SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પણું, (ર) શ્રુતિ-જિનવચનનું સાંભળવું, (૩) જિનવચનોની ઉપર શ્રદ્ધા થવી, (૪) સંયમની આરાધનામાં આત્મવીર્યો લાસ ફરવે-આ ચાર પરમ (અસાધારણ) કારણેનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે, તેથી ચાતુરંગીય નામ યથાર્થ છે. પ્રબલ પુણ્યોદયે મનુષ્યત્વ વગેરેને પામેલા ભવ્ય જીવો પ્રમાદાદિ અંતરંગ શત્રુઓના પંજામાં સપડાઈને ભવભ્રમણ કરે નહીં, આવી પરોપકારી દષ્ટિવાળા સૂત્રકારે તે ચારે પદાર્થોની કમસર દુલભતા વર્ણવીને પ્રમાદાદિની ઓળખાણ કરાવી તે દરેક અંતરંગ શત્રુને જીતવાની આજ્ઞા ફરમાવી છે. આત્માને કમસર ઊંચે ચઢાવનારા આ ચાર પદાર્થો છે. તે દરેક પદાર્થનું વિસ્તારથી વર્ણન મેં દેશના ચિંતામણીના બીજા ભાગની પ્રસ્તાવનામાં કર્યું છે, તે ત્યાંથી જાણવું. ૧૯૨. (૪) ચોથા અસંસ્કૃત નામના અધ્યયનમાં પ્રમાદને તજવાનો સચોટ ઉપદેશ દેતાં અપૂર્વ આમિક બોધને દેનારા અને પ્રમાદાદિના ભયંકર જુલમોને જણાવનાર દષ્ટાંતો સાથે પ્રમાદ વગેરેનું સ્વરૂપ, ભેદ, ફલ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. અહીં શરૂઆતમાં કહેલા (મસંવઘં) (ii) પદથી આ અધ્યયનની ઓળઆણ કરાવી છે, તેથી આનું નામ “અસંસ્કૃત” યથાર્થ છે. જીવનદારી તૂટયા પછી “અસ્થિરં , એટલે સાંધી શકાતી નથી. શ્રી તીર્થકરાદિ મહાપુરુષો પણ તે તૂટેલી જીવનદોરીને સાંધી શકતા નથી. છદ્મસ્થ જીવોને કયા સમયે કયા ક્ષેત્રમાં કયા કારણથી મૃત્યુ થશે, તેની ખબર પડતી નથી. માટે હે જીવ! તું પ્રમાદ કરીશ નહિ. તુ એમ સમજે છે કે હાલ તે ધન કમાવાનો ને ભેગ ભેગવવાનો સમય છે, માટે ઘડપણમાં ધર્મને સાધીશ પણ આ તારી સમજણ ભૂલ ભરેલી છે. કારણ કે તું “વૃદ્ધ થઈશ જ” એવું નક્કી નથી. નજરો નજર જોઈએ છીએ કે સવારે જોયેલા જીવ બપોરે દેખાતા નથી. (મૃત્યુ પામે છે). બપોરે જોયેલા જીવો સાંજે દેખાતા નથી. વળી દુનિયાના જેવો સ્વાથી છે. ઘડપણમાં સામું પણ જોતાં નથી. પુયાઈ હોય તો દીકરા વગેરે વૃદ્ધની ખબર છે. આવી પુર્ણાઈ ઘડપણ આવ્યા પહેલા ધર્મારાધન કરીને મેળવી શકાય છે. ઘડપણમાં શારીરિક શક્તિ વગેરે સાધનાની સંપૂર્ણ ખામી થતી હોવાથી તે ધર્મારાધન કરવાને સમર્થ થઈ શકતું નથી, માટે જ્યાં સુધી શરીર નીરોગી છે, ઘડપણ આવ્યું નથી, ઇંદ્રિય અખંડ છે, આયુષ્યનો અંત આવ્યો નથી, તેટલા કાલમાં પરમ ઉલ્લાસથી મહાદુર્લભ શ્રીજિનધર્મની આરાધના કરીને ભવ સમુદ્રને પાર પામજે. આ હકીકત શ્રીસંવેગમાલા વગેરે ગ્રંથમાં બહુ જ વિસ્તારથી જણાવી છે. આ અધ્યયનનો સાર એ છે કે (૧) આયુષ્યનું વિનધરપણું, (૨) અશુભ કર્મોનાં કડવાં ફલો, (૩) જે જીવ ૧ આર્થિક સહાયક શેરદલાલ જેસંગભાઈ કાલીદાસની મદદથી શા. ઇશ્વરદાસ મૂલચંદે ગ્રંથપ્રકાશન સભાની મારકત છપાવી છે. ૨. શ્રી સંગમ'લા ગ્રંથ શ્રી જૈન ધર્મપ્રસારક સભાએ છપાયે છે. Jain Education International For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy