SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી ( શ્રી અનુયાગદ્વાર સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૬૫૫ વિવક્ષા કરી નથી, એટલે આવી બીનાને એક બાજુ રાખીને નામને યાવકથિક કહીએ તાપણ શાસ્ત્રીય દૃષ્ટિએ લગાર પણ ગેરવ્યાજમી નથી. જેમ કાલથી તફાવત જણાવી દીધા, એ પ્રમાણે આકાર, ભાવ અને પ્રવૃત્તિ વગેરે હેતુથી પણ બંનેને જરૂર અલગ માનવા જોઇ એ તે આ પ્રમાણે-(૧) જેમ ઇંદ્ર વગેરેની પ્રતિમાને ઘરેણાં વગેરે પહેરાવાય. પડખેના ભાગમાં ઇંદ્રાણી હોય અને હાથમાં વજ્ર હોય. આવું જેમ પ્રતિમારૂપ સ્થાપનામાં જણાય છે, તેવું નામમાં હોતું નથી. એટલે નામેન્દ્ર વગેરેમાં તેવી સ્થિતિ રખાતી નથી, (૨) દ્ર વગેરેની પ્રતિમા વગેરે સ્થાપનાને જોઇને જે ભાવ જાગે છે, તે નામ શ્રવણથી થતું નથી (૩) ઇંદ્રની સ્મૃતિ વગેરેની પાસે લાકો ભેટ મૂકે, તેની માનતા માને, પૂજા કરે, ઇષ્ટ કાર્ય સાથે વગેરે રૃખાય છે, આવુ' નામેન્દ્ર વગેરેની બાબતમાં ઢુંખાતુ' નથી. એ પ્રમાણે સ્થાપનાનું સ્વરૂપ જણાવી દીધું. હવે દ્રવ્ય–નિક્ષેપાતું સ્વરૂપ આ પ્રમાણે—જે દ્રવ્યની સાથે રહે, તે ગુણ કહેવાય, અને ક્રમસર બદલાય, તે પર્યાય કહેવાય. થઈ ગયેલા પર્યાયાનુ અને ભવિષ્યમાં થનાર પર્યાયાનુ જે કારણ હાય, તે દ્રવ્ય કહેવાય. તે દ્રવ્ય એ પ્રકારે જાણવું, (૧) છત્રવાળું દ્રવ્ય પુરુષ વગેરે કહેવાય. (૨) અને જીવ વિનાનું દ્રવ્ય (લાકડું વગેરે), જે જીવ ભૂતકાલમાં સ્વ વગેરે સ્થલે ઇંદ્રાદ્વિરૂપે હતા, ત્યાનું આયુષ્ય પૂરું કરીને અહીં મનુષ્યાદિ સ્વરૂપે ઉપજે તે તે જીવ અહીં ( મનુષ્યાદિ ભવમાં ) પણ દ્રવ્ય-શ્ચંદ્ર વગેરે કહી શકાય, કારણ કે પહેલાં તેણે ઈસ્વરૂપ વગેરે ભાગવ્યુ` છે. જેમ પ્રધાન પદથી ઉતરેલ જીવ પણ પ્રધાન કહેવાય, તેમ અહીં પણ સમજવુ', તથા હાલ જે મનુષ્ય ઈંદ્રનું આયુષ્ય બાંધ્યુ. હાય, તે પણ થનારી કેંકેંદ્રપદીનું કારણ છે, માટે દ્રવ્ય-ઈંદ્ર કહેવાય. જેમ ચુવરાજને રાજા કહી શકાય, તેમ અહીં પણ સમજવું. આ ભાખતમાં જુએ સાક્ષિપાઠ भूतस्य भाविनो वा, भावस्य कारणं तु यल्लोके ॥ तद् द्रव्यं तत्रज्ञे : सचेतनाचेतनं कथितम् ॥ १ ॥ હવે ભાવ (નિક્ષેપ )નું સ્વરૂપ આ પ્રમાણે--તે તે વિક્ષિત ક્રિયાના અનુભવ કરવા એ ભાવ કહેવાય, એટલે જે શબ્દના જે મુખ્ય અર્થ થતા હોય, તે અવાળી વ્યક્તિમાં તે અ જ્યારે ઢેખાય ત્યારે તે ભાવ કહેવાય. આ બામતમાં દાખલેા એ કે જે ચંદ્ર પદને પરમ અન્ધ વગેરે ગુણાને ધારણ કરે ઇંદ્ર કહેવાય, આ અથ જ્યારે દેવલેાકમાં તે સાક્ષાત્ દ્રપણે હાય, ત્યારે તેમાં ઘટે, એટલે સ્વર્ગમાં રહેલ ઇંદ્ર એ ભાવેન્દ્ર કહેવાય. કારણ કે ઇંદ્રપદના અ` તે વખતે તેમાં ઘટે છે, જુઆ આ બાબતમાં સાક્ષિપાઃ— भावो विवक्षितक्रियाऽऽनुभूतियुक्तो हि वै समाख्यातः ॥ सर्वज्ञेरिन्द्रादिव - दिहेन्दनादिक्रियानुभवात् ॥ १ ॥ આ શ્લાકના અથ ઉપર જણાવ્યા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy