SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૮. શ્રી અંતગઢ દશાંગ સૂત્રના પશ્ર્ચિય ) REL શાથી થશે ! પ્રભુએ આ પ્રશ્નના જવાથ્યમાં જણાવ્યું કે “દારૂ, અગ્નિ અને દ્વીપાયન ઋષિના શ્રાપ એ ત્રણ નિમિત્તે દ્વારકાના વિનાશ થશે. ’” તે સાંભળી કૃષ્ણે પ્રભુની પાસે દીક્ષા લઈ આમહિતને સાધનારા પુણ્યવતા જાલિ માલ વગેરે યાદવકુમારેાની પ્રશંસા કરીને પેાતાની આ રીતે નિંદા કરી કે “ મેં નિર્ભાગીએ દીક્ષા લઈ આહિત ન સાધ્યું. ” તે વખતે પ્રભુએ કહ્યું કે, “ પાછલા ભવમાં નિયાણું' કરવાથી તેના ભાગલને ભોગવનારા વાસુદેવા હેાવાથી તે ભવમાં તેઓ ચારિત્ર લઈ શકે જ ાહુ. '' પ્રભુને કૃષ્ણે પૂછ્યું કે, અહીથી મરીને હું કયાં જઈશ? પ્રભુએ ત્રીજી નરકમાં જવાનું કહ્યું. તે સાંભળી બહુ જ નાખુશ થયેલા કૃષ્ણને પ્રભુએ કહ્યુ કે, ‘“ વાસુદેવા બધા નરકમાં જ ગયા છે, જાય છે ને જશે.” પરંતુ તમારામાં તે બધા કરતાં વિશિષ્ટતા એ રહી છે કે, તમે આવતી ચાવીશીમાં અમમ નામના તીર્થંકર થોા. ” તે સાંભળી કૃષ્ણ રાજી થયા. પછી દ્વારિકામાં આવી તેમણે ઉદ્યાષણા કરાવી કે, “ આ નગરીને! અમુક વર્ષ પછી ત્રણ કારણે વિનાશ થવાના છે, તેથી જેને સંસાર તજીને પ્રભુ શ્રીનેમિનાથની પાસે ચારિત્ર લેવું હાય, તે ખુશીથી લઈ આત્મહિત સાધે, તે બધાના દીક્ષામહોત્સવ હું કરીશ, અને તેમના પાછળ રહેલા પુત્રાદિ સંબંધિનું. હું બહુ સારી રીતે પાલન કરીશ. ” આ સાંભળીને ઘણાં ભવ્ય થવાએ પ્રભુની પાસે ચારિત્ર લઈ આરાધવા માંડયું. કૃષ્ણની પટરાણી પદ્માવતીએ પ્રભુને વાંદી દેશના સાંભળી ચારિત્ર લેવાની ઇચ્છા થતાં કૃષ્ણની પાસે આજ્ઞા માગી. તેને આજ્ઞા આપી અને મેઢા મહોત્સવ સાથે પ્રભુ શ્રી નેમિનાથના વરદ હસ્તે દીક્ષા અપાવી, પ્રભુએ તેને યક્ષિણી નામની સાધ્વીને સાંપી. તે ચારિત્ર પાળી અનેક પ્રકારના તપ કરી એક માસનું અનશન કરી મેક્ષે ગઈ. બીજી ગૌરી વગે૨ે ૭ પણ કૃષ્ણની જ પટરાણીઓ હતી. અને નવમી મૂળશ્રી અને દશમી મૂળદત્તા કૃષ્ણના પુત્ર શાંખકુમારની સ્ત્રીએ હતી. તે નવે રાણીએ પદ્માવતી રાણીની માક ચારિત્રને આરાધી કેવલ જ્ઞાન પામી મેાક્ષને પામી હતી. અહીં પાંચમે વ` પૂરા થાય છે. ૬. છઠ્ઠા વમાં ૧. મકાતિ, ૨. કિ’કમ, ૩, મુદ્ગરપાણિ, ૪. કાશ્યપ, ૫. ક્ષેમક, ૬. કૃતિધર, ૭. કૈલાસ, ૮. હરિચંદન, ૯, વારત્ત, ૧૦. સુદðન ૧૧. પૂર્ણ ભદ્ર, ૧૬. સ્વપ્નભદ્ર, ૧૭. સુપ્રતિષ્ઠ, ૧૪. મૈ, ૧૫. અંતિમુક્તકુમાર, ૧૬. અલક્ષ નામના રાજા, આ સાલ ભવ્ય છ્તાનાં ચરિત્ર અનુક્રમે એકેક અધ્યયનમાં કહ્યાં છે. તેથી દરેક અધ્ય યન તે તે નાયકના નામથી આળખાય છે. તેમાં શ્રેણિકરાજાના રાજગૃહ નગરમાં માર્થાત અને કિ'કમ નામના બે ગાથાપિત રહેતા હતા, તે અને પ્રભુ શ્રીવીરની દેશના સાંભળી ચારિત્ર લઇ, ગુણરત્ન સંવત્સરાદિ તપસ્યા કરી વિપુલાચળ પર્વત પર અનશન કરી 'ત સમયે કેવલી થઈ સિદ્ધિ પદ પામ્યા, આ બીના વિસ્તારથી પહેલાં એ અધ્યયનામાં ક્રમસર જણાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy