SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ગયા ત્યારે સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપ્યું. અવધિજ્ઞાન વડે પ્રભુને દેવાનંદાની કુક્ષિમાં રહેલા જાણીને ઇંદ્રે સિંહાસનનો ત્યાગ કરી પ્રભુને નમી વિચાર કર્યો કે “જગપૂજ્ય તીર્થંકરો તુચ્છ (શુદ્ર)ના શુ કુળમાં કદાપિ ઉત્પન્ન થતા નથી, પરંતુ સમુદ્રમાં રત્નોની જેમ આ જિનેશ્વરો ઇક્ષ્વાકુ વગેરે ઉત્તમ ક્ષત્રિયના વંશોમાં ઉત્પન્ન થાય છે. ભરતક્ષેત્રમાં ક્ષત્રિય કુંડગ્રામ નામનું નગર છે. તેમાં સિદ્ધાર્થ નામે રાજા છે. તેને ત્રિશલા નામની પ્રિયા છે. તેના ગર્ભમાં હાલ પુત્રી છે, તેથી આ દેવાનંદા અને ત્રિશલાના ગર્ભનો વ્યતિક્રમ (બદલો) મારે શીઘ્ર કરવો યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને વજ્રના ચિહ્નવાળા ઇંદ્રે નૈગમેષી નામના પોતાના સેનાપતિને આદેશ કર્યો, એટલે તેણે તે કાર્ય તે જ પ્રમાણે કર્યું. ત્રિશલાદેવીએ સુવર્ણ જેવી કાંતિવાળા, સિંહના લાંછનના ચિહ્નવાળા અને ઇક્ષ્વાકુ વંશવાળા ચોવીશમા તીર્થંકર પુત્રને ચૈત્ર માસની શુક્લ ત્રયોદશીએ જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે દેશમાં, દરેક નગરમાં અને પોતાના ઘરમાં સમૃદ્ધિની વૃદ્ધિ થઈ, તેથી પિતાએ પ્રભુનું વર્ધમાન એવું નામ પાડ્યું. “ઉપસર્ગ કરનારા દેવોથી પણ આ પ્રભુ કંપાયમાન થાય તેવા નથી’’ એમ ધારીને ઇંદ્રે તેમનું મહાવીર એવું નામ પાડ્યું. જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં ત્રીશ વર્ષની વયગાળા તે પ્રભુએ જઈને માર્ગશીર્ષ માસની કૃષ્ણ દશમીની તિથિએ દિવસના છેલ્લા પ્રહરમાં છટ્ટની गिरिवर दर्शन विरला पावे Jain Education International For Private 93 તપસ્યા કરીને એકલાએ જ દીક્ષા ગ્રહણ કરી. છઠ્ઠના તપવાળા સ્વામી ઉત્કટિક આસને રહ્યા હતા. તે સમયે વૈશાખ માસની શુક્લ દશમીએ પાછલા ભાગે શ્રી વીર ભગવાન કેવળજ્ઞાન પામ્યા. “અહીં કોઈપણ સર્વ વિરતિને પામનાર જીવ નથી” આ જાણતાં છતાં પ્રભુએ સ્થિતિ (આચાર) હોવાને લીધે સમવસરણમાં વ્યાખ્યાન કર્યું. (ઉપદેશ આપ્યો.) હાથીના વાહનવાળો, માતંગ નામનો યક્ષ હતો તથા સિદ્ધાયિકા નામે દેવી હતી. આ બન્ને શાસનદેવતા નિરંતર પ્રભુની પાસે જ રહેતા હતા. ઘણા પુરુષોએ શ્રાવકપણું અને ઘણી સ્ત્રીઓએ શ્રાવિકાપણું અંગીકાર કર્યું. આ પ્રમાણે શ્રી વીરસ્વામીને ચતુર્વિધ સંઘ થયો. ગણધરોએ ત્રિપદી વડે દ્વાદ્દશાંગીની રચના કરી, કેવળજ્ઞાનથી સાડા છ માસ, દિન ત્રીશ વર્ષ સુધી (વ્રતનું) પાલન કરીને કુલ બોતેર વર્ષના આયુષ્યવાળા પર્યંક આસને રહેલા, છઠ્ઠની તપસ્યાવાળા પરમેશ્વર કાર્તિક માસની અમાવાસ્યાએ એકલા જ મુક્તિને પામ્યા. તે રાત્રીએ દેવોએ રત્નના દીવાઓ વડે ઉદ્યોત કર્યો. ત્યારથી આરંભીને દરેક વર્ષે તે દિવસે જગતમાં દીપોત્સવ પર્વ થયું. જન્મકલ્યાણક મોક્ષકલ્યાણક Personal Use Only ગુજરાતી ચૈત્ર શુદ-૧૩ આસો વદ અમાસ CHRI મારવાડી કારતક વદ અમાસ અનંતાતંત આત્માઓને સિદ્ધિપદતી પ્રાપ્તિ કરાવતાર મહાન ગિરિરાજ શ્રી શત્રુંજય એ આ જગતતું સર્વશ્રેષ્ટ મૂલ્યવાન જવાહિર છે. www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy