SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી મનુયાગદ્વાર સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૬૫૩ માબાપ વગેરે તેને જુદા નામથી ખેલાવે. આ મુદ્દાથી ઘણું કરીને એમ કહ્યું છે. કહેવાનું રહસ્ય એ કે મેરૂ વગેરે શાતા પદાર્થીના જે નામ શાસ્ત્રમાં આવે છે તે યાવથિક કહેવાય. એટલે નામવાળી વસ્તુ રહે ત્યાં સુધી નામ રહે. એમ પ્રતિનિયત દેશ વગેરેની અપેક્ષાએ પણ નામ યાવકથિક કહી શકાય, આ ભામતમાં દાખલે એ કે જેઓ ઉત્તરકુર નામના યુગલિયાના ક્ષેત્રોમાં જ જન્મ્યા હાય, તેએ ઉત્તરકુરૂએ એમ કહેવાય, અને ભરતક્ષેત્રમાં જન્મેલા જીવા ભારતવષીય નામથી ઓળખાય. તથા પુસ્તકમાં અથવા કાગળ વગેરેમાં “ઈ, જ્ઞાન” આમ અક્ષરે ગાવીએ, એ નામ કહેવાય, એમ પણ બીજા ગ્રંથામાં કહ્યું છે, એમ નામનુ સ્વરૂપ જણાવી દીધું. " પ્રશ્ન : સ્થાપના નિક્ષેપમાં રહેલા સ્થાપના શબ્દના સ્પષ્ટ અર્થ સમજાવો. ઉત્તર : શબ્દના મુખ્ય અ જેમાં ન રહે, અને મૂલ વસ્તુ તરફે ખ્યાલ રાખીને જે સ્થપાય એટલે આકૃતિરૂપે કરાય, તે સ્થાપના કહેવાય એમ કૃત્રિમ સ્થાપનાનું લક્ષણ કહી શકાય. આ લક્ષણ શાન્ધતી પ્રતિમા વગેરે શાશ્ર્વત સ્થાપનામાં ન ઘટી શકે, છતાં એ પણ સ્થાપના તા કહેવાય જ, પ્રશ્ન: શાધતી સ્થાપનાનું લક્ષણ શું? ઉત્તરઃ અરિહંત વગેરે સ્વરૂપે જે કાયમ રહે તે શાશ્ર્વતી સ્થાપના કહેવાય. આ લક્ષણ તમામ શાધતા પદાર્થાની સ્થાપનામાં ઘટી શકે છે, અહીં સ્થપાય તે સ્થાપના એમ ન કહી શકાય. કારણ કે આવી શાશ્ર્વતી ચીજોની સ્થાપના કરનાર કોઈ હોય જ નહિ. સ્થાપનાના એ ભેદ આ પ્રમાણે જાણવા—(૧) જે ભૂલ પદાની સાથે ખરેખર મલતી આવે, તે સદ્ભાવ સ્થાપના કહેવાય, જેમ અત્યારે કેમેરાથી સામા માણસના ફોટા લેવાય, તે ખરેખર મળતા જ આવે, તે સદ્ભાવ સ્થાપના કહેવાય. (૨) અને જેના મૂળ પદાની સાથે મેળ ન ખાય, એટલે અંદાજથી જે આકૃતિ બનાવાય તે અસદ્ભાવ સ્થાપના કહેવાય. આ બાબતમાં દૃષ્ટાંત એ દઇ શકાય કે અક્ષ વગેરેની સ્થાપનાને સ્થાપનાચાય તરીકે સ્થાપીએ, આમાં મૂળ પદાથ ( સ્થાપેલા જે આચાય ભગવ ́ત તે)ની સાથે સ્થાપેલી સ્થાપના સરખાવીએ તેા સરખામણી થઇ શકતી નથી. માટે તે અસદ્ભાવ સ્થાપના કહેવાય. આને શ્રીઅનુયાગદ્વાર સૂત્રની મલધારી શ્રીહેમચંદ્રસૂરીશ્વરજીએ બનાવેલ ટીકામાં અનાકાર સ્થાપના તરીકે ઓળખાવી છે. આ ઉપરથી એ પણ સમજવાનુ મલે છે કે સદ્ભાવ સ્થાપનાને બીજી રીતે સાકાર સ્થાપના એમ પણ કહી શકાય. આવી જે સ્થાપના ઘેાડા કાળને માટે સ્થપાય, તે અક્ષ વગેરેની સ્થાપના ઇવકાલિક (થોડા સમયવાળી) કહેવાય. અને જે કાયમ રહે તે યાવકથિક સ્થાપના કહેવાય, અને તેવી સ્થાપના તરીકે શ્રી ન...દીધરદ્વીપના ચૈત્ય, પ્રતિમા વગેરેને ધ્યાનમાં રાખવા. આ ભાધ્મતમાં જુએ સાક્ષિપાઠ શ્રી વિશેષાવશ્યકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy