________________
૧૯
અંતિમ ઇચ્છા વઢવાણ શહેરનું પાદર છે.
પાલખી થંભી છે. અંદર સૂતા-સૂતા ઉદા મહેતાના જીવનની આખરી ઘડીઓ ગણાય છે. ચારે તરફ જુએ છે.
“ઓ રહી ભગવાન મહાવીરની દેરી ! જય અહિંસાના શિરતાજ !” મહેતાજીને આટલું બોલતાંય થાક લાગ્યો.
“ભાઈઓ ! કહેવાય છે કે મગધ-બિહારથી, વૈશાલી-ક્ષત્રિયકુંડથી ભગવાન અહીં આવ્યા હતા. કોઈ કહે છે કે નહોતા આવ્યા. આવ્યા હોય કે ન આવ્યા હોય. આપણે તો એના નામસ્મરણથી કમ. નામસ્મરણથી કલ્યાણ થાય.”
મહેતાજી થોભ્યા. દેહના તમામ જખમમાંથી લોહી ચૂતું હતું. થોડી વારે એ બોલ્યા :
વાહ મારા પ્રભુ ! વાહ તારી વાણી ! સંસાર સાગર છે. શરીર નાવ છે. જીવ નાવિક છે. એ નાવથી જેટલો સાગર ઓળંગાયો એટલો ફયો. નાવ જેટલી સતધરમથી હાંકી એટલો લાભ !” ૧૧૮ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org