SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ soo બની જનમેદની વચ્ચે શોભવાં લાગ્યાં. લોંચ નામકરણ વિધિ અનુક્રમે થઈ કાલિદાસભાઈનું નામ પ.પૂ. મુનિરાજશ્રી જિતેન્દ્ર વિજયજી મ.સા. (સ્વ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.)ના શિષ્ય મુનિ શ્રી કમલરત્ન વિ.મ.સા., તેઓશ્રીના પુત્રરત્ન દિનેશકુમારનું નામ મુનિશ્રી દિવાકર વિ.મ. (અને વડી દીક્ષામાં મુનિ શ્રી દર્શનરત્ન વિ.મ.સા.), વીરેન્દ્રકુમારનું નામ મુનિ શ્રી વિમલાનંદ વિ.મ. (અને વડીદીક્ષા મા. મુનિશ્રી વિમલરત્ન વિ. મ.સા.), કમલાબહેનનું શુભનામ સા.શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા., તેઓશ્રીની પુત્રીરત્ના વસંતીકુમારીનું નામ સા.શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા., લલિતાકુમારીનું નામ સા.શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. રાખવામાં આવ્યું. ગુરુદેવના ચરણોમાં જીવન સમર્પણ કરતાં એવાં નૂતન સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા. દીક્ષાના દિવસથી જ પોતાનાં શિષ્યરત્નોની સાથે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી સા. શ્રી ખાન્તિશ્રીજી મ.સા.ને વિશેષ સમર્પિત બની ગયાં. ગુરુદેવના દરેક કાર્યને કર્મનિર્જરાનું કારણ માની અપ્રમત્તભાવે કરી લાભ લેવાં લાગ્યાં. વડીલોના આશીર્વાદ મેળવવાથી પ્રૌઢવયે સંયમ લેવી છતાં જ્ઞાન, તપ, ત્યાગ, ધ્યાન, સંયમચર્યા વગેરેમાં દિવસે દિવસે ખૂબ જ આગળ વધ્યા. પોતાના ગુરુદેવને ૩-૪ વર્ષમાં જ આંખે દેખાવાનું બંધ થયું, જેથી પ્રજ્ઞાચક્ષુ બનેલા ગુરુદેવને ૧૦ વર્ષ સુધી હાથ પકડીને વિહાર વગેરે કરાવતા. ગુરુદેવના ઠપકાને તો અમૃતના ઘૂંટડાની જેમ હસતે મુખે પી જતાં. એક વખત ગુરુદેવશ્રીની જોડે બેઠેલાં હતાં. આમાં કોઈની સાથે વાતમાં પોતે એક શબ્દ બોલી ગયાં. એ સાંભળી ગુરુદેવશ્રીએ સીધી આજ્ઞા કરી “૫૧ ખમાસમણાં દો.” “કેમ? ખમાસમણાં શા માટે?” વગેરે પ્રશ્ન પૂછ્યા વિના તરત જ ખમાસમણાં દેવા માંડ્યાં. ખાસ જોવાની ખૂબી એ છે કે કેટલાં પોતે ગુરુદેવને સમર્પિત થઈને રહેતાં હતાં. સંયમ લીધું તો ભગવાનની આજ્ઞાનુસાર જીવન કેમ ન જીવવું? એવા એમના દિલના ઉદ્ગારો હતા. ઘરમાં વડીલ તરીકે રહીને આવેલાને ગુરુ-સમર્પિત થવું ઘણું મુશ્કેલ છે. છતાં પોતે સહેલાઈથી સમર્પિત થઈને રહ્યાં. વૈયાવચ્ચ એ અપ્રતિપાતિ ગુણ છે, અર્થાતુ અવશ્ય વિપાકોદયથી ફળે છે. વૈયાવચ્ચ કરતાં અનંતાઆત્માઓ મુક્તિસુખને પામ્યા છે. એ વૈયાવચ્ચનો ગુણ ગુરુદેવશ્રીના જીવનમાં અજબ કોટીનો જોવા મળતો હતો. મોટા હોય કે નાના હોય, નિશ્રાવર્તિ હોય કે પરસમુદાયના હોય તો પણ ગુરુદેવશ્રી ચતુર્વિધ સંઘ નિઃસ્વાર્થભાવે વાત્સલ્ય રાખતાં હતાં. લાડવો ખાય એનું પેટ ભરાય એ એમનું વચન હતું. એક પ્રસંગ જોઈએ : સુરેન્દ્રનગરમાં દીક્ષા લઈ બીજા જ ચોમાસે જોડે ઊતરેલા પરસમુદાયના એક સાધ્વીજી મ.ની તબિયત રાતના અચાનક બગડી. વમન અને અંડિલ ખૂબ જ થયાં. તે અવસરે ગુરુદેવશ્રી એ પોતે જ સેવા કરી. અમને કોઈને ઉઠાડ્યાં પણ નહીં. ત્યાગ, તપ અને સમાધિ ત્યાગ તો જીવનમાં ઘણો અપનાવી દીધો હતો. દીક્ષાના દિવસથી મિષ્ટાન, મેવો, ફરસાણ વગેરે ત્યાગ કરેલ. ફુટને તો સંયમના શત્રુ માનીને દૂરથી જ તિલાંજલિ આપેલી. દીક્ષા લઈને લગભગ આયંબિલની ઓળીઓ જ કરી છે. ૧૦૦ ઓળીની ભાવના છતાં શરીરે સાથ ન આપવાથી ૬૮ ઓળી, મૃત્યુંજય ત૫, ૧૭ ઉપવાસ, ૧૧-૯-૮ ઉપવાસ, પારણાં સાત, લાગટ ૫00 આયંબિલ, વીશસ્થાનકતપ, નવપદની ૯ અલુણી ઓલી, ૨૪ ભગવાનનાં એકાસણાં, ચૌદશ, અગ્યારશ, આઠમ, પાંચમ, બીજતિથિ, પોષદશમી, તેરકાઠિયાનાં અટ્ટમ, દર ચોમાસી છઠ્ઠ, દિવાળી પર્વનું અટ્ટમ (૧000 માળાના જાપ સાથે), છઠ્ઠ આદિ ઘણો તપ આદરી જીવનને નિર્મલ બનાવ્યું. આખું જીવન તપ ત્યાગમાં અને વિનય વૈયાવચ્ચમાં વિતાવ્યું. સારી વસ્તુ વસ્ત્રાદિથી વડીલની ભક્તિ કરે, પણ પોતે કોઈ દિવસ વસ્તુ વસ્ત્રાદિકનો મોહ રાખ્યો ન હતો. ભયંકર વ્યાધિ વચ્ચે અપૂર્વ સમાધિ:ગુરુદેવશ્રીના જીવનની અંદર ડાયાબીટીસ, કીડની, હૃદયનું પહોળું થવું, શ્વાસ વગેરે અનેક વ્યાધિઓ ચારે બાજુથી ત્રાટકી. આટલી જીવલેણ માંદગીમાં પણ ગુરુદેવશ્રી શ્રાવિકાઓને ઉપદેશ આપે, જ્ઞાન ભણાવે અને સાધ્વીઓને હિતશિક્ષાના બે બોલ આપવાનું ચૂકતાં નહોતાં. સાધ્વીઓએ સંયમજીવનમાં શું કરવા જેવું છે, તેનું રહસ્ય વાચના રૂપે આપતાં. ગુરુદેવશ્રી અંગ્રેજી ભણેલાં ન હતાં પણ જ્યારે જ્યારે તેમના સ્વાથ્ય અંગે પૂછવામાં આવતું એટલે બધાને નિશ્ચિત કરવા સ્મિતવદને કહેતા કે “ભગવાનનું શાસન મળ્યું છે. સુંદર આત્મ-કમાણીની તક મળી છે અને સહન કરવાની તાકાત સાંપડી છે, એટલે રોગાદિને ઊલટું એમ કહેવું જોઈએ કે વેલકમ? વેલકમ? ભલે પધારો. ભલે પધારો આપણે જ ઋણ ચઢાવીને આવ્યાં છીએ. ઋણ ચૂકતું થાય એટલે આ તો આનંદનો વિષય છે. તેઓશ્રીની પાસે ૫ મિનિટ પણ આવેલ વ્યક્તિ કાંઈને કાંઈ કમાણી કરીને જ જતી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy