SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ અંતિમ ઇચ્છા વઢવાણ શહેરનું પાદર છે. પાલખી થંભી છે. અંદર સૂતા-સૂતા ઉદા મહેતાના જીવનની આખરી ઘડીઓ ગણાય છે. ચારે તરફ જુએ છે. “ઓ રહી ભગવાન મહાવીરની દેરી ! જય અહિંસાના શિરતાજ !” મહેતાજીને આટલું બોલતાંય થાક લાગ્યો. “ભાઈઓ ! કહેવાય છે કે મગધ-બિહારથી, વૈશાલી-ક્ષત્રિયકુંડથી ભગવાન અહીં આવ્યા હતા. કોઈ કહે છે કે નહોતા આવ્યા. આવ્યા હોય કે ન આવ્યા હોય. આપણે તો એના નામસ્મરણથી કમ. નામસ્મરણથી કલ્યાણ થાય.” મહેતાજી થોભ્યા. દેહના તમામ જખમમાંથી લોહી ચૂતું હતું. થોડી વારે એ બોલ્યા : વાહ મારા પ્રભુ ! વાહ તારી વાણી ! સંસાર સાગર છે. શરીર નાવ છે. જીવ નાવિક છે. એ નાવથી જેટલો સાગર ઓળંગાયો એટલો ફયો. નાવ જેટલી સતધરમથી હાંકી એટલો લાભ !” ૧૧૮ ઉદા મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004517
Book TitleUda Mehta
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy