SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ હજો,* ભરતદેવે સુભદ્રાદેવીનો સ્વીકાર કરતાં કહ્યું, ને ઉમેર્યું, “મારી એક ઇચ્છા છે. આપ બંને પાછા વળો, અને આપનું રાજ્ય આપ જ શોભાવો.' ભરતદેવ ! એ હવે અશક્ય છે. અમે દઢ નિશ્ચય કરીને જ આવ્યા છીએ.” “કમ્મ શૂરા સો ધમ્મ શૂરા ! આપની વીરતાને અનેકશઃ વંદન છે. જગતને જીતનાર જગન્જતા કરતાં જગતના સામાન્ય ભોગોનો પણ ત્યાગ કરનાર વધુ વિર છે. આપ જાઓ છો, તો ભલે જાઓ. પણ આપના પુત્રો એ સિંહાસન શોભાવે એટલી મારી વિનતિનો સ્વીકાર કરતા જાઓ. ભરત એમનો શિરછત્ર બની રહેશે, એ રીતે પ્રાયશ્ચિત્ત કર્યાનો સંતોષ અનુભવશે. ‘તથાસ્તુ !' નમિરાજે ને વિનમિરાજે ચક્રવર્તીની ઇચ્છાનો સ્વીકાર કરતાં આ બે મહાવીરોના ત્યાગને સહુ અભિનંદી રહ્યા. - ભરતદેવે અંજલિ રચી એમને પ્રણામ કરતાં કહ્યું : “ખરેખર ! ભારતને તમે પરાજિત કર્યો. હું જીતી જીતીને હારી ગયો. હું સર્વ કોઈની સમક્ષ મારી હાર કબૂલ કરું છું. સંસારમાં જે ત્યાગે છે, તે જ મોટો છે – ન કે જે ભોગવે છે તે !' ૧૯૨ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy