SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના ગ્રંથને પરિચય) ૪૦૦ બાળકોએ બતાવેલી ભૂમિની પાસે પ્રતિમાના સ્થાનનો નિશ્ચય કરીને ગુરુજીએ પાર્શ્વનાથનું સ્તોત્ર રચવા માંડ્યું. તેના ૩ર કાવ્ય કહ્યા પછી તેત્રીસમું કાવ્ય ગુરુજીએ દેવતાના આદેશથી ગોપવી દીધું. બત્રીસ કાવ્યોના આ સત્રની શરૂઆતમાં કાતિયા પદ હોવાથી જયતિહુયણ નામે એ સ્તોત્ર ઓળખાય છે. તે પ્રતિમાનાં દર્શન થયાં કે તરત જ રોગ મૂળથી નાશ પામ્યા ને ગુરુજી ની રેગી બન્યા. પછી શ્રીસંઘે ગુરુજીને તે પ્રતિમાની ઉત્પત્તિ પૂછી, ત્યારે ગુરુજીએ શ્રીસ્તભપ્રદીપ વગેરેમાં જણાવેલી બીના શ્રીસંઘની આગળ કહી સંભળાવી, અને છેવટે કહ્યું કે આ પ્રતિમા કોણે ભરાવી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પ્રમાણે પ્રતિમાને મહિમા સાંભળીને શ્રીસંઘે તે જ સ્થાને નવું દહેરું બંધાવી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. પછી જ્યારે વિ. સં. ૧૩૬૮ ની સાલમાં જુલ્મી રાજાઓએ ગુજરાતમાં ઉપદ્રવ કર્યો ત્યારે વર્તમાન સ્તંભતીર્થ (ખંભાત)ની સ્થાપના થઈ. એટલે તે સાલમાં આ પ્રતિમાજી ખંભાતમાં પધરાવ્યાં. અત્યારે આ મહા ચમતકારી શ્રી પાર્શ્વનાથનું બિબ તંભન તીર્થ (ખંભાત, તંબાવતી નગરી) માં હયાત છે, શ્રી અભયદેવસૂરિજીના સ્વર્ગવાસના સંબંધમાં પ્રભાવક ચરિત્રમાં કહ્યું છે કે સૂરિજી પાટણમાં કણ રાજાના રાજ્યમાં દેવલોક પામ્યા. આ વાકયનો અર્થ એમ પણ સંભવે છે કે કર્ણના રાજ્યકાલમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા. બીજાઓ આ બાબતમાં એમ પણ વિચાર જણાવે છે કે, જે સમયે કણ રાજા પાટણમાં રાજ્ય કરતો હતો તે વખતે સૂરિજી સ્વર્ગે ગયા. પટ્ટાવલિઓના ઉલ્લેખ પ્રમાણે તો ઘણાખરા એમ માને છે કે અભયદેવસૂરિજીનો કપડવંજમાં સ્વર્ગવાસ થયો. સંવતનો વિચાર એ છે કે પઢાવલિમાં સં. ૧૫૩૫ માં સ્વર્ગે ગયા એમ કહ્યું છે, ત્યારે બીજો મત એ પણ છે કે સં. ૧૫૩૯ માં સ્વર્ગ ગયા. શ્રી અભયદેવસૂરિ મહારાજે બનાવેલા ગ્રંથો=અંગટીકાન વિભાગ ૧. સ્થાનાંગ ટીકા–આ મૂલ સૂત્રમાં પહેલા અધ્યયનમાં આત્મા વગેરે એકેક પદાર્થો જણાવ્યા છે. બીજા અધ્યયનમાં બે બે પદાર્થો કયા કયા તે જણાવ્યું છે. આ કમે અંતે દશમા અધ્યયનમાં દસ દસ સંખ્યામાં કયા કયા પદાર્થો છે તે જણાવ્યું છે. આ રીતે આ ગ્રંથમાં જીવ, અજીવ વગેરે તો, સ્વસમયાદિની બીના, નદી પર્વત ક્ષેત્ર વગેરે બીના જણાવી છે, ચોથા અધ્યયનમાં નરકે જવાનાં ચાર કારણે, બે રીતે થતાં શ્રાવકના ચાર ચાર પ્રકારે; પાંચમા અધ્યયનમાં સમિતિ, અણુવ્રત વગેરેની બીના; નવમા અધ્યયનમાં શ્રી વીર પ્રભુના શાસનમાં ભાવી તીર્થકરના ૯ જીવો શ્રેણિક, શંખ, શતક, સુપાર્થ, સુલસા, રેવતી, શ્રાવિકા વગેરે થયા તેની બીના આપી છે. અંગુત્તરનિકાય “નામના બૌદ્ધ ગ્રંથમાં પણ આ સૂત્રની શૈલી જેવી શૈલી માલુમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy