SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ વૈકાલિક સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૫૬૯ પાછળ ચાલવું જોઈએ. ગુરુને અવિનય થયો હોય તે જલદી ખમાવવો જોઈએ. ગળિયા બળદના જેવા ન થવું જોઈએ, કાલ-ક્ષેત્રાદિની પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને જ પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમજ કષાયને સેવનારા અવિનીત જીવો મોક્ષને પામતા નથી. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને અંતે કહ્યું છે કે જે શિષ્ય ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તીને મોક્ષમાર્ગને સાધે છે તેઓ જ સિદ્ધિપદને પામે છે. શ્રી દશવૈકાલિકના નવમાધ્યના ત્રીજા ઉદ્દેશાને રંક પરિચય અહી કહ્યું છે કે (૧) વિનીત શિષ્યોએ શ્રી આચાર્યાદિ મહાપુરુષોના મનના ભાવને (તેમના વિચારને) સમજીને તેમની ભક્તિ જરૂર કરવી જોઈએ (૨) જ્ઞાનાચાર વગેરે પાંચ આચારની યથાર્થ આરાધના કરવામાં વિનય ગુણ અસાધારણ કારણ છે. (૩) શ્રી ગુરુ મહારાજની લગાર પણ આશાતના નહિ કરનારા મુનિઓ લોકમાં પૂજ્ય બને છે ને આરાધક થાય છે. (૪) સાધુ-સાધ્વીઓએ વડીલ મુનિવરાદિનો વિનય જરૂર કરવો જોઈએ. (૫) મુનિને કેઈ કઠોર વચને બેલે, તો તેણે સહન કરવા જોઈએ. કારણ કે ૮૮ સહે તે રહે, ને નમે તે ગમે, 25 એટલે સૌ કોઈને શાંતિમાં રહેવાનું પરમ સાધન સહનશીલતા છે. આપણે બધાંને ગમીએ (વહાલાં લાગીએ) એવા થવામાં અસાધારણ કારણ “નમ્રતા ગુણ છે (૬) સામાને કઠેર વચન કહેવાથી જરૂર વર વધે છે. માટે સાધુ-સાધવીઓએ તેવા વચનો ન બેલવાં જોઈએ. એક કવિએ વ્યાજબી જ દૂહા-છઠ્ઠામેં અમૃત વસે, વિષ ભી ઉનકી પાસ; એકે બાલ કેડી ગુણ, એક કેડી વિનાશ. ૧ (૭) સાધુ સાધવીઓએ શ્રમણ ધર્મને સાચવવાની ખાતર સામા માણસનાં કઠોર વચનો કે તિરસ્કારને સૂચવનારાં વચને જરૂર સહન કરવાં, પણ ઘોબીની સામે ધોબી જેવા થવું નહીં. કારણ કે તેથી બેમાંથી એકેને લગાર પણ લાભ તો છે જ નહિ, પણ ભયંકર નુકસાન વેઠવું પડે છે. (૮) સાધુ-સાધ્વીઓએ નિંદાનાં વચનો, શત્રતાને વધારના વચને, તથા અવધારણી (આ વાત આમ જ છે, આવાં નિશ્ચયાત્મક) વચનો ન બોલવાં જોઈએ. (૯) સાધુ-સાધ્વીઓએ લાલુપતા (સારા સારા આહારાદિ કરવાની ટેવ) નો ત્યાગ કરે જોઈએ. (૧૦) સાધુ-સાધ્વીઓએ રાગદ્વેષનો ત્યાગ કરીને સમતાભાવે રહેવું જોઈએ. (૧૧) કેઈની પણ હીલના કરવી નહિ, (૧૨) સાધુ-સાદવીઓએ પૂજ્ય પુરુષની ભક્તિ વગેરે જરૂર કરવાં જોઈએ. કારણ કે જેઓ માનવા લાયક હોય તેમને જરૂર માનવા (માન દેવું) જોઈએ, ને પૂજવા લાયક હોય તેમને જરૂર પૂજવા જોઈએ. મજાન માનવેત્ત ફૂડ્યાન પૂગત” એટલે માન્યને માન દેવું, ને પૂજ્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy