SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ s • કવર * BR 11 : - : - ‘ones દર, s . . . पढिये, और आगे भी बढिये રાજા મુનિ જયદર્શન વિજયજી (નેમિપ્રેમી) કલ્યાણ વર્તમાનમાં પ્રવર્તમાન પરમાત્મા મહાવીરદેવના સંસ્થાપિત શ્રી ચતુર્વિધ સંઘની જ્વલંત જ્યોતિના દર્શન કરાવવા પ્રસ્તુત ગ્રંથના સર્જક સરળ સાહિત્યકાર શ્રુતાનુરાગી શ્રી નંદલાલભાઈ દેવલુકની મૃતોપાસના માટે કંઈ લખવા કરતાં તેમના દ્વારા પ્રસ્તુત થઈ રહેલ મહાગ્રંથનું ઊંડું અવલોકન અને વાંચન થયે જ તેમની સંકલન શક્તિ પરિચયમાં આવી જશે. પુરોવચન નોંધમાં તેમના દ્વારા પ્રસ્તુત તેમનો જ આંતરિક પરિચય ચાડી ખાય છે કે તેઓ જન્મે જૈનેત્તર છતાંય જૈન ધર્મ માટે જૈનો કરતાં પણ વધુ લાગણી ધરાવે છે, કારણ કે પચ્ચીસમાં તીર્થકર સમાન ચતુર્વિધ શ્રીસંઘ માટે અભિવ્યક્ત કરેલી ભાવનાઓ, ભૂતકાલીન અને વર્તમાનકાલીન પાત્રોના નામોલ્લેખ ઉપરાંત વિવિધ પ્રકારની રજૂઆતો આકર્ષક તો છે જ પણ ઐતિહાસિક રહસ્ય પણ પ્રથમ છે. જીવનની સંધ્યાએ જાણે શ્રુતનો નૂતનસૂર્ય ઉદય પામ્યો હોય તેવી સુખદ ઘટના એ જ આજ ગ્રંથની પ્રશસ્તિ જાણવી. વિશિષ્ટ ચિંતન, લેખન, વાંચન અને સંકલનની શક્તિનો સમન્વય જ્ઞાનાવરણીય કર્મોના તીવ્ર ક્ષયોપશમથી સંભવે છે, તેમાં પૂર્વભવની જ્ઞાનસાધનાઓ પણ ભાગ ભજવે * : DO ઉપમિતિ ભવપ્રપંચકથાના ગ્રંથસર્જક સિદ્ધર્થિ ગણિ કે તત્ત્વાર્થસૂત્રના રચયિતા શ્રીમદ્ ઉમાસ્વાતિ ભગવંતની જેમ સાધ્વી મહાસેનાકૃષ્ણા કે શ્રમણી યાકિની મહત્તા તેવી જ રીતે શ્રમણોપાસક શકડાલપુત્ર કે શ્રાવક શ્રીપાળ અને શ્રમણોપાસિકા રેવતી અથવા સુલસા જેવા ચારિત્રવંતોથી સમસ્ત શ્રીસંઘ ગૌરવ અનુભવે છે. ગુણાનુરાગ અને ગુણાનુવાદથી ગૂંજતા ગૌરવશાળી જિનશાસનની અનુમોદના માત્ર પણ હાર્દિક ભાવથી થાય તોય કરણ-કરાવણ જેટલું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy