________________
૧૭
દેરાં કે દીકરા ?
આાસુરના ડુંગરા ડોલે છે. વનમાં વાઘ બોલે છે. ‘જય અંબે ! જય જગદંબે !’ ના નાદથી ગુફાઓ ગાજે છે.
મા અંબાના ધામમાં એક માણસ બેઠો છે. પડછંદ એની કાયા છે. વિશાળ એની છાયા છે. મોં પર ભારે તેજ છે. ત્રણ-ત્રણ દિવસથી બેઠો છે. ખાધું નથી. પીધું નથી. વ્રત લઈને બેઠો છે. ભારે આત્મશ્રદ્ધાવાન પુરુષ છે. એને હૈયે એક જ વાત છે :
“મા બોલે તો હા, નહિ તો ના !
“મા હોંકારો ભણે તો હા, નહિ તો ના !
“આજ માનો જવાબ લીધા વિના ઊભા થવાનું નથી. સાધના સફ્ળ થાય કાં મોત મળે !”
રાત ઘનઘોર વીતે છે. દિવસ ભયંકર જાય છે. અને એથીય ભયંકર વીતે છે સમીસાંજ !
માનું આરતી ટાણું થયું છે.
ધૂપ એ વખતે ખૂણેખૂણાને સુગંધથી ભરી દે છે. શત-શત દવડાઓ ઝાકમઝોળ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
દેરાં કે દીકરા ? * ૬૯
www.jainelibrary.org