SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિર્ણાવલી ( ૮. શ્રી અંતગડ દશાંગ સૂત્રના પરિચય ) ૨૭૭ પામી તરતજ મેાક્ષે જાય. આવી ીના ૮ વર્ગામાં કહી છે. તેમાં પહેલા વર્ગમાં દ્વારિકાનું વર્ણન અને કૃષ્ણ-વાસુદેવની રાણીએ અને પુત્રોનું વર્ણ ન કર્યું છે. અંધકવૃષ્ણિ રાજાની ધારિણી રાણીના ૧. ગૌતમ કુમાર, ૨, સમુદ્ર કુમાર, ૩. સાગર કુમાર, ૪. ગભીર કુમાર, પ, સ્તિષ્ઠિત કુમાર, ૬. અચળ કુમાર, ૭. કાંપિય કુમાર, ૮. અશાભ કુમાર, ૯. પ્રસેન કુમાર, ૧૦. વિષ્ણુ કુમાર. આ દશ કુમારની અનુક્રમે એકેક અધ્યયનમાં મીના કહી છે, તેથી તે કુમારેાના નામથી જ તે તે અધ્યયન આળખાય છે. દશે કુમારોની જન્મભૂમિ દ્વારિકા નગરી છે, તેઓ પ્રભુ નેમિનાથની પાસે દીક્ષા લઇ ૧૨ ભિક્ષુપ્રતિમા અને ગુણરત્ન સંવત્સર તપ વગેરેની આરાધના કરીને શ્રીશત્રુ ંજયે અણુશણ કરી સિદ્ધ થયા. ખીજાવમાં અંધકવૃષ્ણિ રાજાની ધારિણી રાણીના ૧, અક્ષાભ કુમાર, ૨. સાગર કુમાર, ૩. સમુદ્ર કુમાર, ૪. હિમવ ંત કુમાર, પ. અચળ કુમાર, ૬. ધરણ કુમાર, ૭. પૂરણ કુમાર, તથા ૮. અભિચંદ્ર કુમારની મીના જણાવી છે. તેથી આ અધ્યયના તે તે કુમારના નામથી આળખાય છે. આ કુમારે નેમિનાથની પાસે દીક્ષા લઇ ગુણરત્નસંવત્સર તપ વગેરેની આરાધના કરી શત્રુંજયે ૧ માસનું અણુશણ કરી અંતકૃદ્ધે વલી થઇને સિદ્ધ થયા. ૩. ત્રીજા વમાં ૧. અનિકસેન, ર. અનંતસેન, ૩. અનિદ્ભુત કુમાર, ૪. રિપુ કુમાર, ૫. ધ્રુવસેન કુમાર, ૬, શત્રુસેન કુમાર, ૭. સારણ કુમાર, ૮. ગજસુકુમાળ, ૯. સુમુખ કુમાર, ૧૦. દુર્મુખ કુમાર, ૧૧. ગ્રૂપક કુમાર, ૧૨, દારૂક કુમાર, ૧૩. અનાષ્ટિ કુમાર, આ તેર્ કુમારનાં ૧૩ અધ્યયનામાં અનુક્રમે એકેક કુમારની મીના કહી છે. તેથી તે તે કુમારોના નામથી જ તે તે અધ્યયન આળખાય છે. અહીં પહેલા અનિકસેન કુમાર નાગ સારથિની સુલસા નામની સ્રીના પુત્ર હતા. બીજા ૬ કુમારે પણ સુલસાએ ઉછેરીને માઢા કરેલાં પુત્રો હતા. ખરી રીતે તેએ કૃષ્ણના પિતા વાસુદેવ અને માતા દેવકીના પુત્રો થાય. અનિયસ કુમાર નેમિનાથની પાસે દીક્ષા લઈ શત્રુંજયે એક હુિનાતું અનશન કરી મેક્ષે ગયા. તે પછીના ૬ અધ્યયનામાં દેવકીના પુત્રોની આવી બીના કહી છે, આઠમા અધ્યયનમાં સમાન રૂપને ધારણ કરનારા તે ૬ મુનિએ દેવકીના મહેલમાં ગાચરી વહેારવા ગયા, તેમને જોઇને દેવકી રાણીને અતિમુક્ત મુનિએ કહેલી વાત યાદ આવે છે, કે તમને એકસરખા રૂપવાળા ૮ પુત્રો થશે. આ બાબત તે શ્રી નમનાથને પૂછીને ચાકકસ જાણે છે કે આ ૬ પુત્રો મારા જ છે. તેમને સુલસાએ ઉછેરીને મેાઢા કર્યા છે. ત્યાર બાદ દેવકી તે ૬ મુનિઓને વાંદવા જાય છે, ત્યારે તેણીને પાના ચડે છે ( સ્તનમાંથી દૂધ ઝરે છે), દેવકીને પુત્રની અભિલાષા થતાં કૃષ્ણ વાસુદેવ અધૂમ તપથી હરણેગમેષીને આરાધી માતાના મનાથ પૂર્ણ કરે છે. અવસરે સિંહનું સ્વપ્ન આવતાં તેના ફલરૂપે એક પુત્ર થયા. તેનું ગજસુકુમાલ નામ પાડ્યું, માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy