SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ધન્ય નગર ! ધન્ય વેળા ! ખંડપ્રપાતા ગુફા પર ઘણના ઘા પડ્યા, દિશાઓ ગાજી ઊઠી. ગુફાનો અગ્નિ એક વાર આકાશ સુધી જ્વાલાઓ પહોંચાડી આવ્યો. અગ્નિરેલ યોજનો સુધી પ્રસરી રહી. યુદ્ધકાળમાં અનિવાર્ય થોડીએક ધમાલ મચી રહી. થોડાંએક જુનવાણી તત્ત્વો પોતાની પાંખો ફફડાવી રહ્યાં. પણ આખરે તો વજનાં બનેલાં માનવીઓએ વજ્રનાં ગુફાદ્વાર ખોલી નાખ્યાં. શેષ સામનો અહીં ખતમ થયો. છ ખંડના વિજયની અહીં સમાપ્તિ થઈ. ભરતદેવને અહીં નવ નિધાન પ્રાપ્ત થયાં. સંસારમાં એકચક્ર રાજ્ય સ્થપાયું. શત્રુમાત્રનો ઉચ્છેદ થઈ ગયો. પૃથ્વી પર ભરતદેવનો જયનાદ ગાજી ઊઠ્યો. સેના દ્વિગુણ આનંદથી નાચી ઊઠી : એક તો, એકછત્ર ભરતશાસન પ્રસર્યાનો આનંદ; બીજું, હવે અયોધ્યા તરફ પ્રયાણ ! પ્રયાણ પણ કેવું ? ભારે વેગીલું ! આ માટે ચર્મરત્ન, ગૃહપતિરત્ન ને વાર્ધકીરત્નને માથે ભારે કપરી કામગીરી આવી પડી. પણ સેના માર્ગથી સુપરિચિત હતી, ને વતનમાં પહોંચવાની હોંશમાં એને સગવડ-અગવડની તમા નહોતી. ત્યાં ગૃહપતિરત્ન ને વાર્ધકીરત્નની મુશ્કેલી ટાળવા ખુદ મહારાજે કહ્યું : અમો, મહામંત્રી ને મહાસેનાપતિ સુષેણ વેગથી અયોધ્યા ભણી જઈશું. સેનાપતિ જયકુમાર શેષ રત્નો સાથે અને સેના સાથે ધીરે ધીરે આવી પહોંચે.ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy