________________
તવારીખની તેજછાયા
આ રીતે દરેક તીર્થંકરની માતાને ગર્ભમાં રહેલા પ્રભુના આત્માના પ્રભાવથી અવનવા વિચારો દોહલા ઉત્પન્ન થાય છે. અને તે દોહલા યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવે છે.
તીર્થંકરનો આત્મા માતાના ગર્ભમાં આવે છે ત્યારે દિનપ્રતિદિન માતાના મનના વિચારોમાં પરિવર્તન આવે છે અને ઉત્તમોત્તમ આત્માના પુણ્ય પ્રભાવથી માતા પણ ધન્ય બનીને શુભ વિચારોને સુકૃતમાં નિમગ્ન થાય છે. એટલે ગર્ભના પ્રભાવથી ૨૪ તીર્થંકરોની માતાની સ્થિતિ કેવી થઈ અને તે ઉપરથી ભગવાનનું નામકરણ કરવામાં આવ્યું છે. આ માહિતી પણ તીર્થંકરની માતાની સાથે સંબંધ ધરાવે છે તેની વિગત નીચે પ્રમાણે જાણવી.
૧. ઋષભદેવ-તીર્થંકરની માતા નિદ્રાવસ્થામાં ચૌદ સ્વપ્ન જુએ છે. તદ્ અનુસાર મરુદેવા માતા સિંહને બદલે વૃષભને પહેલા સ્વપ્નને જૂએ છે. એટલે ઋષભદેવ નામ રાખવામાં આવ્યું છે.
૨. જિતશત્રુ રાજા અને વિજયા રાણી પાસાંની રમત રમતાં હતાં ત્યારે રાજાની જીત થતી હતી પણ અજિતનાથ ભગવાન ગર્ભમાં આવ્યા પછી પાસાંની રમતમાં રાણીની જીત થતી હતી. પ્રભુના આ પ્રભાવથી જન્મ પછી અજિતનાથ નામ રાખવામાં આવ્યું હતું. રાણીની જીતનું કારણ ગર્ભમાં રહેલો પ્રભુનો આત્મા અને એમનો પ્રભાવ હતો.
૩. સેના રાણી અને જિત શત્રુ રાજાના રાજ્યમાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે સંભવનાથ ભગવાનનો આત્મા રાણીના ગર્ભમાં હતો તેના પ્રભાવથી રાજ્યમાં ધનધાન્યની વૃદ્ધિ થવા લાગી અને જન્મ પછી સંભવનાથ નામ પાડવામાં આવ્યું હતું. ગર્ભસ્થ આત્માનો પ્રભાવ કેવો કે દુષ્કાળમાંથી સુકાળ થયો.
૪. સિદ્ધાર્થા રાણીની કુક્ષિએ ભગવાનનો આત્મા ઉત્પન્ન થયો ત્યારે વારંવાર ઇન્દ્ર મહારાજા આવીને માતાની સ્તુતિ કરતા હતા. સંવર રાજાએ જાણ્યું કે આનું કારણ ગર્ભસ્થ આત્માનો પ્રભાવ છે. પરિણામે જન્મ પછી અભિનંદન નામાભિધાન કરવામાં આવ્યું હતું.
૫. એક છોકરા વિશે બે માતાઓની તકરારનો જગપ્રસિદ્ધ ન્યાય આત્મપ્રભાવથી કર્યો તેથી તે સુમતિ--સારી બુદ્ધિ ઉત્પન્ન થવાથી સુમતિનાથ નામ પાડવામાં આવ્યું હતું.
૬. સુસીમા માતાના ગર્ભમાં પ્રભુનો આત્મા આવ્યો ત્યારે કમળની સુકોમળ શય્યામાં શયન કરવાનો દોહદ ઉત્પન્ન થયો
Jain Education International
For Private
૯૪૫
હતો એટલે પુત્રનો જન્મ થયા પછી પદ્મપ્રભસ્વામી નામ પાડવામાં આવ્યું હતું.
૭. પૃથ્વી માતાના ગર્ભમાં પ્રભુનો આત્મા આવ્યો ત્યારે માતા ‘પાસા' ના રોગથી પીડાતી હતી પણ ગર્ભમાં રહેલા ભગવાનના આત્માના પુણ્ય પ્રતાપે માતા રોગમુક્ત થઈ ગઈ હતી. પરિણામે જન્મ પછી સુપાર્શ્વનાથ નામ રાખવામાં આવ્યું હતું.
૮. લક્ષ્મણા રાણી ગર્ભવતી હતી ત્યારે ચંદ્રનું પાન કરવાનો દોહલો ઉત્પન્ન થયો હતો. ગર્ભમાં રહેલા પ્રભુના આત્માના પ્રભાવથી આવો દોહલો ઉત્પન્ન થયો હતો એટલે ચંદ્રપ્રભ સ્વામી નામ પાડ્યું હતું.
૯. રામા રાણીના ગર્ભમાં ભગવાનનો આત્મા ઉત્પન્ન થયો ત્યાર પછી રાણી અને સુગ્રીવ રાજા વિધિપૂર્વક ધર્મની આરાધના કરવા લાગ્યા. એટલે સુવિધિનાથ નામકરણ કરવામાં આવ્યું હતું. ગર્ભસ્થ આત્માના પ્રભાવનું કેવું ઉત્તમ પરિણામ!
૧૦ દશરથ રાજાને દાહજ્વરની અસહ્ય વેદના ભોગવવી પડતી હતી, ત્યારે નંદા રાણી ગર્ભવતી થઈ. ગર્ભમાં પ્રભુના આત્માના પ્રભાવથી રાણીએ રાજાના શરીર ઉપર હાથ ફેરવ્યા એટલે રાજાની દાહ જ્વરની પીડા તુરત જ દૂર થઈ ગઈ. એટલે પુત્રજન્મ પછી શીતલનાથ નામ પાડ્યું હતું.
૧૧. દેરાસરમાં પરંપરાગત રીતે દેવતા અધિષ્ઠિત શય્યાની પૂજા થતી હતી. તેના ઉપર જો કોઈ બેસે કે શયન કરે તો ઉપદ્રવ થતો હતો. ભગવાનનો આત્મા વિષ્ણુ માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયો ત્યારે માતાએ વિચાર્યું કે દેવગુરુની પૂજા થાય તે તો યોગ્ય છે, પણ શય્યાની પૂજા થાય એવું કદી સાંભળ્યું નથી એમ વિચારીને રાણી શય્યા ઉપર આરામથી બેસી ગઈ. રાજાએ મનાઈ કરી છતાં રાણી બેસી ગઈ પણ ગર્ભમાં રહેલા પ્રભુના આત્માના પ્રભાવથી કોઈ ઉપદ્રવ થયો નહીં છેવટે દેવ શય્યાનો ત્યાગ કરીને જતો રહ્યો. પ્રભુના આત્માના પ્રભાવથી દેવનું કંઈ ચાલ્યું નહીં અને સૌનું કલ્યાણ થયું એટલે જન્મ પછી શ્રેયાંસનાથ નામ પાડવામાં આવ્યું હતું.
૧૨. જયા માતાના ગર્ભમાં પ્રભુનો આત્મા આવ્યો ત્યારે ઇન્દ્ર મહારાજાએ વારંવાર રાજાના દરબારમાં રત્નોની વૃષ્ટિ કરી હતી. એટલે વાસુપૂજ્ય નામ પાડવામાં આવ્યું હતું. પ્રભુના પુણ્યપ્રતાપથી આવાં રત્નોની વૃષ્ટિ થતી હતી.
૧૩. શહેરમાં દહેરા પાસે ઊતરેલાં સ્ત્રીપુરુષ સૂતાં હતાં, તેમાંના પુરુષ રૂપ ઉપર મોહ પામેલી હોઈ ત્યાં રહેલી વ્યંતરી
Personal Use Only
www.jainelibrary.org