SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરાઉપરી ઘણના ઘા થતા હતા. પર્વતવાસીઓ મનમાં મલકાતા હતા, અરસપરસ કહેતા હતા : “આ વજાર કોઈથી ખૂલ્યાં છે કે આનાથી ખૂલશે ?” બીજો કહેતો : “અને કદાચ ખૂલ્યાં તો છેવટે લોહઘર્ષણથી જાગેલો અગ્નિ એમને શેકી ખાધા વગર રહેશે ખરો ?” ત્રીજો બોલ્યો : “હું તો એમ કહું છું કે દ્વાર ઊઘડશે પણ ખરાં, તેઓ અગ્નિ બૂઝવશે પણ ખરા, પણ પછી આંધળા ભીંત ! પચાસ જોજનની લાંબી નાળ પસાર કરવી એ કંઈ બચ્ચાંના ખેલ નથી. આ તો ત્યાં વસતાં ભૂખ્યાં ડાંસ શ્વાન, શૃંગાલ ને ચામાચીડિયાં વગેરે જીવજંતુના ભાગ્ય જાગ્યાં. ઘણે દિવસે એમને માનવજાતનું તાજું ફળફળતું મિષ્ટ લોહી પીવા મળશે !' માનવ-રક્તના સ્વાદીલા આ લોકોનાં મોંમાં પાણી છૂટ્યું. તેઓ પોતાના સૂકા હોઠ પર જીભ ફેરવવા લાગ્યા. ચોથો બોલ્યો : “અરે ! હું તો એની ના નથી પાડતો. પણ પેલી બે નદીઓનું શું? એક પર તરાય જ નહિ, અને બીજી પર જવાય જ નહિ, જાય એને ટપ લઈને પેટમાં ગળી જાય ! ઓહિયાં !” બોલનાર બોલીને ખૂબ હસ્યો. બીજા પણ હસવા લાગ્યા. પણ અચાનક ભયંકર ગર્જના સંભળાઈ. પહાડનાં શિખરો વૃદ્ધ માણસના મસ્તકની જેમ ધ્રુજી રહ્યાં હતાં ! ચારેકોરથી પૃથ્વી, પાણી, પવન ને આકાશને વીંધતો અવાજ ઊઠ્યો ! ફરી ગર્જના સંભળાઈ, સાથે સાથે જયનાદ સંભળાયો : સેનાપતિ સુષેણનો જય ! “ચક્રવર્તી મહારાજનો જય ° સેનાપતિ સુષેણનો સામો પડછંદો આવ્યો ને ગુફાનાં દ્વાર પર હાથમાં રહેલ ગદાથી દંડરત્નથી એક વધુ પ્રહાર થયો. પ્રહારની સાથે બે વાદળ ચિરાય એમ ભયંકર નિર્દોષ કરતાં દ્વાર ખૂલી ગયાં. પણ સાથેસાથે વાદળના ઘટાટોપમાંથી વીજ ઝબૂકે એમ અગ્નિનો એક મોટો ધોધ સામે કાળરાક્ષસની જેમ ધસી આવ્યો. માત્ર ભરતદેવ અને સેનાપતિ સુષેણ સિવાય અહીં કોઈ નહોતું. તેઓ દ્વારની બાજુમાં ખસી ગયા. ભયંકર લાલ વાળાઓ પૃથ્વી અને આકાશને ભરખતી બહાર ધસી આવી – હમણાં બધું બળીને ખાખ સમજો ! તમિસ્યાનાં દ્વાર - ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy