________________
“છેલ્લી વાત. મહારાજને જે કરવું હોય તે કરે. કત્વ માટે તૈયાર છું, કરાગાર માટે તૈયાર છું, પણ આ કાવતરાખોરો ભેગું હવે નથી રહેવું. ગુનો એવો નથી કે આપણા જાનને હાનિ પહોંચે. મિલકત ભલે લેવી હોય એ લઈ જાય. ચાલો, આ ભૂમિને પ્રણામ કરીએ. આપણે તૈયાર થઈ જઈએ.”
“તૈયાર છું, સ્વામી ! શ્રીદેવીને તમે નિર્બળ ન માનતા. અબળા જ્યારે સબળા થાય ત્યારે એને બેઈ ન પહોંચે.”
“તો કરો તૈયારી સાથે એક જોડ કપડાંથી વધુ કંઈ ન લેશો !” અને બંને તૈયારીમાં પડી ગયાં.
આ તરફ મહારાજા ભીમદેવ પણ વિચારમાં પડી ગયા. થતાં તો થઈ ગયું, પણ મામલો કાબૂમાં રાખવા જેવો હતો ! પણ હવે તો સાપે છછૂંદર ગળ્યા જેવું થયું હતું : વિમળશાહને મનાવવા જતાં પોતાનું માન ઓછું થતું હતું, તેમ તેમને જવા દેતાં રાજ્યમાં મોટી હોહા થાય તેમ હતું. - હવે શું કરવું ? મહારાજા ભીમદેવે પોતાના ખાનગી સલાહકારોને ફરી તેડાવ્યા. સૌ ઊંડા વિચારમાં પડ્યા. છેવટે એક યુક્તિ સૂઝી આવી. મંત્રીએ કહ્યું :
“મહારાજ ! ચંદ્રાવતીનો રાજા ધંધુક આજકલ ઉદ્ધત બની ગયો છે; ખંડણી વગેરે નિયમિત મોક્લાવતો નથી. એને શિક્ષા કરવા વિમળશાહને મોકલોહારે તો તો ઠીક છે, ટાઢે પાણીએ ખસ જશે !ને જીતે તો વ્યવસ્થા માટે ત્યાં જ રાખજો !”
“હા, હા, બરાબર યુક્તિ છે.” સૌ રાજી થઈ ગયા.
વિમળશાહને બોલાવવામાં આવ્યા. વિમળશાહ બળા પોષાકે ને કળા ઘોડે ત્યાં આવ્યા; વિદાયની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. હાથમાં ભંડારની ચાવીઓ હતી.
પણ વાતાવરણમાં વળી મીઠાશ ઘોળાતી લાગી. આ મીઠાશ ઝેર કરતાં પણ ભૂંડી હતી.
મહારાજાએ મીઠા અવાજથી કહ્યું : “વિમળશાહ! તમને દુઃખ થાય એવી વાત હું કરતો નથી. આપણું લેણું-શું આપણે પછી સમજી લેશું. ઘી ઢોળાયું તો
કરી, કરી ને ન કરી ! જ ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org