SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી તરત જ એમની પાસે ગયા, ને જતાંની સાથે વિજયની કંઈ પૂછપરછ કરવાને બદલે, સેનાપતિની અને સેનાની કુશળતા પૂછવાને બદલે બોલ્યા: “મંત્રીરાજ ! હું માનવી છું. માનવીને હીરા-માણેક નથી ભાવતાં, માટી ભાવે છે! તમે પૂછશો કે એમ કેમ ? તો હું જવાબ આપીશ કે બાળકને સોનાના પારણા કરતાં માની ગોદ વધુ ભાવે તેમ. વિજય પૂરો થયો, હવે મને અયોધ્યા સાંભરે છે ! ચાલો અયોધ્યા ! “મહારાજ! અમે પણ આપના જેવા જ માનવી છીએ. અમને પણ અયોધ્યા કેમ યાદ ન આવે ?' તો ચાલો અયોધ્યા.” “મહારાજ આજે બાળક જેવી વાતો કેમ કરે ? અયોધ્યા સાંભરે એટલે શેષ કર્તવ્ય કંઈ વિસારે પડાય ? મંત્રીરાજે કહ્યું. એમના શબ્દોમાં કર્તવ્ય. પરાયણતાનો ભાર હતો. પણ તેમને તરત જ યાદ આવ્યું કે મહારાજનાં નવાં લગ્ન થયાં છે. મહારાણી રસિયાં છે. વર્ષોથી મહારાજ રસની રેલમાં નાહ્યા નથી. મહારાજને સ્વાભાવિક રીતે જ હવે શાંત જીવન રુચે. એટલે એમણે પોતાની વાત ફેરવતાં કહ્યું : આપ મહાદેવી સાથે અયોધ્યા પધારો. આપનું પ્રતાપી નામ પણ આપણું બાકીનું કાર્ય સાધ્ય કરવામાં બસ થશે.” ચક્રવર્તીએ પોતાના મંત્રીનો પલટાયેલો ભાવ પારખ્યો. અંતરમાં એમણે એ ભાવ નાણી લીધો. એમણે વિચાર્યું કે મોટાનું નસીબ જ આવું છેવાત કંઈ હોય ને વસ્તુ કંઈ સમજાય ! પણ ભરતદેવે એ તરફ દુર્લક્ષ કરતાં કહ્યું : મંત્રીરાજ ! સેના પણ ઉત્સુક બની છે. તો હવે અયોધ્યા તરફ સત્વર પ્રયાણ કરીએ.’ વાત યથાર્થ છે, પણ હજી ખંડપ્રપાતા ગુહાનાં દ્વાર ખોલવાના બાકી છે, એ સ્વામી કેમ ભૂલે છે ? આખી પૃથ્વીને નિષ્કટક ને નિર્ભય કરનાર ચક્રવર્તી આટલું કામ અધૂરું રાખે એ કેમ શોભે ? ખંડપ્રપાતા ગુફાના દ્વાર ખૂલી જતાં હરકોઈ પ્રવાસી છ ખંડની યાત્રા સુખે કરી શકશે, વાઘ ને બકરી ગમે ત્યાં પણ ૨૧૨ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy