SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વતની ગિરિમાળને ચરણે સેનાપતિરત્નનો આપણે મહામોંઘો બિલ ધરવો પડશે.’ અને વર્ષા થંભવાની તો કોઈ નિશાની નજરે પડતી નથી!” ભરતદેવે ઘનઘોર આકાશ તરફ જોતાં કહ્યું. વર્ષાની પણ ચિંતા નથી. જો એનાં પાણીને ક્યાંક માર્ગ મળે ને અહીં સંચય થવાને બદલે બીજે રસ્તે સરી જાય, તોપણ ઘણી રાહત રહે ! આજે તો આખી સેનાનું ભાવિ ચર્મરત્ન ને છત્રરત્ને રચેલા આ નવા બ્રહ્માંડ પર જ અવલંબે છે,’ મહામંત્રીએ કહ્યું. એ વખતે અચાનક અટ્ટહાસ્ય સંભળાયું. વાદળોમાં પડઘા પાડતું, પહાડોમાં ગર્જારવ કરતું એ હાસ્ય સમસ્ત પાર્વતીય પ્રદેશ પર બિભીષિકા પાથરી રહ્યું. કાચાપોચાનાં કાળજાં થરથરી ગયાં ભરતદેવ ને મંત્રીરાજ પણ ચમકી ઊઠ્યા ! મંત્રીરાજ, આ અટ્ટહાસ્ય સાંભળ્યું ?” ‘હા દેવ ! આ છ દિવસોમાં એક વાર નહિ, અનેક વાર સાંભળ્યું. કયાંથી આવે છે, એની શોધ કરી પણ પત્તો ન લાગ્યો. કોણ કરે છે, એ જાણવા મથ્યા, પણ પ્રયત્ન મિથ્યા થયો. આ ભયંકર, રોમરોમ કંપાવતું, અનિષ્ટના પડછંદા પાડતું વિકરાળ અટ્ટહાસ્ય સેનાની અર્ધી હિંમત હણી નાખે છે. મને તો અમાં કંઈક વહેમ પડે છે. પણ તમે મને વહેમી કહેશો એટલે બોલતો નથી!” ‘કહો, મંત્રીરાજ ! કહેવાનો તમારો ધર્મ છે. હું ગમે તેમ કહું, પણ કહેવાનો તમારો ધર્મ તમે ન ચૂકશો. હું તો કંઈ જ નથી. જે છો તે તો તમે બધા જ છો ! પાંખ વિનાનાં પંખીની શી કિંમત !' આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પોતે કંઈ ન કરી શક્યા, એવી અસહાયતાની વ્યથા ભરતદેવના શબ્દોમાં ભરી હતી. ‘હંમેશાં તમે બધાએ જાતે મરવાનું પસંદ કરીને મને જાળવ્યો છે. તો કહો, કેવો વહેમ પડે છે?” ‘કાવતરાનો.’ ‘કાવતરું ? કોણ કરે કાવતરું ?” મ્લેચ્છ લોકો ! એ લોકો ક્રૂર ને કપટી હોય છે.' તેઓની આ શક્તિ નથી.’ Jain Education International For Private & Personal Use Only કસોટી * ૧૨૭ www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy