________________
શ્રી જેને પ્રવચન (કરણાલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) પરસ્ટ ભવિષ્ય સુધરતું નથી, એટલે તેઓ ભવસમુદ્રને તરી શકતા નથી. ચેત્યભક્તિ વગેરેથી પણ વધારે આત્મહિતને કરનારું સંયમ જ છે. આ તમામ બીના વિસ્તારથી વર્ણવીને સિદ્ધિની પ્રાર્થના (હે શ્રી સિદ્ધ ભગવંત! મને સિદ્ધિનાં સુખ આપ. આવી માંગણી)નું વર્ણન કરીને કહ્યું કે કેવલજ્ઞાનથી લોકમાં ને અલોકમાં પ્રકાશ થાય છે, એટલે સિદ્ધ ભગવંતે લેકનું ને અલોકનું સંપૂર્ણ સ્વરૂપ જાણે છે. આ રીતે બીજા આવશ્યક (ચકવીસસ્થવલેગસ્સ સૂત્ર)ને સંક્ષિપ્ત પરિચય પૂરે થયે.
૩. ત્રીજા આવશ્યક (વંદન અધ્યયન)નો રંક પરિચય
અહીં શરૂઆતમાં વંદનક શબ્દના ૪ પર્યાયવાચક શબદો, અને “કસ્ય એટલે કોને વંદન કરવું જોઈએ? ” વગેરે ૯ નવ દ્વારેનું સ્વરૂપ, તથા વંદન વગેરેના વર્ણનમાં શુદ્ધક સાધુ વગેરેના દષ્ટાંતે, તેમ જ વંદનીય (વંદના કરવા લાયક) અને અવંદનીયના વર્ણનમાં માલાનું દૃષ્ટાંત વગેરે બીના કહીને જ્ઞાન તીર્થાદિના અધિકાર (વર્ણન)ની સૂચના કરી છે. પછી અનુક્રમે અવંદનીયના પાર્થસ્થ (પાસસ્થા) વગેરે ભેદો, અને પાસસ્થા વગેરેને વંદન કરતાં લાગતા દોષોની બીના, તથા તેના (પાસસ્થા વગેરેના) ચારિત્રને નાશ, તેમ જ તેનું દુર્લભધિપણું જણાવતાં ચંપક (ચાંપાનાં ફૂલ)ની માલા, શકુની, પારગ ને વૈર્ય રનનાં દષ્ટાંતે કહ્યાં છે. એટલે ખરાબ જનની સેબત કરવાથી થતાં નુકસાન જણાવ્યાં છે. પછી ક્રમસર મુનિ વેષની ચર્ચા અને સુવિહિતનાં લક્ષણે કહીને જણાવ્યું છે કે પ્રત્યેકબુદ્ધોનું આલંબન લઈને સ્વછંદી બનેલા જીવો પિતાના ચારિત્રને નાશ કરે છે. ઉભાગની દેશના દેનારા જીવ અદષ્ટવ્ય (રેખવા લાયક નહિ એવા) જાણવા, તથા જે જિનશાસનની અપભ્રાજના કરે, તેને વાંદવામાં ઘણું દષો (ગેરલાભ) છે, તેમ જ જે જિનશાસનની પ્રભાવના કરે છે, તેમને વાંદવામાં કમ નિજા વગેરે ઘણા લાભ છે. આ હકીકત સ્પષ્ટ સમજાવીને અનુક્રમે આચાર્યાદિનું સ્વરૂપ, અને તેમને વાંદવાનો વિધિ, તથા પ્રતિક્રમણ વગેરેમાં કરાતા ધવ વંદન અને અધવ વંદનનું સ્વરૂપ તેમ જ પશ્ચીશ આવશ્યકેનું સ્વરૂપ ફલ વગેરે બીના વિસ્તારથી વણવી છે. પછી અનુક્રમે વંદનના ૩ર દોષો અને તેનું ફલ તથા વિનય ગુણની શ્રેષ્ઠતા જણાવીને વંદનક મૂલ સૂત્રમાંના ઇચ્છા, અનુજ્ઞા, અવગ્રહ વગેરે ૬ શબ્દોના નિક્ષેપ અને સ્વરૂપ તથા ગુરુની આજ્ઞા લઈને અવગ્રહમાં પ્રવેશ કરવાનો વિધિ, તેમ જ શ્રીગુરુ મહારાજના ચરણે વાંદણાં દેતાં શિષ્ય પિતાનું મસ્તક અડાડે, આ તમામ બીના વિસ્તારથી સમજાવી છે. પછી યાત્રા, યાપનીય અને ક્ષા મણનું સ્વરૂપ તથા શિષ્યને વાંદણ દેતાં ગુરુમહારાજ જે વચને કહે, તે વચનનું તેમ જ તે વચનો સાંભલીને શિષ્ય શું કહે ? તે પ્રશ્નોના ઉત્તર વગેરે બીના સ્પષ્ટ સમજાવીને બે વાંદણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org