SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧૧. શ્રી વિપાકસૂત્રાંગ સૂત્રના પરિચય ) ૯૫ કે તેનાં દશ અધ્યયના કહ્યા છે. અહીં દરેક સૂત્રની અને અધ્યયનની શરૂઆતમાં શ્રીસુધર્માસ્વામીએ જે જે ઉત્તરા આપ્યા છે, તે તે ઉત્તરાના અમુક ભાગ મેલીને પછીના પ્રશ્ન પૂછ્યો છે. આમાં પુનરુક્તિ દોષ એટલે કહેલા શબ્દને ફરી કહેવા રૂપ ઢોષ લાગતા જ નથી. કારણ કે ગુરુના કે સ્વામીના કહેલા વચનના અનુવાદ કરીને (તે પ્રમાણે મેલીને) પછી જ બીજો પ્રશ્ન પૂછ્યા એ, વિનયની અવિચ્છિન્ન મર્યાદા છે, અને તે જ (વિનય) ચારિત્રનું મુખ્ય અંગ છે. વળી અનુવાદ કરવાથી એમ પણ જણાય છે કે ગુરુનું વચન રૂડી રીતે પાતે (શિષ્યે) ધારી લીધું છે. અને ત્યાર પછી બીજું નવું જાણવા માટે પ્રશ્ન કરે છે. આ પણ એક વિનયધર્મીની મર્યાદા જ છે. તેમજ રાજા વગેરે સ્વામીએ બતાવેલું કામ કરી રહ્યા પછી સેવકે આવીને સ્વામીને કહે છે કે “તમે બતાવેલું અમુક કામ અમે આ રીતે કર્યુ છે. ’” આ રીતે સ્વામીની. આજ્ઞા પાછી સોંપવી, તે પણ વિનય જ છે, એ રીતે સર્વાંત્ર જાણવું. આ રીતે આ સૂત્રની શરૂઆતની બીના ટૂંકામાં જણવી. આજ પ્રમાણે પ્રાય: સર્વ આગમેામાં પ્રક્ષાદિન અ ંગે એક સરખી શૈલી જણાય છે. શ્રી વિપાક સૂત્રના સંક્ષિપ્ત સારાંશ આ વિપાક સૂત્ર (વિપાક શ્રુત)માં વિપાક એટલે શુભ અશુભ કર્મોના ઉદ્દય (અનુભવ) ભેાગવટા વગેરે), તેના બે પ્રકાર છે. ૧. પ્રદેશાય, અને ર. વિપાક (રસ) ઉદય. તેમાંથી અહીં વિપાક ઉડ્ડયની જ બીના કહી છે. વિપાકાયમાં પણ અશુભ ક ના વિપાક, અને શુભ કર્માંના વિપાક આ રીતે બે ભેદ છે. અશુભ કર્મીના વિપાક દુ:ખદાયક છે તેથી તે દુ:ખવિપાક કહેવાય છે. શુભ કર્માંના વિપાક સુખને આપતા હોવાથી તે સુવિપાક કહેવાય છે. આ અપેક્ષાએ દુ:વિપાક અને સુખવિપાક નામના એ શ્રુતસ્કંધા અહી” કહ્યા છે. તેમાં દશ દશ અધ્યયના આપેલાં છે. તેના નામ અહી શબ્દામાં જણાવ્યા છે. પહેલા દુ:ખવિપાકમાં સુગાપુત્ર વગેરેનાં વર્ણનવાળાં દશ અધ્યયના છે. તેમાં તે તે નામના જીવાએ પૂર્વભવમાં ઉગ્ન (ચીકણાં) પાપક બાંધેલાં હાવાથી આ ભવમાં બહુજ દુ:ખી થયા છે, અને બહુજ આકરી વેદના ભાગવતા મરણ પામી તિ`ચના ભવ કર્યા બાદ પહેલી નરકે ગયા છે. ત્યાર પછી અનુક્રમે વચમાં વચમાં (આંતરે આંતરે) તિ``ચના ભવા કરીને બીજી નરકથી માંડીને સાતમી નરક પૃથ્વી સુધી જશે. ત્યાંથી નીકળી જલચર સ્થળચર વગેરે પંચેન્દ્રિય તિય ચામાં વારંવાર ઉત્પન્ન થઈ અનુક્રમે ચતુરિ ક્રિયાદિમાં અને છેવટ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયના ભવામાં ભમી પાછા પચેન્દ્રિય તિર્યંચ થઈ મરણ પામી મનુષ્યપણે જન્મી, આધ પામી દીક્ષા લઈ, સ્વર્ગ જઇ, મહાવિદેહમાં ઊ'ચ કુળમાં મનુષ્ય જન્મ પામી, ચારિત્ર ગ્રહણ કરી, સિદ્ધિપદ પામશે. વગેરે હકીકત વિસ્તારથી જણાવી છે, તેમાં પહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy