SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (૮. શ્રી અંતગડ દશાંગ સૂત્રના પરિચય ) ૨૮૩ કનકાવળો તપ કર્યા છે. ત્રીજી મહાકાલી રાણીએ ચારિત્ર લઈ ને લસિ નિષ્ક્રીડિત તપ કર્યાં છે. ચાથી કૃષ્ણારાણીએ ચારિત્ર લઈને મોટા સિંહુનિષ્ક્રીડિત તપ કર્યાં છે. પાંચમી સુકૃષ્ણારાણીએ ચારિત્ર લઈને સપ્તસપ્તમિકા નામની ભિક્ષુપ્રતિમાને અંગીકાર કરી તેને અનુસરતા મહાતપ કર્યાં છે. છઠ્ઠી મહાકૃષ્ણા રાણીએ ચારિત્ર લઈને લઘુસાભડા પ્રતિમાનું આરાધન કર્યું' છે. સાતમી વીરકૃષ્ણા સાધ્વીએ મહાસ તાભદ્રા પ્રતિમાનુ આરાધન કર્યુ છે. આઠમી રામકૃષ્ણા સાધ્વીએ ભદ્રોત્તરા પ્રતિમાનું આરાધન કર્યુ·· છે, એટલે તે ત્રણે સાધ્વીઓએ તેમાં બતાવેલા તપ કર્યાં છે. નવમી પિતૃસેન કૃષ્ણા રાણીએ દીક્ષા લઈ મુકતાવલી તપ ચાર પરિપાટીએ કર્યાં છે. અને દશમી મહાસેન કૃષ્ણારાણીએ આંખિલ વર્ધમાન તપનું આરાધન કર્યુ. છે, આ તપમાં એક આંખિલથી માંડીને ચડતા સેા (૧૦૦ ) આયંબિલ કરવામાં આવે છે, અને આંતરે આંતરે ઉપવાસ કરવામાં આવે છે. એટલે એકંદર ૫૦૫૦ આંબિલ અને ૧૦૦ ઉપવાસ મળીને ૫૧૫૦ દિવસે એટલે ૧૪ વર્ષી, ૩ માસ, ૨૦ દિવસ લાગઢ આ તપ કરનારા ભવ્યવાને થાય છે. મહાસેન કૃષ્ણા સાધ્વી એ રીતે તપ કરી ૧૭ વર્ષના કુલ દીક્ષા પર્યાય પાળીને ચંદનબાળાની આજ્ઞા લઈ એક માસનું અણુસણુ કરી કેવલ જ્ઞાન પામી માસે ગઈ. આ દશે સાધ્વીઆમાંની કાલી સાધ્વીના ૮ વના દીક્ષાપર્યાય હતા. પછી એકેક વર્ષની વૃદ્ધિ કરતાં છેલ્લી દશમી સાધ્વીના દીક્ષાપર્યાય ૧૭ વર્ષના હતા. આ દો. રાણીએ ચેટક રાજા સાથેના કણિકના યુદ્ધમાં પ્રથમના દશ દિવસેામાં અનુક્રમે પાતાના કાલકુમાર વગેરે દશે પુત્રોના મરણની વાત પ્રભુવીરની પાસે સાંભળી વૈરાગ્ય થવાથી ચારિત્ર લઈ અંતકૃત્કેવલી થઈ ને સિદ્ધિપદ પામી છે. અહીં કહેલા તપનુ વર્ણ`ન વિસ્તારથી કર્યું છે. આ રીતે આઠમા વા ટૂંક પરિચય પૂરો થયેા. બીજા ગ્રંથામાં અહી' કહેલા અધ્યયનનું નામ ઉદ્દેશા કહ્યું છે. એટલે ૮ વર્ષામાં ૯ર ઉદ્દેશા છે એમ કહ્યું છે. આમાંથી મનન કરી અપૂર્વ આત્મિક એધને દેનારા ૧૪ મુદ્દાએ ક્રમસર આ રીતે જાણવા-૧. ત્રીજા વર્ગમાં ગજસુકુમાલની બીના, ર. પાંચમા વર્ગમાં કહેલ દ્વારિકાના વિનાશનું વર્ણીન, ૩. છઠ્ઠા વર્ષોંમાં મુદ્ગરપાણિ અથવા અર્જુન માળીના અધિકાર, ૪. અંતિમુક્તકુમારનુ વર્ણન, પ. આઠમા વર્ષોંમાં દશ પ્રકારના તપનું વર્ણીન, ૬, પુત્રના લાલનપાલન માટે દેવકીજીના તીવ્ર માહુ, ૭, ગજસુકુમાળે સહન કરેલ પ્રાણાંત ઉપસ†, ૮. કૃષ્ણ વાસુદેવના દ્વારિકાના વિનાશ થવાનું સાંભળતાં ચારિત્ર ધ' ઉપરના પ્રેમ, હું. ચારિત્ર ગ્રહણ કરનારને પૂરતી મદદ દેવાની ઉદ્ભાષણા, ૧૦. છ ગાઠીલ્લા (દુરાચારી) પુરુષોની કામને આધીન થવાથી થયેલી દુર્દશા, ૧૧. સુર્શન રોઝની જિનને વંદન કરવા માટે જવાની દૃઢતા, ૧૨. અર્જુનમાળીએ ચારિત્ર લઈને સહન કરેલ સમસ્ત પ્રજા તરફના ઉપસ, ૧૩. અતિમુક્ત કુમારને પાછલા ભવાના શુભ સંસ્કારોથી ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy