SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૪ મુનિઓ પાસે ભોજનની યાચના કરી. મુનિ બોલ્યા કે-“ગુરુના આદેશ વિના અમે કોઈ પણ કાર્ય કરી શકતો નથી.” એ રંક પણ મુનિઓની પાછળ પાછળ ઉપાશ્રયે ગયો. મુનિઓએ રંકની તરફ સંકેત કરીને આર્ય સુહસ્તિને કહ્યું કે-“આર્ય! આ રંક અમારી પાસે ભોજનની યાચના કરી રહ્યો છે.” આર્ય સુહસ્તિએ કરણાદષ્ટિથી તેને જોયો અને પછી જ્ઞાનોપયોગથી જાણ્યું કે“આ રંક ભવાંતરમાં જિનપ્રવચનના આધારભૂત થશે.” આર્ય સુહસ્તિએ આ રંકને મધુર સ્વરે સમજાવ્યું કે-“હે ભાગ્યવાન! આ આહાર મુનિજીવન સ્વીકાર કર્યા પછી જ તને આપી , શકીએ. ગૃહસ્થને આ આહાર આપવો એ સાધ્વાચારની મર્યાદા પ્રમાણે યોગ્ય નથી.” રંકને ભોજનના અભાવે મૃત્યુ પામવા કરતાં આ સંયમમાર્ગ કઠિન છતાં સુગમ લાગ્યો. તે મુનિ થવા માટે તત્કાલ તૈયાર થયો. આર્ય સુહસ્તિસૂરિએ મોટા લાભનું કારણ સમજી દીક્ષા આપી. તેને કેટલાય દિવસો ભૂખ્યા કાઢ્યા પછી પ્રથમવાર પર્યાપ્ત ભોજન મળ્યું તેથી આહારમર્યાદાનો વિવેક ન રહ્યો. વધારે પડતું ભોજન પેટમાં જવાથી શ્વાસનળીમાં પ્રાણવાયુનો સંચાર થવો કઠિન બન્યો. દીક્ષા દિવસની પ્રથમ રાત્રિએ જ તે મુનિ ગુરુદેવના બોધથી' સમતાભાવ ધરી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા અને પુણ્યકર્મના યોગે તેમનો આત્મા સમ્રાટ અશોકના પૌત્ર અને કુણાલના પુત્ર સંપ્રતિ રૂપે જન્મ્યો, અને આ અવ્યક્ત સામાયિકની સાધનાના ફળસ્વરૂપે તેને મહાન સામ્રાજ્ય પણ પ્રાપ્ત બન્યું. યુવરાજ સંપ્રતિ એક દિવસ રાજપ્રાસાદના ઝરૂખામાં બેઠા હતા. તેમણે મુનિર્વાદથી પરિવૃત્ત આર્ય સુહસ્તિસૂરિને રાજમાર્ગ પર શ્રીસંઘ સહિત સામૈયામાં પ્રભુની રથયાત્રાના વરઘોડામાં ચાલતા જોયા. પૂર્વભવની સ્મૃતિ જાગી. આર્ય સુહસ્તિની આકૃતિ તેને પરિચિત લાગી. વિશેષ ધ્યાનપૂર્વક જોતાં તેમને જાતિસ્મરણજ્ઞાન થયું. સંપ્રતિએ પોતાનો પૂર્વભવ જાણ્યો. તેમણે પ્રાસાદમાંથી નીચે ઊતરી આર્ય સુહસ્તિસૂરિને વંદન કરી, વિનમ્રભાવે પૂછ્યું કે-“આપ મને ઓળખો છો?” આર્ય સુહસ્તિસૂરિએ જ્ઞાનોપયોગથી રાજા સંપ્રતિનું પૂર્વભવનું સંપૂર્ણ વૃત્તાંત જાણ્યું અને તેમને ઓળખી ગયા. સંપ્રતિએ નમન કરી કહ્યું, “ભગવન્! આપે મને પૂર્વ ભવમાં દીક્ષા આપી, જિનધર્મની શ્રેષ્ઠ એવી સંયમમાર્ગની પ્રાપ્તિ કરાવી તેનું જ આ પરિણામ છે. આપ મારા પરમ ઉપકારી છો. પૂર્વજન્મમાં આપ મારા ગુરુ હતા. આ જન્મમાં પણ હું આપનો ગુરુ તરીકે સ્વીકાર કરું છું. મને આપનો ધર્મપુત્ર માની કર્તવ્ય ચતુર્વિધ સંઘ શિક્ષાથી અનુગૃહીત કરો અને આપશ્રી પ્રસન્ન મનવાળા થઈ કોઈ વિશિષ્ટ કાર્યનો આદેશ કરો, જે સેવાકાર્ય કરી હું અનૃણી બનું.” આર્ય સુહસ્તિસૂરિએ અમૃતમય વાણી દ્વારા કહ્યું કે, “રાજ! ઉભયલોકમાં કલ્યાણકારી એવા જિન ધર્મનું અનુસરણ કરો.” સૂરિજીના ઉપદેશથી રાજા સંપ્રતિએ જૈન ધર્મ સ્વીકાર્યો. સમ્યક્ત સહિત શ્રાવકનાં બારવ્રતો સ્વીકાર્યા અને તે પરમ અહિતોપાસક બન્યો. હવે તે ત્રિકાળ જિનપૂજા કરે છે, સ્વામી ભાઈઓની સદાયે ભક્તિ કરે છે અને ખૂબ જ દાન આપે છે. જ્યાં જ્યાં એનું રાજ્ય હતું ત્યાં જૈન ધર્મનો પ્રચાર કરવામાં તત્પર બને છે. સમ્રાટ સંપ્રતિએ પોતાનાં અસૂર્ય રાજરાણીઓ રાજકુમારીઓ, રાજકુમારો તેમ જ સામંતોને સાધુ બનાવી ચીન, બર્મા, સિલોન, અફઘાનિસ્તાન, નેપાલ, ભૂતાન વગેરે દૂર-સુદૂર પ્રદેશોમાં વિહાર કરાવ્યો હતો અને જૈનધર્મનો વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતો. વળી તેઓ દ્વારા લોકોને સાધુચર્યાના જાણકાર બનાવી, જૈનમુનિઓની વિહારચર્યાને યોગ્ય ભૂમિકા તૈયાર કરાવી હતી. ઉપરાંત, સમ્રાટ સંપ્રતિની પ્રાર્થનાથી આર્ય સુહસ્તિસૂરિએ પોતાના શિષ્યવર્ગને અનાર્યદેશમાં મોકલ્યો અને મિથ્યાત્વથી ગ્રસ્ત તે ક્ષેત્રોમાં અધ્યાત્મદીપક પ્રગટાવ્યો હતો. રાજા સંપ્રતિએ જૈનધર્મ સ્વીકાર્યા પછી સવા કરોડ (કે સવા લાખ) જિનમૂર્તિઓ ભરાવી, ૩૬ હજાર પ્રાચીન જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સવા લાખ નવાં જિનમંદિરો બંધાવ્યાં. એમ કહેવાય છે કે, તેમની માતાને એક નૂતન જિનપ્રતિમાની પ્રતિષ્ઠા પછી જ ભોજન વાપરવાનો નિયમ હતો અને તે કારણે આ વિપુલ પ્રમાણમાં જિનપ્રતિમાઓ ને જિનમંદિરોનું નિર્માણ થયું હતું. રાજા સંપ્રતિએ પોતાના પ્રદેશ ઉર્જન અને આંધ્ર, તામિલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગૂર્જર, મારવાડ, માળવા, રાજપૂતાના વગેરેમાં પણ જૈનધર્મની જ્યોતિને વધુ ઉજ્વલ, જ્વલંત અને દઢ બનાવી ઠેર ઠેર જિનમંદિરો બંધાવ્યાં હતાં. તેણે ભરૂચમાં અશ્વાવબોધ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મારવાડમાં ઘાંઘાણી ગામે ભગવાન પઘસ્વામી ૮ (પદ્મપ્રભુજી)નું, પાવાગઢમાં ભ, સંભવનાથનું, હમીરગઢમાં ભ, પાર્શ્વનાથનું, ઇલોરગિરિમાં ભય નેમનાથનું, રોહિંસગિરિ (પૂર્વ)માં ભ૦ પાર્શ્વનાથનું, દેવપત્તન (દક્ષિણ)માં ભ ચંદ્રપ્રભનું અને ઈડરગઢમાં ભ૦ શાંતિનાથનું મંદિર બંધાવ્યું હતું. (રાજા સંપ્રતિએ ભરાવેલ જિનપ્રતિમાઓ આજે પણ કેટલાંક તીર્થો-જિનાલયોમાં જોવા મળે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy