SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીવિર્યપદ્ધસૂરીશ્વરકૃત છોડીને અને કામગીને સેવતા જીવોની દુર્દશાને વિચારીને શીલ, સમતા, સંયમ, સરલતા વગેરે ગુણોને ધારણ કરે તે. (મુનિ, અપ્રમત્ત કહેવાય. અહીં બ્રાહ્મણીનું અને વાણિયાની સ્ત્રીનું દૃષ્ટાંત કહ્યું છે. અંતે પ્રભુએ હિતશિક્ષા ફરમાવી છે કે હે મુનિવર ! રાગ-દ્વેષ ને કષાયોનો ત્યાગ કરજો, તેનાં કારણેને સંગ લગાર પણ કરશે નહિ. આ તમામ હકીકત અહીં વિસ્તારથી સમજાવી છે, ૫. ઉત્તરાગ્ના પાંચમાં અકામમરણ અધ્યયનને ટૂંક પરિચય અહીં અનુક્રમે કામ શબ્દના 8 નિક્ષેપાની અને મરણ શબ્દના ૬ નિક્ષેપાની બીના કહીને વિભક્તિ વગેરે ૮ દ્વારનું સ્વરૂપ ઘટાવીને ગોઠવીને) મરણનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તેમાં મરણના આવીચી-મરણ વગેરે ૧૭ ભેદનું સ્વરૂપ અને આવીચી-મરણના લક્ષણ, પાંચ ભેદ તથા અવધિ મરણ, આત્યંતિક મરણ, વલમ્મરણનું સ્વરૂપ, તેમજ અંત:શલ્ય મરણનાં ફૂલ અને સ્વરૂપ વગેરે બીનાઓ ક્રમસર વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર તદ્દભવમરણ, બાલમરણ, પંડિતમરણ, દેશવિરતિમરણ (બાલપંડિતમરણ), છઘસ્થમરણ, કેવલિમરણ, વૈહાયમરણ ને ગૃધ્રપૃષ્ઠમરણનું સ્વરૂપ કહીને ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદપોપગમન નામના અનશનના ત્રણ ભેદનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી અનુક્રમે સકામ મરણનું અને અકામ મરણનું સ્વરૂપ કહીને જણાવ્યું છે કે બાલને અકામ મરણ વારંવાર થાય છે ને પંડિતોને સકામ મરણ એક વાર થાય છે. જે જી કામાસક્ત હોય ને ક્રૂર હોય, તથા કામભેગને ચાહે, તેમજ પરલોકની બાબતમાં શંકાવાળા હોય ને ત્રસાદિની હિંસા કરે, કપટ કરે, દારૂમાંસને ખાય તેઓ અકામ મરણને પામે છે. આ તમામ બીના વિસ્તારથી કહીને સાધના અને ગૃહસ્થના આચારમાં તફાવત સમજાવ્યો છે. પછી ભીખારીના દષ્ટાંત દુરાચારી વગેરે જીવોની દુર્ગતિની બીના કહીને જણાવ્યું છે કે સામાયિક-પૌષધાદિ ક્રિયાઓને કરનાર શ્રાવકે અંતે દેવપણું પામે છે. સાધુ મોક્ષે અથવા સ્વર્ગમાં જાય. પછી અનુક્રમે દેવાનું ને તેમના આવાસેનું વર્ણન કરીને જણાવ્યું છે કે જે મુનિઓ શાંતિથી સંયમને અને તપને સાધે છે તેઓ સદ્દગતિને પામે છે, અને શીલવંત જીવો મરણ કાલે લગાર પણ રીબાતા નથી, હસતાં હસતાં મરણ પામી સદ્ગતિના સુખોને પામે છે, ક્ષમા, દયાદિ ગુણેને ધારણ કરનારા મુનિવરો હંમેશાં પ્રસન્ન (આનંદી) રહે છે. આ તમામ બીનાએ અહીં વિસ્તારથી સમજાવી છે. ૬. ઉત્તરાના છઠ્ઠા ક્ષુલ્લક નિગ્રંથીય નામના અધ્યયનને રંક પરિચય અહીં શરૂઆતમાં મહત” શબ્દના ૮ નિક્ષેપા અને નિર્ભય શબ્દના ૪ નિપાદિની બીના કહીને પુલાક વગેરે પાંચ નિથાનું ને પ્રતિસેવનાદિ દ્વારોનું વર્ણન કર્યું છે. પછી અનુક્રમે બાહા ગ્રંથ ને અત્યંત ગ્રંથના ભેદાદિનું સ્વરૂપ ને નિગ્રંથનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy