SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) વિધર્મ બાદશાહોનાં આક્રમણ સમયે આ તીર્થની રક્ષા કાજે બ્રહ્મભટ્ટ બારોટોની આ શહાદત હકીકતે તો બારોટના લોહીમાં વણાયેલી એક જબરજસ્ત સાધના, ભક્તિસાધના અને ઉપાસના જ હતી. સાધના કે ઉપાસનામાં વ્યક્તિની ચિત્તશુદ્ધિ કે સમુહનું આંતરવિશ્વ હંમેશાં જલદીથી ખૂલી જાય છે અને પૂર્ણતાનો વાસ્તવિક આનંદ અનુભવાય છે. જલદ કુરબાનીઓ વગર કોઈપણ કાર્ય ક્યારેય સિદ્ધ થતું નથી આ સનાતન સત્ય સમજવું જ પડે. આ પ્રસંગમાં બ્રહ્મભટ્ટોનાં સ્વાર્પણ અને કેસરિયાંની સામૂહિક ભાવનાનાં દુર્લભ દર્શન થાય છે. ગુજરાતનાં અન્ય ઘણાં તીર્થોમાં પણ બ્રહ્મભટ્ટો આવી જ વીરતાનાં દર્શન કરાવે છે. સદીઓનો ઇતિહાસ પણ સાક્ષી આપે છે કે રાજદરબારો હોય કે રણમેદાનો હોય બારોટો હંમેશાં મોખરે જ રહ્યા છે. સજ્જનશક્તિના ગૌરવનું રક્ષણ કરનારા આ બારોટો જ હતા પણ સમયકાળ બદલાયો. જૈનો સાથેનો બારોટોનો સંબંધ સૈકાઓજૂનો છે, પણ કાળબળે પડખું ફેરવ્યું અને સંપર્ક તૂટતો રહ્યો. સમય જતાં સૌ પોતાની શક્તિ અનુસાર સમાજજીવનના વિવિધક્ષેત્રમાં માનભર્યું સ્થાન પામવા પુરુષાર્થ કરતા રહ્યા. જૈનો સાથેના લાંબા કાળના સંબંધોને જાળવી રાખવા આજે પણ બ્રહ્મભટ્ટો ઉત્સુક રહ્યા છે. ૦ સમાપન અને આભારદર્શન જૈનશાસનના પ્રભાવક સૂરિવર્યો, જ્ઞાનસંપન મુનિવર્યો, આરાધકો, સાક્ષરો, લેખકોની કલમે લખાયેલ આ ગ્રંથપ્રકાશનમાંની પરિચયાત્મક લેખમાળાઓ પૂર્વકાલીન અને વર્તમાનકાલીન વિશિષ્ટ પ્રતિભાઓને જાણવા, સમજવા અને તેમની નિરાળી જીવનશૈલીનો અભ્યાસ કરનારાઓને આ સર્વગ્રાહી પ્રકાશન ઠીક ઠીક રીતે ઉપકારક અને ઉપયોગી બની રહેશે. ગ્રંથનું કથાવસ્તુ આપણને કાંઈક પ્રેરણા કરે છે એમ વાચકને જરૂર લાગશે. ઇતિહાસ કથાઓ આલેખીએ કે વ્યક્તિ પરિચયો ગ્રંથસ્થ કરીએ ત્યારે આપણું પોતાનું મૌલિક કે કોઈ આપણી સ્વતંત્ર વિચારધારા કે માન્યતા હોતી નથી, સિવાય કે ભાષામાં યોગ્ય રજૂઆત હોય. ઇતિહાસની આ સંસ્કાર ગાથામાં અત્રે જે કાંઈ પ્રગટ થયું છે તે ઘણા બધા આધારો, સંદર્ભો, રૂબરૂ મુલાકાતો, પત્રકારત્વ અને અનેક જૈનધર્મના પ્રખર અભ્યાસીઓના અભિગમો, ચિંતકો અને સારસ્વતોની સિદ્ધિઓ અને તેના જીવનનો નિષ્કર્ષ સાદર રજૂ કરવા માટેનો અમારો આ ગૌરવપૂર્ણ પુરુષાર્થ એક સત્સંકલ્પ બની રહેશે. અમે તો શ્રી ચતુર્વિધ સંઘનાં ચારેય અંગોની વિશિષ્ટ પ્રતિભાઓના ગૌરવને આ વિરાટ ગ્રંથ દ્વારા, મહાવિરાટને જોવાનો, આપ સૌને અમારા દર્શનમાં સહભાગી બનવાનો સત્સંકલ્પ લઈને બેઠા છીએ. આ વિરાટ ગ્રંથ એ સત્સંકલ્પનું જ ફળ છે. આ અમારી પ્રતિષ્ઠા નથી પણ જૈનશાસનની પ્રતિષ્ઠા બની રહેશે. આ વિરાટ આયોજનમાં પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ., પૂ. મુનિશ્રી દીપરત્નસાગરજી મ., પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મ. વગેરે તરફથી ઘણી મોટી હુંફ, પ્રેરણા અને સધ્યોગ પ્રાપ્ત થયો છે. ગ્રંથને વૈવિધ્યસભર બનાવવામાં જ્યાં જ્યાંથી માહિતી લીધી છે તે સૌનો ઋણસ્વીકાર કરતાં આનંદ થાય છે. જૈનશાસનના અનેક જ્ઞાતાઓએ, શ્રેષ્ઠીઓએ આપેલા સહયોગ માટે પણ અમે સૌના અત્યંત ઋણી છીએ. પ્રબુદ્ધજીવનમાં તંત્રીશ્રી રમણભાઈ શાહ અને ગુજરાતના સાહિત્યરત્ન કુમારપાળ દેસાઈના પ્રેમ લાગણી ક્યારેય ભુલાય તેમ નથી. આ ગ્રંથની સામગ્રી તૈયાર કરવામાં અનેક હાથોની મદદ લીધી છે તે સૌનો આભાર માનીએ છીએ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy