SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ tot આ તોષલીપુત્ર મુનિ આર્ય રક્ષિતને શાસ્ત્રઅભ્યાસ કરાવ્યો અને પછી પૂર્વનું જ્ઞાન મેળવવા-દૃષ્ટિવાદનો અભ્યાસ કરવા આર્ય વજસ્વામી પાસે જવા આજ્ઞા આપી. આર્ય રક્ષિતજીએ પણ રસ્તામાં-અવન્તિમાં આર્ય વજસ્વામીના વિદ્યાગુરુ આ ભદ્રગુપ્તસૂરિનાં દર્શન કર્યાં અને તેમની ભાવના મુજબ વીર સં. ૫૩૩માં તેમને અનશન કરાવી અંતિમ આરાધનાપૂર્વક સમાધિમૃત્યુ કરાવ્યું. આ ભદ્રગુપ્તસૂરિએ આર્ય રક્ષિતને પહેલેથી જ સૂચના કરી હતી કે, “વત્સ! સોપક્રમી આયુષ્યવાળો મુનિ આર્ય વજસ્વામીની સાથે એક પણ રાત રહેશે તો તેમની સાથે જ મૃત્યુ પામશે, માટે તું આર્ય વજ્ર પાસે વિદ્યા ભણજે પણ તેમની સાથે ઊતરીશ નહીં અને રાતવાસો કરીશ નહીં.” આર્ય રક્ષિતે વિનય કર્યો કે, “પ્રભો! જેમ આપ કહો છો, તેમ કરીશ.' પછી આ૰ ભદ્રગુપ્તસૂરિ સ્વર્ગે ગયા.' આર્ય રક્ષિતજી ત્યાંથી વિહાર કરી જ્યાં આર્ય વજસ્વામી છે ત્યાં પહોંચ્યા અને જુદા ઉપાશ્રયમાં ઊતર્યા. આર્ય વજસ્વામીને તે જ પરોઢિયે સ્વપ્ન આવ્યું કે, “મારા દૂધથી ભરેલા પાત્રમાંથી કોઈ અતિથિ આવી ઘણું પી ગયો. તેણે થોડું બાકી રાખ્યું.” સૂરિજી જાગ્યા. તેમણે સ્વપ્નના આધારે નક્કી કર્યું કે, આજે કોઈ મુનિજી આવશે ને મારું પૂર્વશ્રુત ગ્રહણ કરશે. ત્યારબાદ થોડો વખત જતાં આર્ય રક્ષિતજી ત્યાં આવ્યા. તેમણે આવી વંદન કરીને જણાવ્યું કે, હું આ તોષલીપુત્રની આજ્ઞાથી પૂર્વનું જ્ઞાન મેળવવા આપની પાસે આવ્યો છું. મેં રસ્તામાં આ ભદ્રગુપ્તસૂરિને નિર્યામણા કરાવી છે અને તેમના કહેવાથી જ જુદા ઉપાશ્રયમાં ઊતર્યો છું તો મને કૃપા કરીને જ્ઞાનદાન કરો.” આર્ય વજસ્વામીએ ઉપયોગથી જોયું કે, “આ વાત બરાબર છે, આ સુપાત્ર છે, આને પૂર્વનું જ્ઞાન આપવું સર્વથા ઉચિત છે.’’ આમ વિચારી તેમને વાચના આપવી શરૂ કરી અને ૯ પૂર્વ સુધીનું જ્ઞાન ભણાવ્યું. બીજી તરફ તેમનો નાનો ભાઈ ફલ્ગુરક્ષિત માસપિતાના આગ્રહથી તેમને તેડવા આવ્યો. આર્ય રક્ષિતે તેન પણ દીક્ષા આપી અને આર્ય વજસ્વામીને પૂછ્યું કે, “હવે દશમું પૂર્વ કેટલું બાકી છે?' સૂરિજીએ કહ્યું : “વત્સ! હજી તો તું સમુદ્રમાં બિન્દુ જેટલું જ ભણ્યો છે.' આર્ય રક્ષિતને કંઈક અતિ અભ્યાસના થાકથી અને પોતાના લઘુબંધુ મુનિ ફલ્ગુરક્ષિતની પુનઃ વાતથી માતા-પિતા પાસે મંદસોર જવાની ઇચ્છા જાગી અને એક દિવસ આચાર્યશ્રીની અનુજ્ઞા માગી. આર્ય વજસ્વામીએ શ્રુતમાં ઉપયોગ Jain Education International For Private ચતુર્વિધ સંઘ મૂકી જાણ્યું કે, આ મુનિ ૧૦ પૂર્વ નહીં ભણી શકે. દશમું પૂર્વ મારી સાથે જ વિચ્છેદ પામવાનું છે એમ જાણી તેમને લા (સાડાનવ) પૂર્વ ભણાવી રજા આપી. આર્ય રક્ષિતે પોતાના લઘુબંધુ સહિત જન્મભૂમિ દશપુર (મંદસોર) જવા વિહાર કર્યો. વિચરતાં વિચરતાં તેઓ પાટલીપુત્ર નગરે પધાર્યા. ત્યાં પોતાના ગુરુ આચાર્ય તોષલીપુત્ર મળ્યા. અહીં ગુરુ તોષલીપુત્રે આર્ય રક્ષિતને સૂરિપદે સ્થાપી સ્વર્ગગમન કર્યું. આચાર્ય આર્યરક્ષિતસૂરિ ત્યાંથી વિહાર કરી દશપુર નગર પધાર્યા. મુનિ ફલ્ગુરક્ષિતે આગળથી માતાને સમાચાર આપ્યા હતા કે, “તમારો પુત્ર આચાર્ય થઈને આવ્યો છે” આચાર્ય આર્યરક્ષિતસૂરિ પધારતાં, તેમને મુનિવેશધારી જોઈ, માતા હર્ષથી રોમાંચિત થયાં. પિતા સોમદેવ પણ હર્ષ પામ્યા. આ આર્યરક્ષિતસૂરિએ માતા-પિતા, મામા વગેરેને અનેક પ્રકારે મનુષ્યજન્મની દુર્લભતા સમજાવી, પ્રતિબોધ પમાડી, સામાયિક વ્રતના ઉચ્ચારપૂર્વક તે સહુને દીક્ષા આપી. શ્રી આર્યરક્ષિતસૂરિ સાડાનવ પૂર્વના જ્ઞાતા હતા. તેથી શરીરવિજ્ઞાન, તિવિજ્ઞાન તથા માનવિજ્ઞાન વગેરેના ઊંડા જાણકાર હતા. તેમણે વિચાર્યું કે, એક તો પડતો કાળ છે. બાર બાર વર્ષોના દુષ્કાળ પડવાથી શ્રુતજ્ઞાનમાં મોટો હ્રાસ થયો છે અને હવે કદાચ આવા એક-બે દુષ્કાળ પડશે તો શ્રુતજ્ઞાનનો સર્વથા નાશ થશે. બીજું, સંહનનબળ પણ ઘટતું જાય છે. ત્રીજું, જિનાગમનું પ્રત્યેક સૂત્ર અનંત અર્થોથી ભરેલું છે, ગંભીર છે; દરેક સૂત્રમાં ઓછામાં ઓછા ૧. દ્રવ્ય, ૨. ચરણકરણ, ૩. ગણિત અને ૪. ધર્મકથાએ ચાર અનુયોગો તો છે જ. એ દરેકને ધારણ કરે એવી બુદ્ધિવાળા મુનિઓ થોડા છે, એટલે એ ચાર અનુયોગોની રક્ષા કરવા જતાં સૂત્રોની રક્ષા કરવી મુશ્કેલ થઈ પડશે. ચોથું, શ્રુતધરો સ્થવિર છે, વૃદ્ધ છે અને નાગેન્દ્ર વગેરે મુનિઓ બિલકુલ નવા છે. તેઓને બને તેટલા ઓછા સમયમાં શ્રુતજ્ઞાન આપી દેવું જોઈએ. કાળ થોડો છે અને કામ ઘણું છે. આ રીતે શ્રી આર્યરક્ષિતસૂરિએ ગંભીર વિચાર કર્યો. સમકાલીન પ્રભાવક આચાર્યોની સંમતિ લીધી. દરેક સૂત્રપાઠનો એકેક પ્રધાન અર્થ કાયમ રાખી, ગૌણ અર્થોને જતા કર્યા અને એ રીતે દરેક આગમને ચાર અનુયોગમાં વહેંચી નાખ્યા, જે આ પ્રમાણે હતા–૧. દ્રવ્યાનુયોગ : દૃષ્ટિવાદ. ૨. ચરણકરણાનુયોગ : ૧૧ અંગો, છેદસૂત્રો, મહાકલ્પ, ઉપાંગો, મૂળસૂત્ર. ૩. ગણિતાનુયોગ : સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ. ૪. ધર્મ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy