SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) સદુપયોગ કર્યો. આ બંધુબેલડીએ ૧૩૦૦ દેરાસરો, ૧૦00 ઉપાશ્રયો, ૭૦૦ બ્રહ્મશાળાઓ, ૭00 પાઠશાળાઓ, અનશાળાઓ, મંદિરો, મસ્જિદો બંધાવ્યાં. ૧૫00 શ્રમણો રોજ તેમને ત્યાં ગોચરી માટે આવતા. વીરમગામના રતિલાલ ખોડીદાસ શાહે પારણું કર્યા વગર સાડા ચૌદ વર્ષમાં વર્ધમાનતપની ૧ થી ૧૦૦ ઓળી અખંડ આયંબિલ તપ દ્વારા કરી. હમણાં જ શાંતિભાઈ અને રજનીભાઈની જોડીએ શત્રુંજય મહાગિરિના ૧૮ મહાઅભિષેક કરી તીર્થભક્તિનો ભારે મોટો લહાવો લીધો. એ કાર્ય પૂર્ણ થયું ત્યારે એ જ પુણ્યભૂમિ ઉપર સમાધિપૂર્વક રજનીભાઈએ દેહનો ત્યાગ કર્યો–પાલિતાણા તળેટી પાસે તેમનું પુણ્યસ્મારક રચાયું છે. ટૂંકમાં ક્યો આત્મા કઈ રીતે ધર્મકરણી કરી સ્વાત્માનો ઉદ્ધાર અને શાસનપ્રભાવના કરશે તે કહેવું અશક્ય છે, છતાં એ વાત નિશ્ચિત છે કે આદર્શ શ્રાવકોએ ખરેખર આદર્શજીવન જીવીને જિનશાસનને ઉજાળ્યું છે. આ બધી પ્રતિભાઓ વિષે મહાકાવ્યો રચાય એવી ઉચ્ચ કોટિની ગુણક્ષમતા રહી છે. જેમને આંગણે પેઢી દર પેઢીની વૈભવી સુખ સંપત્તિએ જેમને અજવાળ્યા છે તેવા અસંખ્ય મહાનુભાવોએ સરળ અને નમ્ર બની તીર્થમંદિરોમાં, પાંજરાપોળોમાં, જીવદયામાં, સાહિત્ય- સુરક્ષામાં, હોસ્પિટલોમાં, ધર્મશાળાઓ અને સામાજિક કાર્યોમાં અને માનવસેવાના જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સેવાયજ્ઞો મંડાયા ત્યાં એમણે જે કાંઈ યોગદાન આપ્યું હોય તે સૌને યથાયોગ્ય સમયે બિરદાવવા જ જોઈએ. તપ અને તપસ્વીઓનું પણ સમયોચિત સમ્માન થવું જોઈએ. તપના પ્રભાવે દેવો પણ તપસ્વીઓને નમે છે. આ ગ્રંથમાં ઉપા. શ્રી ભુવનચંદ્રજી મ.ની લેખમાળામં જરૂર નજર કરો. ૦ સમર્પણભાવ અને સંકલ્પશકિત જીવનશિલ્પી શ્રાવિકારત્નોનું શ્રેષ્ઠત્તમ યોગદાન સાત મહાસાગરનાં પાણીને ચમચીથી ઉલેચીને ખાલી કરવાં હજુ સહેલા છે, ગગનપટ ઉપર રાત્રે આકાશમાં ઊગેલા એક એક તારાને ગણી લેવા હજુ કદાચ સહેલા છે, પરંતુ પ્રભુશાસનમાં ચોથા અંગ સમાન શ્રાવિકારત્નોનાં ઉપકારો અને યોગદાનની હેલી ગ્રંથસ્થ કરવી ખૂબ જ અઘરી છે. માર્ગ પર રખાતો એક પાષાણનો ટુકડો અજ્ઞાની જગતને પત્થરનો સામાન્ય ટુકડો જણાય પણ દક્ષ શિલ્પી એ ટુકડાને દિવસોની જહેમત પછી તેમાં આપણને વંદનીય પ્રતિમાનાં દર્શન કરાવે છે. અમૂલ્ય બનેલી એ પાષાણપ્રતિમા જેના પર દુનિયા પછી તો દીવાની બની જાય છે. જે કામ શિલ્પીએ કર્યું, બસ તે જ કામ પ્રભુના શાસનમાં આ શ્રાવિકાઓનું! નાસ્તિકઘરને આસ્તિક બનાવે, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં અટવાયેલા ઘરને જિજ્ઞાસાથી શ્રદ્ધાવંત બનાવે, હતાશા, નિરાશા અને ભગ્નાશાથી ઘેરાયેલાને નવી દિશા આપે, અજ્ઞાન અને અભિમાનથી અંધારી આલમમાં અથડાતાને જિનધર્મની અપૂર્વ રોશની આપે. આબુ દેલવાડાનાં દેવાલયોના સર્જનમાં અનુપમાદેવીએ માતાની માફક શિલ્પીઓની સારસંભાળ લીધેલી. અમદાવાદમાં હઠીભાઈની વાડીના શિલ્પ સ્થાપત્યયુક્ત મહાન તીર્થસમાં ધર્મનાથજિનાલયની આધારશીલા સમા હરકોર શેઠાણીને પણ શી રીતે ભુલાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy