SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૪૯ અંજલિ સાથે એક મુશળ લાવી મૂકી દીધું ને સરસ્વતીનો મંત્ર બોલી પાણી મુશળ ઉપર છાંટ્યું. દેવતાઈ પ્રતાપથી તે મુસળમાં મૂળ, થળ, ડાળ, પાન, ફૂલ, ફળ બધું જ ઉગી આવ્યું ને સૂંઠું લાકડું નવપલ્લિત થઈ ગયું. આ ચમત્કારે સૌને મહાત્મા પ્રતિ નમસ્કાર કરતા કરી દીધા ને તે દિવસથી તેઓ ચૌતરફ વાદી તરીકે પ્રસિદ્ધ બની ગયા. ભગવતી સરસ્વતીની કૃપાથી વૃદ્ધ છતાંય તેમનામાં એવી વિલક્ષણ વાકશક્તિ પેદા થઈ કે જ્યાં જાય વાદમાં વિજેતા બને. વૃદ્ધાવસ્થામાં દીક્ષિત છતાંય દેવગુરુની કૃપાથી વૃદ્ધવાદિસૂરિજી નામે આચાર્ય બન્યા. તે પછી તો ઉજ્જૈનીના વિક્રમાદિત્ય રાજાના માનીતા સિદ્ધસેન પંડિતને વાદમાં વિલખો પાડી વાદ જીતી લીધો. તેથી અભિમાન ઘવાતાં તે વિદ્વાન વૃદ્ધવાદિસૂરિજીના શિષ્ય બન્યા. ગામડાના ગોવાળો સામે તો સિદ્ધસેનને ગામઠી ભાષામાં શ્લોક બોલી હંફાવ્યા પણ ભરૂચ જેવી પંડિતનગરીમાં રાજસભામાં પણ સિદ્ધસેનને હરાવ્યા છતાંય કોઈ પ્રતિબદ્ધતા ન રાખી ઉદાર દિલે ખમાવી પછી દીક્ષા તો આપી જ પણ તેની પ્રતિભાસંપન બુદ્ધિને વધાવતાં “દિવાકર” પદવી આપી. પાછળથી તે જ શિષ્યને આચાર્ય પદ એનાયત કરતાં તેઓ જ સિદ્ધસેન દિવાકરસૂરિના નામે જાહેર થયા. કલ્યાણમંદિર સ્તોત્રના રચયિતા એ જ સિદ્ધસેનસૂરિજી થયા છે. એકદા કુમારપુર નગરના રાજા દેવપાળને યુદ્ધમાં પાડોશી રાજાઓની સામે વિજય અપાવવામાં સફળ બનનાર શિષ્ય સિદ્ધસેન દિવાકરસૂરિને પ્રમાદી બની રાજાશાહી પાલખીમાં બેસી રાજદરબારે જતાં આવતાં જાણી તેમનો શિથિલાચાર છોડાવવા સ્વયં વૃદ્ધવાદીદેવસૂરિજીએ ગુરુપદે છતાંય શિષ્યની પાલખી ઉપાડી અને “તથા ન બાધતે સ્કંધો, યથા બાધતિ બાધતે” વાક્ય બોલી શિષ્યની ભાષા અશુદ્ધિ સુધારી આપ. પોતાની પણ ભૂલો કાઢી આપનાર પોતાના ગુરુ જ હશે જાણી પાલખીથી ઉતરી સામે ગુરુજીને જોઈ તરત બધા વચ્ચે પગે પડી ખમાવ્યા. પોતાના પ્રમાદનું પ્રાયશ્ચિત્ત કરી ફરી શુદ્ધ સંયમી બની વિચર્યા. શાસનપ્રભાવક શિષ્ય આપનાર સરસ્વતીલબ્ધપ્રસાદ વૃદ્ધવાદિદેવસૂરિજી કાળધર્મ પામી દેવલોક સીધાવ્યા. તથા તેમણે પોતાના જીવનકવનથી એક સંદેશ આપી દીધો કે સંયમીને ઉમ્રનો પણ પ્રતિબંધ નથી નડતો. ૨૬ વરને છાજે તેવી ક્ષમા : મહાત્મા વીરાચાર્ય રાજા કુમારપાળે પોતાના માથે ગુરુપદે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને રાખેલ અને પાટણમાં રહી પોતાનું રાજય સંચાલન ધર્મભાવના સાથે કરેલ. પણ તે જ કુમારપાળનો દ્વેષી પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ પણ જૈનાચાર્ય સાથે સારો સંબંધ રાખી રાજ્યધૂરા ચલાવતો હતો. તેના માનીતા ગુરુ હતા જૈનાચાર્ય વીરાચાર્ય. તેમનો સત્સંગ, જિનવાણિશ્રવણ કરી સિદ્ધરાજ પોતાને ધન્ય માનતો હતો, પણ આટલો ઉત્તમ અહોભાવ છતાંય તે વિધર્મીઓની વાતમાં આવી ગયો. કોઈકની ઉશ્કેરણીથી એકદા તેનું મન ઉન્માદી બન્યું અને ભારતભરમાં પ્રસિદ્ધ વીરાચાર્યજીને અવળવાણી દ્વારા કહી નાંખ્યું કે તમને મારા રાજ્યમાં રહેતા જે આનંદ છે અને મુખ ઉપર ખુમારી તરે છે તેના કારણમાં અમારા તરફથી અપાતા માન-સન્માન છે. આટઆટલા દિવસ પાટણમાં સવિશેષ સ્થિરતા કરી જે નિઃસ્વાર્થ ઉપકાર કરેલ તેના પ્રતિબંધમાં રાજા તરફથી આવો આક્ષેપ આચાર્યદેવ સહન ન કરી શક્યા. તેમનું સ્વમાન ઘવાયું. વળતો જવાબ આપી પોતાનું સંયમબળ છતું કર્યું. સિદ્ધરાજ જયસિંહને કહી જ નાંખ્યું, “રાજનું! અમે સાધુ છીએ. પ્રભુએ દર્શાવેલ માર્ગનું વ્રતનિયમોથી પાલન કરતાં અમારા મસ્તકે જે તેજ નીખરે છે તે સંયમધર્મને આભારી છે, બાકીના માનસન્માન તો ક્ષણિક છે, તકવાદી છે. અમારી સંયમસાધનામાં વિદનભૂત છે. સારું થયું તમારી ગેરસમજો વાણીમાં વ્યક્ત થઈ. હવે અહીંથી વિહાર જે વખત પૂર્વે કરવાની ગણતરી હતી તે વિહાર આજે સમય પાકી ગયો હોવાથી બપોરે કરીશું. ધર્મારાધના વધારજો.” તમાશાને તેડું નથી હોતું. આ બધા હલકા સમાચાર પાટણના ઘરઘરમાં ફરી વળ્યા. બિનજરૂરી ચર્ચાઓ થવા લાગી. રાજા દ્વારા ધર્માચાર્યના અપમાનને જૈનસંઘ સહન ન કરી શક્યો અને સૌએ વીરાચાર્યની ક્ષમાપના માંગી છતાંય આચાર્યશ્રીએ સપરિવાર તે જ દિવસે બપોરે તાપ છતાંય વિહાર પ્રારંભી દીધો. વળાવવા માટે આખુંય પાટણ હતું, સૌની આંખોમાં આંસુની ધારા હતી અને સૌ ચિંતાતુર હતા. રાજા સિદ્ધરાજને પોતાની કડવી વાણીની ભૂલ સમજાણી તેથી પશ્ચાત્તાપ રૂપે જૈન મંત્રી સાન્તનુને વીરાચાર્યજીનું માન વધારી મિચ્છામિ દુક્કડમ્ કરવા મોકલ્યા, પણ તે સમયે વીરાચાર્યજી તો ગામના પાદરે પહોંચી ગયા હતા ને સૌને પાછા વળવાના સંકેત રૂપ માંગલિક પાઠ સુણાવી રહ્યા હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy