________________
ગજ થકી હેઠા ઊતરો !” અરે ! કયો ગજ ! ક્યાં છે ગજ–હાથી ? બાહુબલે તો બધું છોડ્યું છે. એને વળી ચઢવું કેવું અને ઊતરવું કેવું?
ગમે તેવા મહાદીપ નીચે પણ પોતાના પડછાયાનો અંધકાર અત્વિ ધરાવે છે.
સંસારનો મહાયોગી, ભગવાન ઋષભદેવે જેનાં ઘણાં ઘણાં વખાણ કર્યા હતાં, અને ભરતદેવ જેવા છ ખંડના ચક્રવર્તીએ જેના ચરણમાં શિર ઝુકાવ્યું હતું, એ મહાયોગી ક્ષણ વાર વિચારમાં પડી ગયા.
કયો ગજ? અને પોતે કોના અસવાર ?'
આત્મ-અધ્યાત્મની એમની દુનિયા દુવિધામાં પડી ગઈ. પણ છાબડે ઢંકાયેલો સૂરજ કદી ઢંકાયેલો રહ્યો છે? તરણા ઓથે ચંપાયેલો ડુંગર કદી ચંપાયેલો રહ્યો છે ?
પળ વારમાં મહાયોગીએ ઘરમાં પેઠેલા ચોરને – આંખમાં પડેલા કણાને - શોધી કાઢ્યો : અરે ! મારી બહેનો સાચું કથી ગઈ.–
અરે ! હજી હુંપદ મારામાં બેઠું છે ! એ હુંપદના હાથી પર હું બેઠો છું! મને – અહંકારીને જ્ઞાનજ્યોતિનો પ્રકાશ કેમ લાધે ? વાહ રે ઢોંગી !
મહાયોગી બાહુબલ મનોમન વિચારી રહ્યા. મારા જેવો મૂર્ખ જગતમાં કોણ હશે ? ગળે તો હુપદનો શિલાખંડ બાંધ્યો છે, ને સંસારસાગરને તરવા નીકળ્યો છું! કેવો છું હું આત્મદ્રોહી ! - સાચો યોગી તો તરણાથી પણ લઘુ હોવો જોઈએ; પગની રજથી પણ હલકો થઈ જવો ઘટે; જ્યારે મેં તો મારા એક હુંપદ ખાતર પિતાનું સાન્નિધ્ય ખોયું! મને અહંકાર હતો, કે હું મોટો – ભરતને જેવો અહંકાર થયો હતો તેવો. નાનાભાઈને નમવામાં મને નાનમ લાગી.
હું મોટો ! હું મોટો ! રે બાહુબલ ! તું જો સર્વથી છોટો ન થા તો, મહાન આત્મપ્રકાશને અને તને હજારો ગાઉનું છેટું રહેવાનું. નિરર્થક શરીરને કષ્ટ આપવાથી, ભૂખ-તરસે મારવાથી કદી કલ્યાણ પ્રાપ્ત થતું નથી. જેલના કેદીની જેમ, દેહને તો કષ્ટ એ માટે આપવાનું છે, કે અંદર બેઠેલું ચંચળ મન કબજે થાય ! મન મારવાના આ પ્રયોગો છે. નહિ તો ભૂખે મરતો ભિખારી ૨૩૬ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org