SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વિનાની વાત હોય એમ કિર્તિધરે જવાબ આપ્યો. સરઘરને લાગ્યું કે આની સાથે મુદ્દાની વાત કરી લેવામાં જ સાર છે. એણે કહ્યું : “કર્તિધરજી ! દંડનાયક વિમળશાહે આપને તેડાવ્યા છે.” “ભાઈ ! રાજદરબારમાં મારું કામ નહિ. હવે મેં એવા સંબંધ બહુ ઓછા કરી નાખ્યા છે. મને શા માટે બોલાવે છે ? કંઈ કેટલ્લિા કે રાજમહેલ નિર્માણ કરવા બોલાવતા હશે, બીજું શું હોય ? પણ સરદારજી ! મેં તો હવે ઓજાર મૂક દીધાં છે.” પણ વિમળશાહને આપનું બહુ અગત્યનું કામ છે. એક વખત પધારો, પછી બીજી વાત.” ના ભાઈ, એ નહિ બને ! મને ત્યાં બોલાવી હેરાન કરે. મારે હવે લ્લિાઓ કે ભેદી રાગૃહ નથી રચવાં. રાજમહેલો વિહારભવનો નથી બાંધવાં. ભાઈ ! મેં તો બધે અન્યાય થતો જોયો છે. કરાગૃહ અને કિલ્લાઓમાં બિચારા સપુરુષોને ગોંધી રાખી એમના ઉપર ત્રાસ વર્તાવાય છે, ને રાજભવનો અને વિહારભવનોમાં હવે સતીઓને સંતાપ દેનારી વાચંગનાઓ વસવા આવે છે.” કિર્તિધર બોલતાં થોભ્યો. એના બેદરકર ચહેરા ઉપર અત્યારે પુણ્યપ્રકોપ છવાયેલો હતો. એણે ફરીથી કહ્યું : “બસ, ઘણું કર્યું, હવે કંઈ નથી કરવું. સરધરજી, જઈને તમારા માલિકને કહી દેજો કે કિર્તિધર મરી ગયો છે ! હવે વિલાસમંદિર કે રાજભવનો બાંધનારો કિર્તિધર પૃથ્વીપટ પર હયાત નથી. ભાઈ ! મારી પત્ની ગુજરી ગઈ અને ગુલાબના ગોટા જેવો પુત્ર પરલોકમાં સિધાવી ગયો, તે દિવસથી આ બધું બંધ કર્યું. નાની જિંદગી માટે આ ઉધામાં શા ? પ્રભુની કુદરત જોઉં છું ને મસ્ત રહું છું. મને કિર્તિ કે દ્રવ્યનો લોભ નથી !” સરધર તો આભો બની ગયો. એણે ઘેર ચાંલ્લો કરવા આવતી લક્ષ્મીને ઠોકરે મારનાર પુરુષ આજે જ જોયો ! આવાને સમજાવવા માટે તો વિમળશાહે પોતે જ અહીં આવવું જોઈએ. સરઘરે વિમળશાહને બધી હકીકત લખી અને એક ઘોડેસવારને સંદેશો આપી તાબડતોબ રવાના કર્યો. અજોડ શિલ્પી જ ઉ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004515
Book TitleMantrishwara Vimal
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy