SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી સૂત્રોનું સંક્ષિપ્ત પરિચય) (અપરાધસ્થાનનું) સ્વરૂપ, અને કાલાતીતકરણ વગેરે પદોનું સ્વરૂપ, તથા કાયોત્સર્ગ ભંગ વગેરે પદાનું સ્વરૂપ, ચિરકષાયાદિપદોનું સ્વરૂપ જણાવીને દર્પ પંચેન્દ્રિય-વ્યપપણાદિ પદોનું સ્વરૂપ, ને અશ્રદ્ધાનાદિપોનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી દ્રવ્યક્ષેત્રાદિને આશ્રી સામાન્યથી ને વિશેષથી આપત્તિને અને દાનવિષયક (દાન સંબંધી) તપન વિભાગે જણાવતાં ૬૦ થી ૬૮ સુધીની નવ ગાથાના ભાગ્યમાં કમસર તા:પ્રાયશ્ચિત્તને અને સામાન્ય વિશેષ આપત્તિ અને દાનનું સ્વરૂપ, તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવનું સ્વરૂપ જણાવીને તે દરેક દ્રવ્ય વગેરે આશ્રી તપેદાનનું વિસ્તારથી વર્ણન કર્યું છે. પછી ૬૯ થી ૭૩ સુધીની પાંચ ગાથાઓના ભાષ્યમાં પુરુષના પ્રકાર અને તેને આશ્રી તપેદાનનું સ્વરૂપ જણાવતાં અનુક્રમે ગીતાર્થ, અગીતાર્થ, સહનશીલ, શહ, અસહનશીલ, અશક, પરિણામી આદિ ચાર પુરુષોનું સ્વરૂપ, અને ધતિ સંહને પત, અને હીન, આત્મતર, પરતર, ઉભયતર, નભયતર, અન્યતર પુરુષોનું વર્ણન, તથા ક૯પસ્થિત અને અકલ્પસ્થિત આદિ પુરુષોનું વર્ણન, તેમ સ્થિત શબ્દના એકાર્ષિક શબ્દો, અને ૬ પ્રકારની ક૫સ્થિતિ, તથા દશ પ્રકારના ક૫માં અવસ્થિત અનવસ્થિત વિભાગ તેમજ પરિહારક૫, જિનકપ, સ્થવિરકલ્પ. આ ત્રણ કપનું સ્વરૂપ, વગેરે બીનાએ સ્પષ્ટ સમજાવી છે. પછી પરિણત, અપરિણત, કૃતાગી, અકૃતાગી, તરમાણ, અતરમાણુ પુરુષોનું સ્વરૂપ વગેરે બીનાઓ અને ક૫સ્થિતાદિ પુરૂષોને આશ્રી તપાદાન વિભાગ, તથા છતયંત્રવિધિ વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી ૭૪ થી ૭૮ સુધીની ૬ ગાથાઓના ભાગ્યમાં કમસર પ્રતિસેવનાનું સ્વરૂપ અને તેને આશ્રી તપદાનને વિભાગ વગેરેનું વર્ણન કર્યું છે. પછી ૮૦ થી ૯૩ સુધીની ચૌદ ગાથાઓના ભાષ્યમાં અનુક્રમે જેથી છેદ, મૂલ અને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે, તેવાં અપરાધ સ્થાનોનું, ને હસ્તતાલ, હસ્તાલંબ, તથા હસ્તાદાનનું સ્વરૂપ સમજાવતાં અવસાન આચાર્યનું દૃષ્ટાંત પણ જણાવ્યું છે. પછી ૯૪ થી ૧૦૧ સુધીની આઠ ગાથાઓના ભાષામાં જેથી પાચિક પ્રાયશ્ચિત્ત આવે, તેવાં અપરાધસ્થાનો (ગૂનાનાં કારણે)નું વર્ણન કરતાં શ્રીતીર્થકરાદિની આશાતના કરતાં પ્રાપ્ત થયેલ પારાંચક પ્રાયશ્ચિત્તવાળા જીવનું સ્વરૂપ અને કષાયદુષ્ટ તથા વિષયદુષ્ટ પારાંચિકનું સ્વરૂપ, તેમજ ત્યાનદ્ધિ પ્રમત્તપરાંચિકાદિનું લિંગ પારાંચિક, ક્ષેત્રપારાંચિક, કાલપારાચિક વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી ૧૦૨ મી ગાથાના ભાગ્યમાં કહ્યું છે કે શ્રીભદ્રબાહસ્વામીના કાલ સુધી અનવસ્થાપ્ય અને પારાચિક પ્રાયશ્ચિત્તને સદ્ભાવ (હયાતી) હતો. ને છેવટે ૧૦૩ મી ગાથાના ભાગ્યમાં જીતક૯પસૂત્રને પૂર્ણ કરતાં અનુક્રમે જીત અને કલ્પ શબ્દાર્થના અર્થ જણાવીને આ જીતક૯પસૂત્રને ભણવા લાયક છેનું વર્ણન કરતાં કહ્યું છે કે જે મુનિઓ શ્રીહકલ્પસૂત્ર શ્રીવ્યવહારસૂત્ર અને શ્રીનિશીથસૂત્રના અને યથાર્થ સ્વરૂપે જાણતા હશે, તેએજ પોતાના શિષ્ય-પ્રશિષ્યાદિને શ્રીજીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy