________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી ( ૮ થી ૧૨ ઉપાંગ શ્રી નિયાવલિકા સૂત્રો પરિ.) ૩૯૭ વર્ગોમાંના પહેલા વર્ગનું નામ કલ્પિકા છે. એમ બીજા ગ્રંથોમાં જણાવ્યું છે. આ નામને શબ્દાર્થ એમ સંભવે છે કે “ક એટલે આચાર. તેના બે ભેદ. (૧) સાવઘ આચાર અને (૨) નિર્દોષ આચાર, તેમાં આરંભ હિંસા વગેરે સાવઘ આચાર કહેવાય. તેવી ઘોર હિંસા કરીને નરકે ગયેલા શ્રેણિકના દશ પુત્રોનું વર્ણન કરનાર જે વર્ગ તે કલપકા કહેવાય. 27
બીજા વર્ગમાં શ્રેણિક રાજાના પૌત્ર અને કાલ કુમારાદિના પુત્ર એવા દશ કુમારે પ્રભુ મહાવીરની પાસે ચારિત્ર લઈને આરાધી અનુક્રમે સૌધર્મ, ઈશાને, સનતકુમારે, માહેન્દ્ર, બ્રહ્મદેવલોક, લાંતકે, મહાશુ, સહસ્ત્રારે, પ્રાણત તેમજ અમ્યુકે કલ્પાવતંસક વિમાન (મુખ્ય વિમાન )માં મહદ્ધિક દેવ થયા. તેથી આ બીજો વર્ગ કપાવતાસકા” નામે ઓળખાય છે.
ત્રીજા વર્ગનું નામ “પુષ્પિકા ' છે. શ્રી નંદી સૂત્રની હરિભદ્રસૂરિકૃત ટીકાના ઉપમા પત્રમાં આના શબ્દાર્થ આ રીતે કહ્યો છે. શરૂઆતમાં ગ્રહવાસ છોડીને સંયમભાવથી પુષિત એટલે સુખી થઈ, સંયમનો ત્યાગ કરવાથી દુ:ખી થઈ ફરીથી એ જ સંયમની સાધનાથી સુખી થયેલા જીવોનું વર્ણન જે ગ્રંથપદ્ધતિમાં કર્યું હોય, તે પુષ્પકા અથવા પુષ્પિતા કહેવાય. અને આ હકીકતને જે વિસ્તારથી જણાવે, તે ગ્રંથપદ્ધતિઓ પુષ્પચૂલા અથવા પુષ્પચૂલિકા કહેવાય. આ ચેથા વર્ગનું નામ છે. ત્રીજા વર્ગમાં ચંદ્ર, સૂર્ય, શુક્ર, બહુપુત્રિકા વગેરેનાં દશ અધ્યયનો છે. તેમાં નવ દેવ થયેલા છે, ને એક દેવી થયેલા છે. આ દશે દેવાદિએ પ્રભુ પાસે નાટયવા દેખાડ્યો હતો.
ચોથા વર્ગમાં શ્રી હી વગેરે દશ દેવીઓનું વર્ણન આવે છે. તે દશે દેવીઓ પ્રભુ પાસે આવી નાટક દેખાડીને સ્વસ્થાને ગયેલ છે. પાછલા ભવમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મુખ્ય સાધ્વી પુષ્પચૂલાની ચેલી હતી. અને ત્યાં ચારિત્રની વિરાધના કરવાથી પ્રથમ દેવલોકમાં દેવીપણું પામી હતી. બીજા ગ્રંથોમાં કહ્યું છે કે પુષ્પચૂલા ગુરુણીના નામ ઉપરથી ચા વગર પુષ્પચૂલિકા નામથી ઓળખાય છે.
પાંચમા વર્ગમાં કૃષ્ણ વાસુદેવના મોટાભાઈ બળદેવના બાર પુત્રોનો અધિકાર વર્ણવ્યો છે. તે દરેકે પાછલા ભવમાં ચારિત્રની આરાધના કરી હતી. ને અહીં પણ પ્રભુની પાસે ચારિત્ર લઈ આરાધીને સર્વાર્થસિદ્ધિ વિપણું પામ્યા. ત્યાંથી એવી મહાવિદેહે સિદ્ધ થશે. આના વહ્રિદશા નામને શબ્દાર્થ આ પ્રમાણે જાણવો - વિદિશા અહીં અંગ શબ્દને લેપ થયો છે. તેથી સંપૂર્ણ નામ ‘ગંધા શા કહેવાય. નાર ઉત્તર પશ્ય વા' આ સૂત્રથી ‘બંધ' પદને લોપ થયો તેથી વહિદશા કહેવાય છે. વૃણિ વંશમાં ઉત્પન્ન થયેલાની હકીકત અહી કહી છે, તેથી વદ્વિદશા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org