________________
૧૩
અર્બુદાચલ
ચંદ્રાવતી અર્બુદાચળની પૂર્વ તરફ્ની તળેટીની નજીક વસેલું હતું. મહમંત્રી વારે-વારે એ ઊંચા પહાડનાં સુંદર શૃંગો સામે નીરખી રહેતા. અને રાજકાજમાંથી નિવૃત્ત થતાં અર્બુદાચલ પર આવેલા અચલગઢ પર જઈને રહેતા. અહીં એમનું ભારે દિલ હળવું ફૂલ બની રહેતું. એ જ ભૂમિ ૫૨ ગુરુદેવે દેરાં બાંધવાનો આદેશ ર્યો : જાણે જોઈતું હતું ને વૈદ્યે કહ્યું. વિમલશાહનું કલાકારનું દિલ અને દાનવીરતાના હાથ હવે આ પુણ્યભૂમિ તરફ લંબાયા હતા. એ હમેશાં ભાવના ભાવતા કે એ શિખરો પર વીતરાગનાં કલામય મંદિરો સરજું ! એવાં સરજું કે માણસને સોનું ફેંકી દેવાનું અને પથરા સંઘરવાનું મન થાય; ભલભલા રાજવીને તલવાર ફેંકી દેવાનું અને તસબી ઉપાડી લેવાનું દિલ થાય.
આ પહાડ પર આજે વીતરાગનું એકે મંદિર નહોતું. પઘડ જંગલી જાનવરોથી ભરેલો હતો.
આબુ એ હિમાલયનો ભાગ લેખાતો. જૂના લોકો વાતો કરતાં કે પહેલાં આ તપોભૂમિ હતી. ઋષિઓ આ પર્વતના શિખર પર વાસ કરતા અને પરમાત્માનું
ધ્યાન ધરતા.
Jain Education International
For Private & Personal Use Only
અર્બુદાચલ ♦ ૫૧
www.jainelibrary.org