SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ અર્બુદાચલ ચંદ્રાવતી અર્બુદાચળની પૂર્વ તરફ્ની તળેટીની નજીક વસેલું હતું. મહમંત્રી વારે-વારે એ ઊંચા પહાડનાં સુંદર શૃંગો સામે નીરખી રહેતા. અને રાજકાજમાંથી નિવૃત્ત થતાં અર્બુદાચલ પર આવેલા અચલગઢ પર જઈને રહેતા. અહીં એમનું ભારે દિલ હળવું ફૂલ બની રહેતું. એ જ ભૂમિ ૫૨ ગુરુદેવે દેરાં બાંધવાનો આદેશ ર્યો : જાણે જોઈતું હતું ને વૈદ્યે કહ્યું. વિમલશાહનું કલાકારનું દિલ અને દાનવીરતાના હાથ હવે આ પુણ્યભૂમિ તરફ લંબાયા હતા. એ હમેશાં ભાવના ભાવતા કે એ શિખરો પર વીતરાગનાં કલામય મંદિરો સરજું ! એવાં સરજું કે માણસને સોનું ફેંકી દેવાનું અને પથરા સંઘરવાનું મન થાય; ભલભલા રાજવીને તલવાર ફેંકી દેવાનું અને તસબી ઉપાડી લેવાનું દિલ થાય. આ પહાડ પર આજે વીતરાગનું એકે મંદિર નહોતું. પઘડ જંગલી જાનવરોથી ભરેલો હતો. આબુ એ હિમાલયનો ભાગ લેખાતો. જૂના લોકો વાતો કરતાં કે પહેલાં આ તપોભૂમિ હતી. ઋષિઓ આ પર્વતના શિખર પર વાસ કરતા અને પરમાત્માનું ધ્યાન ધરતા. Jain Education International For Private & Personal Use Only અર્બુદાચલ ♦ ૫૧ www.jainelibrary.org
SR No.004515
Book TitleMantrishwara Vimal
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy