SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) અભયદેવસૂરિજીએ શાસનદેવીની આજ્ઞા પાળી સતત આયંબિલવ્રત, શાસ્ત્રટીકા રચવા રાત્રિઓનાં મનોમંથન અને અત્યાધિક શ્રમ લઈ ભવ્ય કાર્ય કર્યું અને જયતિહુઅણ નામના બત્રીશ શ્લોકના સ્તોત્રને ગતાંજ શ્રી સ્તંભન પાર્શ્વનાથજીને પ્રગટાવ્યા. ધન્ય છે તેમના તપોબળને ખરતરગચ્છના સ્થાપક આચાર્ય જિનદત્તસરિજી, આકાશમાંથી પડતી વીજળીને થંભાવી અનેકને રક્ષણ આપ્યું. ગણધરશતક જેવી ૧૫૦ પદ્યરચનાઓમાં તેમની શક્તિનાં દર્શન થયાં. સંદોહ દોહાવલી, ગણધર સપ્તતિ, ઉપદેશરસાયણ ઉપરાંત અનેક પ્રાકૃત, અપભ્રંશ ભાષામાં ગ્રંથો રચી શ્રુતોપાસનાનાં સુફળ વિતરિત કર્યા. રાજસ્થાનમાં તો આ. જિનદત્તસૂરિજી કલ્પવૃક્ષ તરીકે ઓળખાતા હતા. આચાર્ય ધર્મઘોષસૂરિ જે વ્યાકરણ, ન્યાય અને આગમોના પારદર્શી વિદ્વાન હોવા ઉપરાંત શાસનરક્ષામાં મંત્રશક્તિના સામર્થ્યવાળા હતા, તેમણે બ્રાહ્મણ, માહેશ્વરી, વૈશ્યો અને ક્ષત્રિયોને ઉપદેશ આપી જૈન બનાવ્યાં. સત્તરમી સદીમાં હીરવિજયસૂરિજી અને ખરતરગચ્છાધિપતિ જિનચંદ્રસૂરિજીનાં જ્ઞાન, તપ અને ચરિત્રના તેજપ્રભાવથી જૈન સંસ્કૃતિનો ધ્વજ પુનઃ ગગનમાં લહેરાયો. આ બન્ને પ્રભાવક આચાર્યોની જ્ઞાનસંપદાથી પહેલી જ વાર દિલ્હી દરબારમાં જૈનધર્મે તેજનું ઊંચેરું આસન માંડ્યું. મોગલ સમ્રાટ અકબર આ બન્ને સૂરિવર્ષોથી ખૂબ જ પ્રભાવિત હતા. ૧૯૪૦માં તેમણે હીરવિજયસૂરિજીને જગદ બિરુદ આપ્યું અને વિજયસેનસૂરિજીને સવાઈ હીરસૂરિનું બિરુદ આપી શાહી ઠાઠમાઠથી સમ્માનિત કર્યા. અકબરે હીરવિજયસૂરિજીને શત્રુંજય તીર્થ ભેટમાં આપ્યું. યાત્રિકોના વેરા માફ કર્યા અને ભારતનાં બધાં જ તીર્થોમાં દેરાસરો, ઉપાશ્રયોને રક્ષણ આપ્યું. જગદગુરુ હીરવિજયસૂરિજી જેવાનાં ત્યાગ, સંયમ, સદાચાર, તપ અને ચારિત્રના પ્રભાવે શહેનશાહ અકબરે બારકોશના તળાવમાં થતી માછીમારી બંધ કરાવી. પિંજરાનાં પક્ષીઓ મુક્ત કર્યા. બાર દિવસ માટે જીવહિંસા બંધ કરાવી. આમ વિધર્મી શાસક પર પ્રભાવ પાથરનારા હીરવિજયસૂરિ જેવા આચાર્ય શાસનના ભૂષણ બન્યા. જ્ઞાનક્ષેત્રે, દર્શનક્ષેત્રે, ચારિત્રક્ષેત્રે, તીર્થરક્ષા, તીર્થનિર્માણક્ષેત્રે, સંઘપ્રભાવનાક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે તેમનું યોગદાન મસ્તક ઝુકાવી દે છે. આજે પણ શાસનને જયવંતુ બનાવતા વર્તમાન શ્રમણોનાં યોગદાન દાદ માંગી ત્યે તેવાં છે. લાનયચક્રનું સંપાદન કરનારા શ્રુતભાસ્કર પૂ. જંબુવિજયજી મ. હોય કે મિની યશોવિજયજી સમા આ. યશોદેવસૂરિ હોય. વ્યસનની બદીમાં ખૂંપેલી પ્રજાને મુક્ત કરાવતા પૂ.પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ. હોય કે યુવા આલમને શ્રદ્ધાસંપન્ન બનાવતા આચાર્ય રત્નસુંદરસૂરિ હોય કે આચાર્ય હેમરત્નસૂરિજી હોય. ઝેર ઉતારી વૈરાગ્યનાં દાન કરનારા પૂજ્યપાદ રામચંદ્રસૂરિજી મ. હોય કે પછી યુવાનોમાં શિબિરમાધ્યમે ધર્મજાગૃતિ આણનારા પૂજ્યપાદ ભુવનભાનુસૂરિજી મ. હોય, કે પછી આગમોના અદ્ભુત જ્ઞાની પૂ. જયઘોષસૂરિજી મ. હોય. ધન્ય આ શ્રમણોના પુરુષાર્થને! નામનાની ખેવના કર્યા વિના કાર્યો કરી રહેલા મુક્તિના મહાફિરસ્તાઓને વંદન છે. • જૈનશાસનમાં શ્રમણસંસ્થાનું અદ્ભુત યોગદાન અનંત ઉપકારી અરિહંતદેવનું શાસન અચિંત્ય ઉપકારી છે, જયકારી છે અને મંગલકારી છે. અણમોલ રત્નોના ઝળહળતા તેજપુંજોથી જિનશાસન જગતના જીવો ઉપર ઉપકારધોધ વહાવ્યા જ કરે છે. શાસનના પુનીત પ્રભાવે ઉત્તમ અને અમૂલાં રત્નો આપણને સતત મળતાં રહ્યાં છે. જૈન શ્રમણપરંપરા દ્વારા સમયે સમયે વિશિષ્ટ પ્રતિભાઓનો પ્રકાશપુંજ આ ધરતી પર રેલાયો. પંચમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy