SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) મૂળ કારણમાં આ અદ્ભુત શાસનની પ્રાપ્તિ જ ઉગ્ર પુણ્યના ઉદયે થાય છે. અહંતોના આત્મપ્રભાવી જ્યોતિવલયોનાં આભામંડળથી પ્રેરિત ચિહ્નો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુ-સાધ્વીના કેવળી થવાના સર્વતોભદ્ર માર્ગ પર પછી તો આ માટેના સિદ્ધાંજનથી પ્રભાવશાળી વિભૂતિઓની સંઘયાત્રા ચાલી તેમાં જોટો જડે તેમ નથી. વર્તમાન સમયના ચોવીશે તીર્થકરોની જે કૈવલ્ય પરિપાટી પૃથ્વીના પટલ પર અવતરી, તેનાં કલ્યાણકો જે સંસારભરનાં રંગ, રૂપ, જાતિ, દેશ, કાળને કર્મના સંકુલથી ઉપર ઊઠવા માટે એટલાં સામર્થ્યવાન ગણાય છે કે તેનાથી કલ્યાણયાત્રાનું બીજું કોઈ જ અવલંબન નથી. બ્રાહ્મી અને સુંદરીની કથા દ્વારા એ સમયની સામાજિક રચનાનો ખ્યાલ આપી સાથોસાથ ષભની પુત્રી અને બાહુબલિજીની બહેનને શોભે તેવું વલણ જૈનસમાજ સમક્ષ મુકાયું છે એ નોંધપાત્ર ઘટના છે. ૦ પુણ્યપ્રભાવકોનું પુયસ્મરણ ચતુર્વિધ શ્રી સંઘના મૌલિમણિ સમા અગિયાર ગણધરોનાં પગલે પગલે નિર્દભ અને નિર્દોષ જીવનસાધનાના દ્વીપસ્તંભ સમાન યુગદિવાકર મૃતોપાસનાની અખંડ જ્યોતથી શોભતા શ્રીમદ્ મલ્લવાદીસૂરિજીએ ન્યાયદર્શનના અપૂર્વકોશ સમા દ્વાદશાર નયચક્રની રચના કરી, ક્ષમાશ્રમણ દેવર્ધિગણિ જેમના મહામેધાવી પુણ્યવાન નેતૃત્વમાં જૈનાગમોની “વલ્લભવાચના” અંતિમ નિર્ણયના રૂપમાં પરિણમી, અને દેવવાચક અને ક્ષમાશ્રમણ વાચનાના પાઠાંતરને પણ પરમાદર દૃષ્ટિથી સ્વીકારી, જે ભગવાન મહાવીરના “દૃષ્ટિવાદના બારમા અંગના અંતિમ જાણકાર, મારા નિર્વાણ પછીના હજારમાં વર્ષે થશે.” એવા ભાવિ કથનને સંપૂર્ણ સાર્થક કર્યું. શ્રીમદ્ પૂજ્યચરણ સિદ્ધસેન દિવાકરજીએ એક જ ગુરુવચને લોકમહત્તાને તૃણવત્ માની કલ્યાણ મંદિર સ્તોત્ર, બત્રીસ-બત્રીસી, ન્યાયાવતાર અને સન્મતિતર્ક જેવાં અનેક પ્રકાશપુંજ ગ્રંથરત્નો રચ્યાં. ' જેને સંસ્કૃતિમાં વહેમો, ચમત્કારો, કલ્પિત આડંબરો અને આકર્ષણોને બિલકુલ સ્થાન નથી તેવી આચાર્ય સમન્તભદ્રની વાણીનો ગેબી અવાજ આપણને સાંભળવા મળે છે. આ સંયમનિયમની પ્રભાવી સાધનાના બળે પાદલિપ્તસૂરિજી શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર અને મથુરા જેવાં તીર્થોનાં દર્શન પછી જ આહારપાણી વહોરતા અને જેમણે નાગાર્જુન રસાયણવાદીને શત્રુંજયની જિનસાધના કરવા પ્રેર્યા, તે ખરેખર તો જિનપરંપરાનું આચાર્યરત્ર કહેવાયા. માનદેવસૂરિજી જેવા સર્વપ્રણમ્ય સૂરીશ્વરજીના બન્ને ખભા પર લક્ષ્મી સરસ્વતી ઉભય વિરાજતાં, આ જોઈ તેમના ગુરુદેવ આચાર્ય પ્રદ્યોતનસૂરિની આચારસંબંધી શંકા એક મહાનિયમનો અંગીકાર કરી પરિહરી અને શાંતિસ્તવસ્તોત્ર રચી મહામારી મટાડી દીધી. એમના ગુણો આજે પણ પૂજાય છે. આચાર્ય માનતુંગસૂરિજીના અગણિત ઉપકારો કોણ વીસરી શકે? જેમના પ્રત્યેક શ્લોક મંત્રગર્ભિત છે, જેમના શ્લોકે શ્લોકે સાધનાવિધિ છે તેવા “ભક્તામર સ્તોત્ર'ના અને ૨૧ પદોના “નમિ ઉણ” સ્તોત્રના રચનાકાર એ સમસ્ત શ્રી સંઘના સદેવ વંદનીય રહ્યા છે. ક્ષત્રિય વંશમાં જન્મ લેનાર આચાર્ય બપભટ્ટસૂરિજી જેમણે પોતાના સંયમધર્મની પરીક્ષા કરવા પુરુષવેષમાં આવેલી ગણિકાને તિરસ્કૃત ન કરી પણ વિરાગનો વિજય સમજાવ્યો, ચિત્રકારો અને કલાકારોને જિનધર્મમાં પુરસ્કૃત કર્યા. “ચતુર્વિશતિ જિનસ્તુતિ', “સરસ્વતી સ્તોત્ર' રચ્યાં. આ નવ આગમો પર સંસ્કૃત ટીકા રચી આગમોના ગૂઢાર્થ સમજાવનાર નવાંગી વૃતિકાર આચાર્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy