SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ १४० શ્રીવિજયસૂરીશ્વરકૃત ઉત્તર:-વાદળામાં ઢંકાયેલા સૂર્યની આડે સાદડી રહી હોય, અને તેની પાછળ ઘટ વગેરે પદાર્ગો રહ્યા હોય. અહીં એવું બને છે કે સૂર્યનાં કિરણે વાદળમાંથી નીકળી સાદડી વગેરે જે આડા (વચમાં) રહ્યાં છે, તેના બાકામાં પેસીને ઘટાદિ પદાર્થોને પ્રકાશે છે. આ દષ્ટાંત ચાલુ વાતમાં આ પ્રમાણે ઉતારવું. સૂર્યની જગ્યાએ કેવલજ્ઞાન સમજવું, તથા મેઘના જેવું કેવલજ્ઞાનાવરણીય કર્મ અને સાદડી વગેરેના બાકા જે મતિજ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ સમજવો; એટલે કેવલજ્ઞાનાવરણીય કર્મથી ઢંકાયેલા કેવલજ્ઞાનનો પ્રકાશ વચમાં રહેલા મતિજ્ઞાનાવરણીયાદિના ક્ષયોપશમ રૂ૫ બાકામાંથી નીકળીને છવાદિ પદાર્થોને પ્રકાશે છે. આ પ્રમાણે ક્ષયપશામજન્ય પ્રકાશને અનુસારે મતિજ્ઞાન વગેરે નામ પાડયાં છે. આ હેતુથી જેમ વાદળાં વગેરે આવરણે (આડાશ) દૂર થયા બાદ સૂર્યને પહેલાંની જે અસ્પષ્ટ પ્રકાશ હોતો નથી, પણ તેથી વિલક્ષણ બીજે જ સ્પષ્ટ પ્રકાશ હોય છે. એમ જ્યારે કેવલજ્ઞાનાવરણીય તથા મતિજ્ઞાનાવરણીયાદિ ખસે એટલે નાશ પામે, ત્યારે પહેલાંને મતિજ્ઞાનાદિ નામને ધારણ કરનાર પ્રકાશ ન જ હોય; પરંતુ બધી રીતે સ્પષ્ટ એ જુદા જ પ્રકાશ હોય છે. જેથી સર્વ પદાર્થોની સંપૂર્ણ બીના જણાય, આ બાબતમાં જુઓ સાક્ષિપાઠ આ પ્રમાણે છે कडविवरागयकिरणा-मेहंतरियस्थ नह विणेसस्स ।। ते कडमेहावगमे, न हुति जह तह इमाइंपि ॥ १ ॥ (આને સ્પષ્ટ અર્થ ઉપર જણાવી દીધું છે.) આ બાબતમાં બીજા પૂજ્ય આચાર્ય ભગવંતો એમ કહે છે કે જ્યારે સૂર્ય ઊગે, ત્યારે તેના વધુ પ્રકાશમાં નક્ષત્ર વગેરેનું તેજ સમાઈ જાય. આથી જેમ સૂર્યોદયકાલે તેઓ હોય છતાં બિનજરૂરી ગણાય, એમ કેવલજ્ઞાનના સમયે બાકીના જ્ઞાને હેય ખરા, પણ તે બધા કેવલજ્ઞાનથી ઊતરતા દરજજાના છે. કારણ એ બધા જ્ઞાનનું કામ કેવલજ્ઞાન સારી રીતે બનાવી શકે છે. આ આશયથી તે વખતે મતિજ્ઞાનાદિ જ્ઞાન હોય ખરા, પણ કંઈ પણ લાભદાયી ન હોવાથી તે ગણત્રીમાં ગણાતા નથી. કહ્યું છે કે – अण्णे आभिणिबोहियनाणाईणि वि जिणस्स विज्जति ॥ अफलाणि य सूरुदए-जहेव नक्खत्तमाईणि ॥१॥ (૨) કેવલ શબ્દને બીજો અર્થ “શુદ્ધ થાય છે. આમ કહેવાનું રહસ્ય એ છે કે કેવલજ્ઞાનાવરણીનો સંપૂર્ણ (મૂલથી) ક્ષય થાય ત્યારે કેવલજ્ઞાન થાય. તેથી આવરણરૂપી મેલ લગાર પણ રહેતું નથી, માટે તદ્દન ચેખું એવું જે શાન તે કેવલજ્ઞાન કહેવાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy