SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) - ૧ | જનતા પ્રસરાવી છે. તીર્થકરોએ સંસારના વાસનાબદ્ધ જીવોને જ્ઞાન, દર્શન, ચારિત્રની સમારાધનાનો રૂડો માર્ગ દર્શાવી આપી મહાવીર પ્રભુએ યુગ પ્રમાણે અલ્પ પરિવર્તન લાવી શ્રી ચતુર્વિધ સંઘનો પ્રારંભ કરી આપણને કૃતકૃત્ય બનાવ્યાં છે. પ્રભુએ સ્થાપિત કરેલાં આ સકંઘમાં શિરમુકુટસમા ઇન્દ્રભૂતિ ગૌતમ જેવા અગિયાર ગણધરો અને હજારો બ્રાહ્મણો નિર્મળ ચારિત્ર્યદર્શનના આરાધક બની જૈનશાસનના સુચારુ સ્તંભો બની રહ્યા. મેઘકુમાર, નંદીષેણ, અભયકુમાર, પ્રસન્નચંદ્ર જેવા હજારો ક્ષત્રિયકુમારો મુનિધર્મમાં મહાલતા શાસનનાં અણમોલ રત્નો બન્યા. અસંખ્ય સમકિતધારી શ્રાવકો પણ હતા. શ્રી ચતુર્વિધ સંઘમાં ટોચ ઉપર જરૂર પંચપરમેષ્ઠીઓ બિરાજતા રહ્યા પણ લાખો કરોડો શ્રાવકશ્રાવિકાઓ તેના ભૂગર્ભમાં છે. તેની ગાથાથી જૈનશાસનનો ઇતિહાસ ગૌરવવંતો રહ્યો છે. સાધુ ભગવંતો પણ ભરોસરની સક્ઝાય દ્વારા પ્રશંસા કરતા રહ્યાં છે, જે આપણને આ ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા જગાવી જાય છે. જૈનસંઘ જેમ સાધુસાધ્વીઓથી ઊજળો છે તેમ શ્રાવક-શ્રાવિકાઓથી પણ ઓજસ્વી રહ્યો છે આ વાત હરગીઝ ભૂલવા જેવી નથી. શિલ્પકળાના દ્યોતકસમાં જિનાલયો અને ધર્મસ્થાનકોમાં દિવ્ય પ્રતિભાઓનાં મનોહર સ્વરૂપો અને જોયા પછી એમ જરૂર લાગે છે કે આવનારી નવી પેઢીને એક ચોક્કસ મજબૂત આધાર અને નક્કર દિશા મળે, પ્રભાવક પ્રતિભાઓ દ્વારા ઊભી થયેલી શાસનની ઇમારતને જાણવા માણવા મળે એ સંદર્ભે જ આ ગ્રંથપ્રકાશન હાથ ધરાયું છે. શ્રી ચતુર્વિધ સંઘનાં ચારેય અંગોમાં પડેલી મહાશક્તિને સમજવા અને તેની અંદરની સારપ પ્રાપ્ત કરી લેવા આ પુરુષાર્થ અભિયાન સૌને આત્માનંદરૂપ મકરંદનો આસ્વાદ જરૂર કરાવશે જ એવી અમને પાકી શ્રદ્ધા છે. આ શ્રદ્ધા જ જીવનનું મોટું બળ છે. આ શ્રદ્ધા જ આપત્તિઓના પ્રચંડ ધરતીકંપો વચ્ચે પણ મનની સ્થિરતા અને શાંતિની ગંગોત્રી બની રહે તેમ છે. આ શ્રદ્ધા જ આપણને ધર્મકાર્યો માટે પ્રેરણા કરે છે. જૈનશાસનને યશકીર્તિ અપાવવામાં જેમના સમુદાયોની કમાણી અને સકાર્યોનું શુભ પરિણામ સુવર્ણાક્ષરે અંકિત થઈને પ્રકાશમાન થયેલા સાત્વિક ઘરદીવડાઓ કાયમ વિરાટ સ્વરૂપે પ્રકાશમાન જ રહેશે. કારણ કે વાયુની ઝપટ તેમને ક્યારેય ઓલવી શકતી નથી. શાસનની સાત્ત્વિકતાને બહાર લાવવા પરિમલ ગુલાબી વ્યક્તિત્વમાંથી આશાશ્રદ્ધાના સંતરણો મેળવી આપણે ગૌરવગરિમા અનુભવીએ એ જ આ ગ્રંથપ્રકાશનનો મુખ્ય ઉપક્રમ રહ્યો છે.. ચિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મપરિષદોમાં જૈનધર્મનો પ્રભાવક પરિચય કરાવવાનું માન મહુવાના વીરચંદ રાઘવજી ગાંધીને ફાળે જાય છે. તેમની રજૂઆતમાં અદ્ભુત સામર્થ્ય હતું. તેરમી સદીમાં થયેલા દેદા શાહની કર્તવ્યપરાયણતા આપણને કોઈ ઊંચી ભૂમિકામાં લઈ જાય છે. નમ્રતાના ભંડારસમા ભાવડશા અને જાવડશાનું સ્થાન શાસનમાં હંમેશાં આદરણીય રહ્યું છે. સૌમ્ય પુરુષ ભીમા કુંડલિયાની સર્વસ્વ સમર્પણની ભાવનાએ જ તેમના શાસનને કીર્તિસ્તંભ બનાવી દીધું. ધરણશા પોરવાડ અને ખેમો દેદરાણીની સંકલ્પસિદ્ધિને હરઘડીએ પ્રસંગે પ્રસંગે યાદ કર્યા વગર રહી શકતા નથી. દાનગુણના પ્રતાપે જગડુશાને, તપગુણના પ્રભાવે કાકંદીના ધના અણગારને, ભાવગુણસમૃદ્ધ જીરણ શેઠને યુગો સુધી શા માટે યાદ કરીએ છીએ? Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy