________________
શ્રી જૈન પ્રવચન કરાવતી (શ્રી છેઃ સૂત્રના સક્ષિપ્ત પરિચય)
૬૬૩
જેના રચનારા ગણધરો, પ્રત્યેકબુદ્ધો, ચૌ પૂત્રી કે દશપૂર્વી જણાવ્યા હોય, તે સૂત્ર કહેવાય. આ રીતે છેત્રની કહેલી વ્યાખ્યાનું રહસ્ય એ છે કે પ્રમાદાદિ કારણેામાંના કોઈ પણ કારણથી નિમલ જ્ઞાનદાન-ચારિત્રમાંને કાઈ પણ ગુણ દેશથી કે સ`થી દૂષિત થયા હાય, તા તે દ્યાયની શુદ્ધિ કઈ રીતે કરીને ચારિત્રાદિ ગુણેાની રક્ષા કરવી? આવા અનેક પ્રશ્નાના સ્પષ્ટ ખુલાસા વગેરે હકીકતા આ છેદસૂત્રોમાં જણાવી છે. આ છેઃસૂત્રની વ્યાખ્યા અન્યત્ર ( બીજા ગ્રંથામાં) આ રીતે પણ જણાવી છે. શ્રીપ’ચકલ્પસૂત્રના ભાષ્યમાં (૧) પરિણામી શિષ્યેા, (ર) અપરિણામી શિષ્યા, (૩) અતિપરિણામી શિષ્યા, આ રીતે શિષ્યના ત્રણ ભેટ્ટા કહ્યા છે. તેમાં જેઓ એકાંતે ઉત્સ`મા તે જ વ્યાજબી માને, તે શિષ્યા અતિપરિણામી કહેવાય. જેએ એકાંતે અપવાદ મા તે જ વ્યાજબી માને, તે ગીતાઢિ ગુણાના ધારક ગુરુની આજ્ઞા વિના તે ખાસ અગત્યના કારણ સિવાય પણ અપવાદ માતે જ સેવ્યા કરે તે શિષ્યા અરિણામી કહેવાય. આ બંને પ્રકારના શિષ્યાના છેદ કરીને એટલે તેઓને છે સૂત્રા ભણાવાય જ નહિ, એમ માનીનેજે સૂત્રેા ફક્ત વ્યવહારાદિ સૂત્રમાં કહેલા દીક્ષાપર્યાયાદિથી લાયક ગણાતા પરિણામી શિષ્યાને જ ભણાવાય, તે છેદસૂત્રેા કહેવાય છે. જે શિષ્યા ઉભ` સૂત્રાદિના રહસ્યને ગુરુગમથી યથાર્થ સમજીને દેશકાલાદિને આળખીને ઉચિત પ્રવૃત્તિ કરે, તે શિષ્યા પરિણામી કહેવાય છે. આ ત્રણે શેઢાનુ યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે કેરી વગેરેનાં દૃષ્ટાંતા પણ સમજાવ્યાં છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે જેમ લૂગડાંને સાંધીને (થીગડું મારવું વગેરે પ્રકારે) ટકાવી શકાય છે, ને વાસણને પણ સાંધીને કે થીગડું' મારીને ટકાવી શકાય છે તેમ ચારિત્રાતિ-મૂલાદિમાં લાગેલા અતિક્રમાદિ દાષાની શુદ્ધિ કરીને ચારિત્રાદિને ટકાવવાના ઉપાયા તથા બીજી પણ જરૂરી ઘણી મીના છેદસૂત્રામાં વર્ણવી છે, આ ૬ છેદસૂત્રેાની રચનાની બાબતમાં શ્રીગણધર ભગવંતાએ (૧) શ્રીનિશીથસૂત્ર, (ર) મહાનિશીથસૂત્ર, (૩) પંચકલ્પસૂત્રની રચના કરી છે, અને (૧) બૃહત્કલ્પસૂત્ર, (ર) વ્યવહારસૂત્ર, ને (૩) દશાશ્રુતસ્કંધની રચના કરનારા શ્રીભદ્રબાહુસ્વામી છે, એમ કેટલાએક વિદ્વાના માને છે. અને શ્રીનિશીથસૂત્રની રચના કરનાર શ્રીભદ્રબાહુસ્વામી છે, એમ પંચકલ્પભાષ્યાદિના વચનથી સમજાય છે. ૨૩-૨૪-૨૨૫-૨૨૬૦ આ મૂલગુણાદિમાં થયેલા અપરાધાના પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન શ્રીબૃહત્કલ્પસૂત્રાહિની રચના થયા પહેલાં શ્રીગણધર ભગવંતાએ નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વના ત્રીજા વસ્તુ નામના વિભાગના વીશમા પાહુડામાં કયુ હતું. તે પછી કાલ વગેરેના ઢાખથી કેટલાક કાલ વીત્યા બાદ પૂર્વાના અભ્યાસ થતા અટકી ગયા, તેથી વિચ્છેદ પામતા તે પ્રાયશ્ચિત્તાદિ વિધાનને અવિચ્છિન્ન રાખવાના મુદ્દાથી ચૌદ પૂર્વી શ્રીભદ્રમાહુસ્વામી મહારાજે શ્રીવ્યવહારસૂત્ર અને શ્રી મહુકલ્પસૂત્રની રચના કરી. શ્રીબૃહત્કલ્પસૂત્રમાં કયા પ્રસંગે કેવા નિમિત્તોથી કેવા અપરાધા કઈ કઈ બાબતમાં સંભવે છે? આ પ્રશ્નના ખુલાસા, તથા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International