SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ દાનવ, વિદ્યાધર, વ્યંતર કે માનવ–શત્રુ ગમે તે હોય ને ગમે તેવો હોય—એની અમને પરવા નથી.' પિતૃચરણમાં કર્તવ્યપાલનની આજ્ઞા માગવા નમેલા જુવાનોની પીઠ પર પ્રેમથી હસ્ત પસવારતા કચ્છ ને મહાકચ્છ બોલ્યા : “જેને માથે ઋષભદેવ જેવો સ્વામી હોય એને શત્રુનો સંતાપ કેવો ? પણ વત્સ ! મન અને તન નામના બે શત્રુના હરાવ્યા અમે હાર્યા. ભગવાન ઋષભદેવ પૃથ્વીને સમભાગે વહેંચી આપી પોતાના સર્વસ્વનું દાન કરીને મુનિ બનીને ચાલી નીકળ્યા ત્યારે અમને થયું કે અમે શા સુખે અહીં મહેલોમાં પડ્યા રહીએ ? અમે પણ બધું તજીને એમની પાછળ ચાલી નીકળ્યા. અમે પણ તેમના જેવા ત્યાગી બન્યા અને તેમની જેમ ભૂખ-તરસ, થાક, અનિદ્રા સહન કરવા લાગ્યા. પણ થોડા વખતમાં અમને ભાન થયું કે આ તો શક્તિ બહારનું પગલું ભરાઈ ગયું ! સહન કરવું એ તો ભગવાનના સ્વભાવમાં વણાઈ ગયું છે, ત્યારે અમે તો બધું દેખાદેખી કરતા હતા. જંગલમાં અમને રાજમહેલના વૈભવ યાદ આવવા લાગ્યા. દુઃખ પર મનનો રંગ ન ચઢ્યો, બલ્ક દુઃખ મન પર ચઢી બેઠું ! ભગવાન સિવાય એક જ ધોંસરીમાં જોડાયેલ અમે બધા ગળિયા બળદની જેમ ધૂંસરું ફગાવીને નાઠા.” નમિ-વિનમિએ પૂછ્યું: “તો પછી રાજમાં પાછા કેમ ન ગયા ? પિતાઓએ કહ્યું : “રણક્ષેત્રમાંથી પાછી પાની કરીને ઘેર જનારનો સહુ તિરસ્કાર કરે, એમ તપક્ષેત્રમાંથી પાછી પાની કરીને ઘેર જતાં અમને લોકલજ્જા આડી આવી. કાયરતા હંમેશાં જનસમુદાયથી મોં છુપાવે છે. અમે કાયર કર્યા હતા, મેદાન છોડીને નાઠા હતા, સંસારને માટે અમારું તો મૃત્યુ થઈ ચૂક્યું હતું. પાછા જતાં ભરત જેવાનો ઠપકો સાંભળવો પડે, એના કરતાં આ સ્વતંત્ર જીવન શું ખોટું? સુખ ને વૈભવ તો આખરે મન પર આધાર રાખનારી વસ્તુ જ છે ને! ભગવાન જેટલા અતિ કઠોર તો નહિ, પણ સામાન્ય દુઃખ સહન કરતા અમે અહીં તાપસધર્મ સેવીએ છીએ. ભાઈ ! એ તો કર્યું એટલું કામ !” નમિ-વિનમિએ પૂછ્યું : “તો હવે અમારું શું ? ભગવાને સહુને વહેંચીને ભાગ આપ્યો, તો પછી અમને કેમ ન આપ્યો ? અરે ! એમની નજરમાં તો અમે સહુ સરખા હતા, શું ભરત કે શું નમિ !” “ભાઈ ! એ તો જેવાં આપણાં નસીબ ! વાદળ તો એના વખતે વરસે; આપણી રાહ ન જુએ ! આપણે એની રાહ જોવાની હોય.' પિતાએ બંને પુત્રોને ૧૭૨ જ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy