________________
!
એ જમાનો ભારતની વૈભવભરી ભૂમિ હતી. એ ભૂમિ પર ગિજનીના સુલતાન મહમૂદના અરબી ઘોડાઓના દાબડા પંદર-પંદર વખત ગાજી ગયા હતા. એ વખતે ભારત બીજા દેશો માટે કામધેનુ સમાન હતો.
એક-એકચડાઈમાં અરબી ઊંટોની પીઠ ઝૂકી જાય તેટલાં મણિમુક્તા અને સોનુંરૂપે લઈ જવા છતાં ભારતનો વૈભવ ઓછો થયો ન હતો. અને એ જોઈને જ પરદેશીઓ ફરીથી, બરછી, તીર, કૃપાણ ને કટારીઓ સજ્જ કરી રહ્યા હતા.
હજી તો યુદ્ધનો થાક ઊતર્યો નહોતો, ને સોળમી વાર કેવળ ધનને ખાતર જ સુલતાન મહમ્મદ સૈનિકોને સજ્જ કરી આવી રહ્યો હતો. આ સોળમી વારની રણભેરીઓ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ગાજવાની હતી.
આ સમયે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પાટણ(અણહિલપુર)ના રાજાઓની હાક વાગતી. પાટણને વચ્ચે સૈક તો બે જ પસાર થયા હતા; છતાં અજરંગની કેટકેટલીયે અટપટી રમતો રમાઈ ગઈ હતી.
પાટણના સ્થાપક વીરસરી વનરાજ ચાવડા એકસો દશ વર્ષની વૃદ્ધ વયે ૫૦ વર્ષ રાજ્ય ભોગવી આરામગાહમાં પોઢી ગયા હતા. ૯ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org