SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત ૧૧. ઉત્તરાના અગિયારમા બહુશ્રુત પૂજા અધ્યયનના ટ્રંક પરિચય અહીં શરૂઆતમાં (૧) મહુ, (૨) શ્રુત, (૩) પૂજા શબ્દના ચાર ચાર નિક્ષેપાની મીના જણાવતાં કહ્યું છે કે ઈશ્વર શિવ વગેરેની જે પૂજા તે દ્રવ્યપૂજા કહેવાય ને શ્રી અરિહંત પરમાત્માદિની જે પૂજા તે ભાવપૂજા કહેવાય. તથા શ્રીઅરિહંતાદિની સ્તુતિ કરવી, તે પણ ભાવપૂજા કહેવાય. તેમજ જે અમહુશ્રુત હેાય તે અભિમાની, લેાભી, સ્વચ્છંદી અને બિનજરૂરી વધારે લવારા કરનાર હાય છે. આ હકીકતાને સ્પષ્ટ સમજાવીને ફરી પણ કહ્યું છે કે જે અહંકાર વગેરે દુર્ગુણા, તે અશિક્ષા (ગુરુ મહારાજથી જ્ઞાન પામે નહી તે) નાં કારણેા છે. જે વિનયાદિ ગુણા તે જ્ઞાનાદિનાં કારણેા છે. વિનીત શિષ્યા ક્રોધાદ કરે છે ને વિનીત શિષ્યા ગુરુની આગળ બહુમાનથી હાથ જોડી ઊભા રહી ગુરુના વૈયાવચ્ચને ચાહે છે, તેમજ જે મુનિએ ગુરુકુલ વાસમાં રહીને જ્ઞાનાદ્ધિ યોગની ને તપશ્ચર્યાં સયમાદિની આરાધના કરે છે, તેને જ શ્રી ગુરુ મહારાજ હેાંશથી ગ્રહણ શિક્ષા અને આસેવનાશિક્ષા વગેરે ભણાવે છે, વ્યાજબી જ છે કે વિનય ગુણથી જ બીજા ગુણા પમાય છે, વિનય વગરનું જીવન ધૂલ કરતાં પણ હલકું જ સમજવું. આ તમામ હકીકતાને વિસ્તારથી સમજાવી છે. પછી દૂધથી ભરેલા દક્ષિણાવ` શ'ખની જેવા બહુશ્રુત મુનિવરોની અન્ધ ( ધેાડા ) વગેરેની ઉપમા ઘટાવીને (અન્ધાદિના જેવા કહીને) સ્તવના કરી છે. પછી છેવટે શ્રુતજ્ઞાનના મહિમા વર્ણવતાં જણાવ્યું છે કે શ્રુતજ્ઞાની મહામુનિવર। પાતાના આત્માને અને તેમના કહ્યા પ્રમાણે ચાલનારા જીવાને ભવસમુદ્રથી તારે છે. ૧૨. ઉત્તરાના ખારમા રિકેશીય નામના અધ્યયનના ટ્રૅક પરિચય અહીં શરૂઆતમાં હરિકેશ મુનિએ પાછલા ભવમાં કરેલા મદની મીના અને તેણે પ્રભુ શ્રીતી કરદેવના અશાક વૃક્ષ વગેરે પ્રાતિહાર્યાંને જોઈને ગ્રહણ કરેલી દીક્ષાની બીના, તથા રિકેશ શબ્દના પર્યાયવાચક શબ્દા વગેરે બીના જણાવી છે. પછી કહ્યું છે કે ચંડાળ કુલમાં જન્મેલા, ગુણી, આઠ પ્રવચન માતાના પાલક શ્રીહરિકેશ મુનિ માસખમણના પારણે ભિક્ષા લેવા માટે યજ્ઞના વાડામાં આવ્યા. તેમને જોઈને બ્રાહ્મણોએ હાંસી કરી, ભિક્ષા આપી નહિ, ને કહ્યું કે “અહીંથી તમે ચાલ્યા જાઓ, ” આ અવસરે હરિકેશ મુનિના શરીરમાં એક ભક્તદેવ દાખલ થયા. તેણે (દેવાધિષ્ઠત મુનિએ ) સાધુના ગુણા કહી ભિક્ષા માંગી. ત્યારે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણના વિદ્યાથીઓએ કહ્યું કે હે મુનિ આ ભેાજન બ્રાહ્મણાને જમાડવાનું છે, માટે તમને નહિ આપીએ. તમે ચાલ્યા જાવ. યક્ષાધિષ્ઠિત મુનિ: ખેડૂતા ઊંચી ભૂમિમાં કે નીચી ભૂમિમાં ધાન્યની આશા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy