________________
આપી શકતા નથી, વર્ષાના વંટોળ એમને પીડા ઉપજાવતા નથી.
દુન્યવી સુખ-દુઃખ એમની દેહ પરથી, કમળ પરથી જળ સરી જાય તેમ, . સરી ગયાં છે.
પગમાં ફણીધરો ફૂંફાડા મારે છે, પણ રૂંવાડુંય ફરકતું નથી. નિરંકુશ વન-હાથીઓ એમના દેહ સાથે ગંડસ્થળ ઘસી ચામડીની ખાલ ઉતારે છે, પણ એની તમા કોને છે ?
મેના-પોપટ માળા નાખી પડ્યાં છે. એમનાં બચ્ચાં મોટાં થઈ ચીંચીં કરતાં ચારેતરફ ઊડી રહ્યાં છે.
દેહને વીંટાયેલી વેલડીઓને પણ જાણે વસંતના આગમનને સૂચવનારાં પુષ્પો પ્રગટી નીકળ્યાં છે.
અરે ! આશ્ચર્ય તો જુઓ ! હવામાં જ એવી ઉત્કટ પ્રેમગંધ છે કે, લોહચુંબક તરફ લોહ ખેંચાય એમ, અનેક પ્રકારનાં પશુ-પંખીઓ અહીં ખેંચાઈ આવે છે, ને આવીને બધા પ્રેમલોકનાં વાસી બની જાય છે. - સિહ જાણે ખડ ખાતા થઈ ગયા છે; ઉદરપૂર્તિ ખાતર અન્યના પ્રાણહરણથી પાછા હઠતા લાગે છે. “જીવો અને જીવવા દો –નો મંત્ર જાણે એમનેય ગમી ગયો છે.
માથી વિખૂટી પડેલી મૃગલી નિઃશંક રીતે વાઘણ પાસે દોડી જાય છે અને સ્તનપાન કરે છે. વાઘણના અંતરમાંથી વહાલના ફુવારા વછૂટે છે : પોતીકાં ને પારકાંના ભેદ એ ભૂલી ગઈ છે.
જગત આખું પલટાઈ ગયું છે આ જોગીથી. પણ હજી જોગી કેમ પલટાયો નહિ ?
અંતરનાં દ્વાર ઊઘડ્યાં છે. જ્ઞાનનું કોડિયું જલી રહ્યું છે. મમત્વનો એકે વંટોળ હવે ત્યાં શેષ નથી.
- વિશ્વવાત્સલ્યના ઓઘ ઊમટી રહ્યા છે. પાનખર ચાલી ગઈ છે. જીવનના વૃક્ષ પર કોયલ આવીને બેસી ગઈ છે. પણ રે ! હજી વસંત કાં ન આવે ? કોકિલનો ટહુકાર કાં ન સંભળાય? જોગી, તારા જોગમાં કંઈ ખામી તો દીસતી નથી !
જ્ઞાનનો દીપક ઝળહળે છે. તેલ, બત્તી ને પાત્રની જેમ ધ્યાન, ધારણા ને સમાધિ ચરમ સીમા પર પહોંચી ગયાં છે.
છતાં મહાજ્યોતિ કાં ન પ્રગટે ? ૨૩૪ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org