SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના ગ્રંથાના પરિ ) ૪૦૫ રહસ્ય “ વૃત્તિ આઢિ સાધના નાશ પામેલાં હોવાથી '' મહાપ્રજ્ઞાશાલી મુનિઓને પણ જાણવું મુશ્કેલ થયું. આ પ્રસ ંગે એક વખત અધ રાત્રે ધમ ધ્યાનમાં સાવધાન રહેલા શ્રી અભયદેવસૂરિને વંદના કરી શાસનની અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે · પહેલાં મહાશાસનના સ્થંભ સમાન પમ પૂજ્ય શ્રીશીલાંક ( કચાચા ) નામના આચાયે અગિયારે અંગની વૃત્તિઓ રચી હતી, તેમાં હાલ એ અંગ (આચારાંગ, સૂયગડાંગ )ની જ વૃત્તિ હયાત છે, બાકીનાં અંગાની વૃત્તિઓ વિચ્છેદ પામી ગઈ છે, તેથી સંઘના હિતને માટે શ્રી સ્થાનાંગાદિ નવે અગાની નવી ટીકાઓ બનાવવાને ઉદ્યમ કરો. ” દેવીનું આ વચન સાંભળીને સૂરિજીએ કહ્યું કે ‘ હે માતાજી ! સુહિતનામધેય શ્રીસુધર્માસ્વામી ગણધરે રચેલાં સૂત્રોનું યથા રહસ્ય જાણવાને પણ મારા જેવા અલ્પબુદ્ધિ અસમ છે, તેા પછી ટીકાએ તેા કેમ મનાવી શકું? કારણ કે કદાચ કોઇ સ્થળે સૂવિરુદ્ધ કહેવાઇ જાય તા મહાપાપ લાગે, તેથી સંસારમાં અનંતી વાર ભટકવું પડે, ' ત્યારે દેવીએ કહ્યું કે · હૈ સુર્ણાશરામણ ! આ કાર્ય કરવા માટે તમે જ લાયક છે, એમ હું માનું છું. વૃત્તિએ મનાવતાં કદાચ સ ંદેહ પડે ! મને યાદ કરો ને સદેહુ જણાવજો. હું મહાવિદેહ ક્ષેત્રના વિહરમાન તીર્થંકર શ્રીસીમંધરસ્વામીને પૂછીને તે બાબતના ખુલાસા આપને જણાવીશ, માટે આ કા તમે શરૂ કરે. હું તમારી આગળ પ્રતિજ્ઞા કરું છું કે ‘તમે યાદ કરા કે તરત જ હાજર થઈશ.' દેવીના વચનથી શ્રીઆચાર્ય મહારાજે વૃત્તિ બનાવવાની શરૂઆત કરી. ટીકાઓ પૂરી થાય ત્યાં સુધી આયંબિલ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી, અને પાટણમાં ટીકાઓ રચી. બીજા ગ્રંથામાં એમ પણ કહેલ છે કે પાટણની બહાર રચી. આ કામમાં દેવીએ સંપૂર્ણ રીતે મદદ કરી. શ્રી દ્રોણાચાય વગેરે વૃદ્ધ મહાદ્યુતધરાએ આ વૃત્તિઓને શુદ્ધ કરી. એટલે શ્રાવકોએ લખાવવાની શરૂઆત કરી. એક વખત શાસનદેવીએ ગુરુમહારાજને કહ્યું કે ‘ પહેલી પ્રાંત (ટીકાની પ્રત) મારા દ્રવ્યથી લખાય એવી મારી ઇચ્છા છે.' એમ કહી પાતાની ખ્યાતિથી દૃષ્ટિતેજને આંજી, ત્યાં એક સેાનાનું ઘરેણું મૂકીને દૈવી સ્વસ્થાને ગયા. પછી મુનિઓ ગાચરી લઇને આવ્યા. ઘરેણુ જોઈને આશ્ચર્ય પામ્યા. પૂછતાં સૂરિજીએ બધી મીના કહી. પછી શ્રાવકોને લાવી ઘરેણું મતાવ્યું, પરંતુ તેનું મૂલ્ય નહિ જાણતાં તે શ્રાવકા પાટણમાં ઝવેરીઆની પાસે ગયા. તેઓએ આ આભૂષણ જોઈને કહ્યું કે અહીં ભીમરાજા ૧ આ બાબતમાં ખીજાએ કહે છે કે જો કે, અભયદેવસૂરિના સમયમાં નવ અંગોની ટીકા હયાત ન હોવાથી તેમણે નવી ટીકાએ બનાવી એમ પ્રભાવચરિત્રમાં કહેલ છે, પણ જેમ તે જ સૂરિએ શ્રી ભગવતીની સ્વકૃત ટીકામાં પંચમાંગની બે ટીકા છે એમ લખ્યું છે, તેમ ખીજ' સૂત્રોની પશુ ટીકાઓ હતી એમ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy