા જોઈને, બક?”
શું જુવે, મહારાજ.” બકુલ બોલ્યો ને પછી ધીમેથી ગણગણ્યો. આ તે મારું સદ્ભાગ્ય કે દુર્ભાગ્ય, કંઈ સમજાતું નથી.'
અરે બકુલ ! અયોધ્યાની રૂપસુંદર પનિહારીઓને જોવા તો દૂરદૂરથી નગરયાત્રાના લોકો આવે છે.” ભરતદેવ બોલ્યા.
મહારાજ ! મારું ધ્યાન તો તેલના ટીપામાં હતું.”
“અરે ભલા માણસ ! મારું વિશાળ સૈન્ય પાસેથી પસાર થયું. અને મેં જોયું પણ નહિ ?” ભરતદેવે ફરી પ્રશ્ન કર્યો.
‘સ્વામિન્ ! સૈન્યને નીરખવાની અમારી લાંબા સમયથી ઇચ્છા હતી. ૨૫૦ ભરત–બાહુબલી
Jain Education International
· For Private & Personal Use Only
www.jainelibrary.org