SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ! એ જમાનો ભારતની વૈભવભરી ભૂમિ હતી. એ ભૂમિ પર ગિજનીના સુલતાન મહમૂદના અરબી ઘોડાઓના દાબડા પંદર-પંદર વખત ગાજી ગયા હતા. એ વખતે ભારત બીજા દેશો માટે કામધેનુ સમાન હતો. એક-એકચડાઈમાં અરબી ઊંટોની પીઠ ઝૂકી જાય તેટલાં મણિમુક્તા અને સોનુંરૂપે લઈ જવા છતાં ભારતનો વૈભવ ઓછો થયો ન હતો. અને એ જોઈને જ પરદેશીઓ ફરીથી, બરછી, તીર, કૃપાણ ને કટારીઓ સજ્જ કરી રહ્યા હતા. હજી તો યુદ્ધનો થાક ઊતર્યો નહોતો, ને સોળમી વાર કેવળ ધનને ખાતર જ સુલતાન મહમ્મદ સૈનિકોને સજ્જ કરી આવી રહ્યો હતો. આ સોળમી વારની રણભેરીઓ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ગાજવાની હતી. આ સમયે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પાટણ(અણહિલપુર)ના રાજાઓની હાક વાગતી. પાટણને વચ્ચે સૈક તો બે જ પસાર થયા હતા; છતાં અજરંગની કેટકેટલીયે અટપટી રમતો રમાઈ ગઈ હતી. પાટણના સ્થાપક વીરસરી વનરાજ ચાવડા એકસો દશ વર્ષની વૃદ્ધ વયે ૫૦ વર્ષ રાજ્ય ભોગવી આરામગાહમાં પોઢી ગયા હતા. ૯ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004515
Book TitleMantrishwara Vimal
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy